‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ધુરંધર: ધ રીવેન્જ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી વિશ્વભરમાં 1,100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ ખાસ કરીને પાકિસ્તાનના લ્યારીના ગેંગ વૉર અને રાજકારણનું ચિત્રણ કરે છે. પાકિસ્તાનના લ્યારી વિસ્તારના રહેવાસીઓએ આના પર પ્રતિક્રિયા આપી છે, ફિલ્મની કમાણીનો મોટો હિસ્સો તેમના શહેરના વિકાસ માટે માંગ્યો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

dhurandhar-the-revenge.jpg-2

'કમ્પેરિઝન ટીવી' નામની એક યુટ્યુબ ચેનલે લ્યારીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં સ્થાનિક લોકો ફિલ્મની સફળતા પર પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે. વીડિયોમાં એક વ્યક્તિ કહે છે કે, ‘લ્યારી પર બનેલી આ ખૂબ મોટી ફિલ્મ છે, અને તેણે ખૂબ રકમ કમાઈ છે. જો લ્યારીમાં વિકાસ થાય તો અહીં યોગ્ય રસ્તા બનાવી શકાય છે. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે, ‘જો ફિલ્મ 1,000 કરોડ રૂપિયા કમાઈ રહી છે, તો લ્યારીના લોકોને 500 કરોડ રૂપિયા આપી દો. અડધી કમાણી મળી જાય તો અહીં રસ્તાઓ બની જશે. બાળકોના પગમાં ફોલ્લા પડી જાય છે.

બીજા એક રહેવાસીએ કહ્યું કે, ‘અમે લાંબા સમયથી માંગણીઓ કરી રહ્યા છીએ, છતા લ્યારીના લોકોને કંઈ મળતું નથી. આપી દો ભાઈજાન. જ્યારે યુટ્યુબરે પૂછ્યું કે તેમને કેટલા પૈસા મળવા જોઈએ? ત્યારે રહેવાસીએ જવાબ આપ્યો કે, ‘ઓછામાં ઓછા કરોડો રૂપિયા મળવા જોઈએ. 70-80% મળવા જોઈએ કારણ કે કમાણી લ્યારીના નામ અને તેની પરિસ્થિતી બતાવીને જ થઈ છે. તો તેને દાન કરવું જોઈએ.

ભારતીય ફેન્સે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે, ‘એવું લાગે છે કે લ્યારીના લોકો આદિત્ય પાસે વિકાસ માંગે છે. ચાલો વધુ કન્ટેન્ટ બનાવીને ડીલ કરીએ. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આદિત્ય ધર, લ્યારીમાં તમારા નામનો રસ્તો બનાવવો જોઈએ. કેટલાક લોકોએ તેને મજાકિયો વીડિયો ગણાવ્યો તો કેટલાકે તેને શરમજનક કહ્યો.  

dhurandhar-the-revenge.jpg-3

ધુરંધરમાં રણવીર સિંહ એક ભારતીય જાસૂસ હમઝાની ભૂમિકા ભજવી રહ્યો છે, જે લ્યારીની ગેંગ્સમાં ઘૂસીને અંડરવર્લ્ડ અને આતંકી નેટવર્કને ખતમ કરવાનો પ્રયાસ કરે છે. આ ફિલ્મ લ્યારીના ગેંગ વૉરનું ચિત્રણ કરે છે અને તેમાં બતાવવામાં આવ્યું છે કે, રણવીરનું પાત્ર કેવી રીતે મોટો નેતા બની જાય છે, જ્યારે તે પોતાનું મિશન પૂરું કરી રહ્યો હોય છે.

આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત, આ સ્પાઈ એક્શન ફિલ્મમાં અર્જૂન રામપાલ, આર. માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જૂન પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. પહેલી ફિલ્મે 1,300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, જ્યારે બીજી ફિલ્મે અત્યાર સુધીમાં 1,100 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે, જેમાં ભારતમાં 750 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી ચૂકી છે.

dhurandhar-the-revenge.jpg-4

આ ફિલ્મ રીલિઝ થયા બાદથી જ શાનદાર કમાણી કરી રહી છે. પહેલા દિવસે 40 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી અને સતત બે દિવસ 100 કરોડ રૂપિયાથી વધુની કમાણી થઈ. ફિલ્મનો ક્રેઝ હજી પણ ઓછો થયો નથી.

About The Author

Related Posts

Top News

MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન થશે. આ દરમિયાન...
Politics 
MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા

‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

આદિત્ય ધારની ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ ભારતમાં બોક્સ ઓફિસના રેકોર્ડતોડ કમાણી કરી રહી છે. આ ફિલ્મે અત્યાર સુધી...
Entertainment 
‘ધૂરંધરની’ની કમાણી પર પાકિસ્તાનના લ્યારીના લોકોનો દાવો, માંગ્યા રૂ. 500 કરોડ, બોલ્યા- ‘રસ્તો બની જશે’

ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભારતીય સાયબર સુરક્ષા એજન્સી, CERT-Inએ એક ચેતવણી બહાર પાડી છે, જેમાં એપલ વપરાશકર્તાઓને સાવધ રહેવા અને નવીનતમ...
Tech and Auto 
ફોન અને સ્માર્ટવોચ પર તોળાઈ રહ્યો છે ખતરો!, સરકારી એજન્સીએ ચેતવણી બહાર પાડી છે

ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

ભાવનગર એરપોર્ટ ખાતેથી તારીખ 29 માર્ચ 2026થી ભાવનગર અને નવી મુંબઈ વચ્ચે સીધી ફ્લાઇટ સેવાનો શુભારંભ કરાવતાં કેન્દ્રીય નાગરિક...
Gujarat 
ભાવનગરથી નવી મુંબઈ ફ્લાઇટ શરૂ, દરરોજ 2 ફ્લાઈટ ઉડશે

Opinion

પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
(ઉત્કર્ષ પટેલ) પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર...
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
Copyright (c) Khabarchhe All Rights Reserved.