- Politics
- MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા
MLAનો દીકરો ગાડી પર લાલ બત્તીનો ઉપયોગ કરતો હતો, મમતા બેનર્જીએ સ્ટેજ પર જ ધારાસભ્યને ખખડાવી નાખ્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની તારીખો નક્કી થઈ ગઈ છે. બંગાળમાં વિધાનસભાની ચૂંટણી 23 એપ્રિલથી 29 એપ્રિલ દરમિયાન થશે. આ દરમિયાન નેતાઓ દ્વારા રાજકીય રેલીઓ અને નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન, આસનસોલ જિલ્લામાં એક રેલી દરમિયાન એક મજેદાર ઘટના બની હતી. અહીં, મુખ્યમંત્રી મમતા બેનર્જી એક ચૂંટણી રેલીને સંબોધિત કરી રહ્યા હતા.
તેમણે ભાષણ દરમિયાન, સ્ટેજ પર જ તેમના જ એક ધારાસભ્ય પર કટાક્ષ કર્યો, જેનાથી તેઓ શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયા. પહેલા તો, મમતા બેનર્જીએ જામુડિયા બેઠક માટે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને વર્તમાન ધારાસભ્ય હરે રામ સિંહનો હાથ પકડીને તેમનું મનોબળ વધાર્યું. પછી, કહ્યું કે, ‘તમારા દીકરાને કહો કે લાલ બત્તીવાળી ગાડીનો ઉપયોગ ન કરે.’

આસનસોલની સભામાં મમતા બેનર્જી સ્ટેજ પરથી પોતાના ઉમેદવારોનો પરિચય કરાવી રહ્યા હતા. આ પ્રક્રિયામાં, તેમણે ધારાસભ્ય હરે રામ સિંહનો હાથ પકડીને તેમને જનતા સમક્ષ રજૂ કર્યા અને લોકોને તેમને મત આપવાની અપીલ કરી. જોકે, આ દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું જેની હરે રામ સિંહે પણ કલ્પના કરી નહોતી. ભરેલા મંચ પર, જનતાની સામે તેમણે હરે રામ સિંહને ચેતવણી આપી કે તેઓ પુત્રને કહે કે તે લાલ બત્તીવાળા વાહનનો ઉપયોગ ન કરે કારણ કે આ પ્રકારના કામથી પાર્ટીની છબીને ખરડાય છે.
‘આજ તક’ના અહેવાલ મુજબ, હરે રામ સિંહના પુત્રનું નામ પ્રેમપાલ સિંહ છે. પ્રેમપાલ સિંહ આસનસોલ જિલ્લા તૃણમૂલ કોંગ્રેસના યુવા નેતા છે. પ્રેમપાલ ઘણીવાર હૂટર અને મોટા કાફલા સાથે મુસાફરી કરતા જોવા મળે છે. હવે આ વાત મુખ્યમંત્રી પણ પહોંચી હશે. આના પર કડક વલણ અપનાવતા મમતા બેનર્જીએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે પાર્ટીમાં અનુશાસન સર્વોપરિ છે અને કોઈને નિયમોથી ઉપર ન સમજવા જોઈએ. પછી ભલે તે કોઈ પણ હોય.

આ મામલે જ્યારે પત્રકારોએ ધારાસભ્ય હરે રામ સિંહને પ્રશ્ન કર્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ‘(મમતા બેનર્જીએ) શું બોલ્યા તે તમે સાંભળ્યું જ. અને તમે મને બીજું શું પૂછી રહ્યા છો? તમે તો સાંભળી જ લીધું. દીદીએ કહ્યું દીકરા પર જરા નજર રાખો, આમાં શું છે?’
આ ચૂંટણીની મોસમમાં, તૃણમૂલ કોંગ્રેસ ભાજપ પર પણ સતત પ્રહાર કરી રહી છે. પાર્ટીએ X પર પોસ્ટ કરીને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. પાર્ટીએ કહ્યું કે, દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દેશના, 15 રાજ્યોમાં પણ તેની જ સત્તા છે. જે મોટાભાગના સરહદી વિસ્તારોમાંમાં ઘૂસણખોરીની વાતો હોય છે, ત્યાં પણ ભાજપની જ સરકાર છે. જ્યારે અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી છે. એવામાં સવાલ ઊઠે છે કે, કાર્યવાહી કરવામાં આટલો વિલંબ કેમ થઈ રહ્યો છે?

તૃણમૂલ કોંગ્રેસે કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અત્યાર સુધી ગેરકાયદેસર ઘૂસણખોરોને ઓળખ કરીને તેમને પાછા મોકલવા માટે કોઈ પગલાં કેમ ન લીધા. સાથે જ એમ પણ પૂછ્યું કે ભાજપના નિયંત્રણવાળા વેનિસ કમિશને મતદાર યાદીમાં સામેલ વિદેશી નાગરિકોના નામ અત્યાર સુધી જાહેર કેમ નથી કર્યા. TMCનો આરોપ છે કે ગેરકાયદેસર ઘૂસણખોરીથી ભાજપને રાજકીય લાભ મળે છે. ભાજપ જાણીજોઈને બંગાળી અને બાંગ્લાદેશી વચ્ચે ભેદ ઝાંખો કરવાનો પ્રયાસ કરી રહી છે, જેથી આસામની જેમ બંગાળમાં પણ ડિટેન્શન કેમ્પ મોડલ લાગૂ કરી શકાય.

