વરુણ અને અભિષેકે કરેલી આ ભૂલો ટીમ ઇન્ડિયાને સેમીફાઇનલમાંથી બહાર કરાવી શકે છે!

વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્મા. એક રહસ્યમય સ્પિનર, બીજો વિસ્ફોટક ઓપનર. પરંતુ વરુણ અને અભિષેકે વેસ્ટ ઇન્ડીઝ સામે T20 વર્લ્ડ કપની મહત્ત્વપૂર્ણ સુપર 8 મેચ (ભારત વિરુદ્ધ વેસ્ટ ઇન્ડીઝ)માં ખૂબ મોટી ભૂલો કરી દીધી. એક ભૂલ જે ભારતીય ટીમ માટે ખૂબ મોંઘી સાબિત થઇ શકે છે. મેચમાં ટોસ જીતીને, ભારતીય ટીમે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાએ પ્રથમ 2 ઓવરમાં સારી બોલિંગ કરી હતી. 2 ઓવર બાદ, વેસ્ટ ઇન્ડીઝનો સ્કોર 13 રન હતો, જેમાં કોઇ વિકેટ ગુમાવી નહોતી.

varun
BCCI

વરુણની મોટી ભૂલ

અર્શદીપ ત્રીજી ઓવર ફેંકવા આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર, રોસ્ટન ચેઝે કવર તરફ શૉટ માર્યો. ત્યાં ઊભેલા વરુણ ચક્રવર્તીએ બોલ કટ કર્યો. ત્યારે ચેઝ રન માટે દોડી રહ્યો, પરંતુ બીજા છેડે શાઇ હોપ બોલ જોઇ રહ્યો હતો. હોપ અડધી પીચ પર ઊભો હતો. પરંતુ, વરુણે ખોટા છેડે બૉલ ફેંકી દીધો. જો થ્રો કીપરના તરફ ફેંકવામાં આવ્યો હોત, તો ચેઝને સીધો જ પેવેલિયન ભેગો કરી દેવાયો હોત. તે સમયે તે માત્ર એક રન પર બેટિંગ કરી રહ્યો હતો.

અભિષેકે સરળ કેચ છોડ્યા

વેસ્ટ ઇન્ડીઝે 4 ઓવરમાં 28 રન બનાવી લીધા હતા. જસપ્રીત બૂમરાહ પાંચમી ઓવર નાખવા આવ્યો હતો. તેની પહેલી ઓવર હતી. રોસ્ટન ચેઝે ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બૂમરાહે પાંચમો બોલ સ્લૉ નાખ્યો હતો અને ચેઝ ફસાઇ ગયો. બૉલ એક્સ્ટ્રા કવર ઉપર ઉઠ્યો. પરંતુ ત્યાં ઉભેલા અભિષેક શર્માએ સરળ કેચ છોડી દીધો. તે સમયે રોસ્ટન ચેઝ 14 રન પર રમી રહ્યો હતો.

abhishek
espncricinfo.com

વેસ્ટ ઇન્ડીઝીની ટીમે આ મહત્ત્વપૂર્ણ સુપર-8 મેચમાં સારી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વિના 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ પણ અભિષેક શર્માએ વધુ એક કેચ છોડ્યો હતો. પહેલી ઇનિંગમાં વેસ્ટ ઇન્ડીઝે સીમિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 195 રન બનાવ્યા હતા. ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત તો સારી થઇ હતી, પરંતુ પાવરપ્લેમાં જ 41 રન પર 2 વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, એક તરફ સંજૂ ટકી રહ્યો અને સમાજદારીપૂર્વકની ક્રિકેટ રમીને ભારતીય ટીમને સેમિફાઇનલની ટિકિટ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. હવે જોવાનું એ રહેશે કે સેમિફાઇનલમાં ભારત પોતાની ભૂલો સુધારે છે કે નહીં.

About The Author

Related Posts

Top News

'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસે બે પાદરીઓ અને તેમના સહયોગીઓ સામે ધર્મ પરિવર્તનનો કેસ નોંધ્યો છે. તેમના પર મોહનપુર ખુર્દ ગામમાં ...
National 
'ખ્રિસ્તી બનો તો કેન્સર મટી શકે છે...' આદિવાસી ગામને ધર્મ પરિવર્તન માટે આવું કહેવાનો પાદરીઓ પર આરોપ; પોલીસે કેસ નોંધ્યો

ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ડોનાલ્ડ ટ્રમ્પ યુનાઇટેડ સ્ટેટ્સમાં સત્તામાં આવ્યા ત્યારથી, યુરોપિયન દેશોથી તેમનું અંતર વધી રહ્યું છે. ટેરિફ, ગ્રીનલેન્ડ અને ઈરાન...
Business 
ફ્રાન્સે ટ્રમ્પની તિજોરીમાંથી 129 ટન સોનું વેચી નાખ્યું અને તેના ખજાનામાં લગભગ 13 અરબ યુરોનો નફો પણ કર્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-04-2026 વાર: સોમવાર મેષ - આજે ઘર પરિવાર પાછળ ખર્ચનું પ્રમાણ વધે, નોકરી ધંધામાં ઉપરી વર્ગ સાથે સંઘર્ષ ટાળવો,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સીઝનની 18મી મેચ શનિવારે રાત્રે ચેન્નાઈના એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે CSK અને ...
Sports 
CSK અને DC મેચમાં મોટો વિવાદ, સ્ટબ્સે હેલ્મેટ ફેંક્યું, દિલ્હીના ખેલાડીઓ અમ્પાયર સાથે ઝઘડ્યા; જાણો શું છે આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.