નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ દરમિયાન એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને, જો તમે કોઈ કંપનીમાં નોકરી કરતા હોવ અને ત્યારબાદ તમે નોકરી છોડી દો, તો હવે તમને ફક્ત બે દિવસમાં જ તમારી આખું સેટલમેન્ટ મળી જશે એટલે કે નોકરી છોડ્યાના 2 દિવસમાં જ પૈસાની પતાવટ કરી દેવામાં આવશે.

અત્યાર સુધી, નોકરી છોડયા કે કાઢી મુકાયા બાદ કર્મચારીઓને તેમના બાકી પૈસા મેળવવા માટે 40 થી 45 દિવસ રાહ જોવી પડતી હતી, જે વિલંબને કારણે તેમને ઘણી મુશ્કેલી પડતી હતી. ઘરનું ભાડું ચૂકવવા અથવા તેમના માસિક જીવન ખર્ચને માટે તેમને પરેશાનીનો સામનો કરવો પડતો હતો. જો કે, આ સમસ્યા હવે ખતમ થઈ જવાની છે. હવે સંપૂર્ણ પતાવટ બે દિવસમાં પૂર્ણ થશે. પરંતુ કેટલીક શરતો હેઠળ પતાવટ પ્રક્રિયામાં હજુ પણ એક મહિના જેટલો સમય લાગી શકે છે.

નવો નિયમ શું છે?

1 એપ્રિલ, 2026થી નવા નિયમો અનુસાર કંપનીઓએ કર્મચારીનું ફૂલ એન્ડ ફાઇનલ (FnF) સેટલમેન્ટ ફક્ત બે કાર્યકારી દિવસોની અંદર જ કરવામાં આવશે. આ નિયમ Code on Wages 2019 હેઠળ લાગૂ કરવામાં આવ્યો છે. આ નવા કાયદા હેઠળ, જો કોઈ કર્મચારી રાજીનામું આપે છે અથવા તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે, અથવા જો કંપની બંધ થઈ જાય છે, તો કંપનીએ કાયદેસર રીતે કર્મચારીને બાકી રહેલી બધી ચૂકવણી બે કાર્યકારી દિવસોમાં ચૂકવવાની રહેશે. અગાઉ, આ સમગ્ર પ્રક્રિયામાં 30 થી 90 દિવસનો સમય લાગતો હતો.

job1
trymintly.com

શું છે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ?

ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટનો અર્થ છે કે કર્મચારીને તેમની નોકરી સમાપ્ત થયા બાદ ચૂકવવાપાત્ર તમામ બાકી પૈસાઓનો હિસાબ અને અને પેમેન્ટ કરવાનો છે. આમાં ફક્ત સેલેરી જ નહીં થતી નથી, પરંતુ અન્ય એલાઉન્સ અને સર્વિસિસ સામેલ હોય છે.

તેમાં શું-શું શામેલ છે?

કામકાજના દિવસોના આધારે અંતિમ મહિનાનો પગાર

બચેલી રજા માટે પૈસા

પ્રદર્શનના આધારે મળતું બોનસ અથવા પ્રોત્સાહનોના પૈસા

ઓફિસ સાથે જોડાયેલા ખર્ચ જેમ કે યાત્રા અથવા અથવા અન્ય વિવિધ ખર્ચ માટે વળતર

ટેક્સ, એડવાન્સ સેલેરી, લોન અથવા કંપનીનો સામાન પરત ન કરવા પર કપાત

job
trymintly.com

ગ્રેચ્યુઇટી ક્યારે ચૂકવવામાં આવે છે?

નવા લેબર કોડમાં જે મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં હવે એક વર્ષની નોકરી બાદ ગ્રેચ્યુઇટીનો લાભ આપવામાં આવશે. અગાઉ, પાંચ વર્ષની નોકરી કર્યા બાદ જ ગ્રેચ્યુઇટી આપવામાં આવતી હતી; પરંતુ, કર્મચારીઓને હવે ફક્ત એક વર્ષની નોકરી બાદ જ ગ્રેચ્યુઇટીનો લાભ  આપવામાં આવશે. કંપનીએ આ રકમ 30 દિવસની અંદર ચૂકવવી પડશે.

About The Author

Related Posts

Top News

નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

દેશમાં નવો લેબર કોડ અમલમાં આવી ગયો છે. આ દરમિયાન એક ખાસ ફેરફાર કરવામાં આવ્યો છે જે દરેક કર્મચારી માટે...
Business 
નોકરી ગઈ કે છોડી, તો કંપનીઓએ તાત્કાલિક આ કામ કરવું પડશે... નવા કાયદામાં ખાસ ફેરફારો!

કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

કેરળ ચૂંટણીને લઈને રાજકીય વિવાદ ફાટી નીકળ્યો છે. આ દરમિયાન, મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. કેરળના વંડૂરમાં કોંગ્રેસના સાંસદના...
National 
કોંગ્રેસ સાંસદ શશી થરૂરના કાફલા પર હુમલો, ગનમેનને બહાર નીકળવું પડ્યું

ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

અમદાવાદના ખાડિયા વિસ્તારમાં રહેણાંક વિવાદને લઈને તણાવભર્યું વાતાવરણ ઉભું થયું છે. રાયખડ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા હિંદુ પરિવારો દ્વારા હેરાનગતિની...
Gujarat 
ગુજરાતના ભાજપના પૂર્વ ધારાસભ્યએ લેટર લખ્યો- હિન્દુ પરિવારોને વિસ્તાર ખાલી કરવા દબાણ થઈ રહ્યું છે

પૂર્વ DGPનો મોટો આરોપ, બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો

ખાખીનો કડક પોશાક ત્યજીને આધ્યાત્મિકતા અને ભક્તિના કોમળ પિતામ્બરમાં લપેટાયેલા ગુપ્તેશ્વર પાંડેનું વર્તમાન સ્વરૂપ કોઈ એક તપસ્વીનું પુનરાગમન જેવું લાગે...
National 
પૂર્વ DGPનો મોટો આરોપ,  બિહારમાં એક IPS અધિકારીએ અપહરણનો ધંધો શરૂ કરાવ્યો હતો
Copyright (c) Khabarchhe All Rights Reserved.