સુરતમાં લગ્નના પાંચમાં દિવસે પિયર જાવ છું કહી દાગીના લઈને ભાગી ગયેલી લૂંટેરી દુલ્હન 3 વર્ષે પકડાઈ

લગ્નના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કરતા સુરતની ચોકબજાર પોલીસે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા ત્રણ વર્ષથી ફરાર મુખ્ય આરોપી મહિલા ‘લૂંટેરી દુલ્હન’ને પોલીસે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી દબોચી લીધી છે. આ મહિલા લગ્નના માત્ર પાંચ જ દિવસમાં રોકડ અને દાગીના સહિત કુલ રૂ. 1.80 લાખની છેતરપિંડી આચરી પલાયન થઈ ગઈ હતી.

શું હતો સમગ્ર મામલો?

આ ઘટનાની શરૂઆત જાન્યુઆરી 2023માં થઈ હતી, જ્યારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી યુવકે લગ્ન માટે હર્ષદ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો, જેણે અન્ય સાગરીતો મોમીન ગાંચી અને ગણેશ ઠેપે સાથે મળીને ફરિયાદીની મુલાકાત કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે કરાવી હતી.

ફરિયાદીને કવિતા પસંદ પડતા સુરતમાં શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ લગ્નના ખર્ચ અને દલાલીના બહાને ફરિયાદી પાસેથી કટકે-કટકે મોટી રકમ પડાવી હતી. જેમાં રૂ. 1,05,000 આરોપી મોમીનભાઈને રોકડા આપ્યા હતા. રૂ. 8,500 લગ્નની દલાલી પેટે ચૂકવ્યા હતા. રૂ. 10,000 અન્ય ખર્ચ અને ભાડા પેટે ચૂકવ્યા હતા.

લગ્ન બાદ કવિતા માત્ર ચાર-પાંચ દિવસ સાસરીમાં રહી હતી. ત્યારબાદ પિયર જવાનું બહાનું કાઢી તે ફરિયાદી સાથે નાસિક બસ સ્ટેશન પહોંચી હતી. ત્યાં કપડાં બદલવાના બહાને બહેનપણીના ઘરે ગયેલી કવિતા પરત આવી જ નહીં. તે પોતાની સાથે લગ્નમાં મળેલા કિંમતી દાગીના અને કપડાં લઈને રફુચક્કર થઈ ગઈ હતી. આમ, આ ટોળકીએ મળીને કુલ રૂ. 1,80,500ની ઠગાઈ આચરી હતી.

પોલીસે કેવી રીતે ઓપરેશન પાર પાડ્યું?

આ કેસમાં અગાઉ ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર કવિતા ત્રણ વર્ષથી પોલીસને ચકમો આપી રહી હતી. ચોકબજાર પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.જી. ચૌધરીની માર્ગદર્શન હેઠળની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી.

પોલીસને સચોટ બાતમી મળી હતી કે આરોપી મહિલા નાસિકના ઇગતપુરી તાલુકાના તલેગાંવમાં છુપાયેલી છે. સુરત પોલીસની ટીમે ત્યાં દરોડો પાડી કવિતા સુનિલ વાઘને ઝડપી પાડી હતી અને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

About The Author

Related Posts

Top News

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

અમેરિકા અને ઇઝરાયલે ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલાઓ શરૂ કર્યા, જેમાં ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામેનીની હત્યા કરવામાં આવી. તાજેતરના...
Business 
પહેલા વેનેઝુએલા... હવે ઈરાન... ચીન માટે માથાનો દુખાવો બન્યું છે અમેરિકા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -03-03-2026 વાર- મંગળવાર મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.