રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના કારણે તેની આંખમાં ગંભીર ઈજા થઈ અને તેની એક આંખની દૃષ્ટિ જતી રહી. આ ઘટના બે મહિના જૂની છે, પરંતુ તાજેતરમાં જ SC/ST કાયદા હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાના શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખૈરા ગામમાં બની હતી. દૈનિક ભાસ્કરના અહેવાલ મુજબ, અહીં 13 નવેમ્બર, 2025ના રોજ રામલીલા ચાલી રહી હતી. રામની ભૂમિકા ભજવતો નૈતિક પાંડે નામના કલાકારે તીરથી રાવણ બનેલા સુનિલ કુમારનો મુકુટ પાડવાનો હતો, પરંતુ તીર લક્ષ્ય પર ન વાગ્યું અને કથિત રીતે સુનિલની આંખમાં વાગ્યું.

ravan
bhaskar.com

ત્યારબાદ રાવણની ભૂમિકા ભજવતા સુનિલને સારવાર માટે વારાણસી મોકલવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેની એક આંખની દૃષ્ટિ જતી રહી. પીડિત સુનિલનો આરોપ છે કે તેણે રામલીલા આયોજકો અને રામનું પાત્ર ભજવનાર અભિનેતા પાસેથી તેની સારવાર માટે મદદ માંગી હતી, પરંતુ તેમણે ના પાડી દીધી. તેણે એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે તે મદદ માંગવા ગયો ત્યારે તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો અને તેને જીવથી મારી નાખવાની ધમકી આપવામાં આવી અને તેને ભગાડી દેવામાં આવ્યો. ત્યારબાદ, પીડિત સુનિલે પોલીસમાં આ બાબતની જાણ કરવાનો નિર્ણય લીધો.

ભાસ્કરના અહેવાલ મુજબ, તેણે કહ્યું કે તેની સારવારને કારણે, તે તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ શક્યો નહોતો, એટલે તેણે ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, તેનું કહેવું છે કે વહીવટી વિલંબને કારણે, તેનો કેસ અત્યારે નોંધવામાં આવ્યો છે. તેને 28 જાન્યુઆરીએ ખબર પડી કે તેની ફરિયાદના આધારે FIR દાખલ કરવામાં આવી છે.

UP Police
livemint.com

હાલમાં, પીડિતનું કહેવું છે કે તેણે એક આંખની દૃષ્ટિ પૂરી રીતે ગુમાવી દીધી છે અને બીજી આંખમાં પણ સારી રીતે જોઈ શકતો નથી. તો, રામનું પાત્ર ભજવનાર નૈતિક પાંડેનું કહેવું છે કે તે એક અકસ્માત હતો. તેને અને સમિતિના સભ્યોને કહેવામાં આવ્યું હતું કે તેમાં તેમની કોઈ ભૂલ નથી. FIR દાખલ થવાને લઈને ખબર પણ નહોતી.

About The Author

Related Posts

Top News

પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

ક્યારેક, એકદમ સરળ માહિતીથી પણ મોટામાં મોટો ગુનો ઉકેલાઈ જતો હોય છે. ગાઝિયાબાદમાં આ નકલી પાસપોર્ટ કેસ આવો જ...
National 
પોસ્ટમેન લાવ્યો એક જ સરનામે 22 પાસપોર્ટ, પરંતુ ત્યાં કોઈ રહેતું નહોતું, પોસ્ટ માસ્ટર પણ હતો શામેલ

રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

રામલીલા દરમિયાન, રામે રાવણને મારવા માટે તીર છોડ્યું, પરંતુ તીર રાવણની ભૂમિકા ભજવતા અભિનેતાની આંખમાં વાગ્યું, જેના...
National 
રામલીલામાં રાવણ પર ચલાવેલું તીર આંખમાં વાગ્યું, રામ વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધાયો

ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

ગુજરાતમાં કોંગ્રેસે જન આક્રોશ યાત્રાના ત્રીજા તબક્કાની આજે શરૂઆત કરી દીધી છે. યાત્રા અંગે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ...
Gujarat 
ગુજરાત કોંગ્રેસે 'જન આક્રોશ યાત્રા'ના ત્રીજા ચરણની શરૂઆત કરી, અમિત ચાવડાએ કહ્યું- દક્ષિણ ગુજરાત...

મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલ દિલ્હીના પ્રવાસે છે, જ્યાં તેમણે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ આક્રમક વલણ...
Politics 
મૃત જાહેર કરી જેમના મતદાર યાદીમાંથી નામ કાપી નખાયા તેમને લઈને દિલ્હી જ્ઞાનેશ કુમાર પાસે પહોંચી ગયા મમતા, કહ્યું- ચૂંટણી પંચ ભાજપનું IT સેલ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.