અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષો પછી, તે હવે ભારત છોડીને જવા માંગે છે. અભિનેત્રીને લાગે છે કે, ભારતે તેનો સાથ છોડી દીધો છે. ગુરુવારે, મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ભારત કેમ છોડી રહી છે તે બતાવ્યું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે, તે ઈરાન પરત ફરી શકતી નથી કારણ કે ત્યાં તેના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે.

Fiber-Cylinders
bhaskar.com

વીડિયોમાં, મંદાના કહે છે, 'મને 10 વર્ષ પહેલાં ઈરાનથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. હું પાછી જઈ શકતી નથી. હા, હું ભારત છોડી રહી છું, હું ભારતની બહાર જઈ રહી છું, પણ હું ઈરાન પાછી ફરી રહી નથી. હું ભારતથી નારાજ થઇ છું, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી મને અહીં કોઈ સમર્થન મળ્યું નથી. અચાનક, જ્યારે ખામેનીનું અવસાન થયું, અને જ્યારે ઇઝરાયલ અને અમેરિકાનો ઉલ્લેખ થયો, ત્યારે દરેકના મંતવ્યો હતા. દરેક વ્યક્તિ શેરીઓમાં ઉતારી આવ્યા, ખામેની માટે શોક વ્યક્ત કરી રહ્યા છે, જે હું કરી શકી ન હતી અને હજુ પણ કરી શકી નથી.'

અભિનેત્રીએ કહ્યું કે, 'સુરક્ષાના કારણોસર, હું એક જ જગ્યાએ અટકી ગઈ છું. મારા નજીકના મિત્રોને પણ સુરક્ષાના કારણોસર મારા સ્થાનની જાણકારી નથી. તેમ છતાં, હું મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું, જેથી ઈરાનીઓનો અવાજ બુલંદ બને. મેં છેલ્લા છ વર્ષથી ફિલ્મોમાં અભિનય કરવાનું બંધ કરી દીધું છે, તે મારો પોતાનો નિર્ણય હતો.'

Mandana-Karimi1
navbharattimes.indiatimes.com

વીડિયોમાં, મંદાનાએ એમ પણ કહ્યું કે, 18 વર્ષની ઉંમરે ઈરાન છોડવા છતાં, તે તેનો દેશ છે. તેને તેના વિશે અભિપ્રાય રાખવાનો અધિકાર છે. તેણે કહ્યું કે તે જે ઇન્ટરવ્યુ આપી રહી છે તે પોતાના માટે નથી, પરંતુ ઈરાન માટે છે. તે પોતાના વિશે વાત કરવા માંગતી નથી, પરંતુ ફક્ત તેના દેશ વિશે વાત કરવા માંગે છે.

https://www.instagram.com/reel/DVgj5gUCDRM/

મંદાનાએ કહ્યું કે, જે મહત્વનું છે તે ઇસ્લામિક રિપબ્લિક વિશે સત્ય છે અને આ શાસનનો અંત શા માટે મહત્વપૂર્ણ છે. જે મહત્વનું છે તે ઈરાનીઓનો અવાજ છે જે સ્વતંત્રતા માટે બધું જોખમમાં મૂકી રહ્યા છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, મંદાનાએ એમ પણ કહ્યું કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

Mandana-Karimi3
jagran.com

અભિનેત્રીએ કહ્યું કે, તેની ટિપ્પણીઓને સનસનાટીભરી બનાવવામાં આવી રહી છે, જ્યારે તે ફક્ત ઈરાન અને તેના લોકો વિશે વાત કરવા માંગતી હતી.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.