અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. વર્ષો પછી, તે હવે ભારત છોડીને જવા માંગે છે. અભિનેત્રીને લાગે છે કે, ભારતે તેનો સાથ છોડી દીધો છે. ગુરુવારે, મંદાનાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો, જેમાં તે ભારત કેમ છોડી રહી છે તે બતાવ્યું હતું. તેણે એ પણ ખુલાસો કર્યો કે, તે ઈરાન પરત ફરી શકતી નથી કારણ કે ત્યાં તેના પ્રવેશ કરવા પર પ્રતિબંધ છે.

Fiber-Cylinders
bhaskar.com

વીડિયોમાં, મંદાના કહે છે, 'મને 10 વર્ષ પહેલાં ઈરાનથી પ્રતિબંધિત કરવામાં આવી હતી. હું પાછી જઈ શકતી નથી. હા, હું ભારત છોડી રહી છું, હું ભારતની બહાર જઈ રહી છું, પણ હું ઈરાન પાછી ફરી રહી નથી. હું ભારતથી નારાજ થઇ છું, કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓથી મને અહીં કોઈ સમર્થન મળ્યું નથી. અચાનક, જ્યારે ખામેનીનું અવસાન થયું, અને જ્યારે ઇઝરાયલ અને અમેરિકાનો ઉલ્લેખ થયો, ત્યારે દરેકના મંતવ્યો હતા. દરેક વ્યક્તિ શેરીઓમાં ઉતારી આવ્યા, ખામેની માટે શોક વ્યક્ત કરી રહ્યા છે, જે હું કરી શકી ન હતી અને હજુ પણ કરી શકી નથી.'

અભિનેત્રીએ કહ્યું કે, 'સુરક્ષાના કારણોસર, હું એક જ જગ્યાએ અટકી ગઈ છું. મારા નજીકના મિત્રોને પણ સુરક્ષાના કારણોસર મારા સ્થાનની જાણકારી નથી. તેમ છતાં, હું મીડિયા સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી છું, જેથી ઈરાનીઓનો અવાજ બુલંદ બને. મેં છેલ્લા છ વર્ષથી ફિલ્મોમાં અભિનય કરવાનું બંધ કરી દીધું છે, તે મારો પોતાનો નિર્ણય હતો.'

Mandana-Karimi1
navbharattimes.indiatimes.com

વીડિયોમાં, મંદાનાએ એમ પણ કહ્યું કે, 18 વર્ષની ઉંમરે ઈરાન છોડવા છતાં, તે તેનો દેશ છે. તેને તેના વિશે અભિપ્રાય રાખવાનો અધિકાર છે. તેણે કહ્યું કે તે જે ઇન્ટરવ્યુ આપી રહી છે તે પોતાના માટે નથી, પરંતુ ઈરાન માટે છે. તે પોતાના વિશે વાત કરવા માંગતી નથી, પરંતુ ફક્ત તેના દેશ વિશે વાત કરવા માંગે છે.

https://www.instagram.com/reel/DVgj5gUCDRM/

મંદાનાએ કહ્યું કે, જે મહત્વનું છે તે ઇસ્લામિક રિપબ્લિક વિશે સત્ય છે અને આ શાસનનો અંત શા માટે મહત્વપૂર્ણ છે. જે મહત્વનું છે તે ઈરાનીઓનો અવાજ છે જે સ્વતંત્રતા માટે બધું જોખમમાં મૂકી રહ્યા છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, મંદાનાએ એમ પણ કહ્યું કે, તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

Mandana-Karimi3
jagran.com

અભિનેત્રીએ કહ્યું કે, તેની ટિપ્પણીઓને સનસનાટીભરી બનાવવામાં આવી રહી છે, જ્યારે તે ફક્ત ઈરાન અને તેના લોકો વિશે વાત કરવા માંગતી હતી.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 20-04-2026 વાર- સોમવાર મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

યુકે ચાર્ટર્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એક્સપોર્ટ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેડના ડાયરેક્ટર જનરલ માર્કો ફોર્જિયોને જણાવ્યું છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ (...
World 
સ્ટ્રેટ ઓફ હોર્મૂઝ કાલે ખુલે તો પણ તેની અસર મહિનાઓ સુધી રહેશે: નિષ્ણાતોની ચેતવણી

રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

ભારત અને રશિયા વચ્ચે સંરક્ષણ સહયોગને મજબૂત બનાવતો એક મહત્વપૂર્ણ કરાર હવે અમલમાં આવ્યો છે. ફેબ્રુઆરી 2025માં નવી દિલ્હી...
World 
રશિયા જશે 3000 ભારતીય સૈનિકો, 10 ફાઇટર જેટ-5 યુદ્ધ જહાજો; જાણો શું છે મેગા ડિફેન્સ પ્લાન

‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી

શનિવારે, લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત થયા બાદ, તિરુવનંતપુરમના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સંસદીય...
Politics 
‘કોઈ મને મહિલા વિરોધી નહીં કહી શકે’, શશિ થરૂરે કિરેન રિજિજૂ સાથેની તસવીર શેર કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.