US ટ્રેડ ડીલથી ભારતીય ખેડૂતો અને કંપનીઓને શું ફાયદો અને કેટલું નુકસાન? જાણો બધું જ

શુક્રવાર, 6 ફેબ્રુઆરીના રોજ, યુનાઇટેડ સ્ટેટ્સ (US) અને ભારતે વચગાળાના વેપાર કરાર માટેનું માળખું બહાર પાડ્યું. આ પગલું બંને દેશો વચ્ચે લાંબી વાટાઘાટો થયા પછી અમલમાં મુકવામાં આવ્યું છે. ચાલી રહેલી વેપાર સમસ્યાઓને હળવી કરવા, ટેરિફ ઘટાડવા અને બંને દેશોમાં વ્યવસાયોને તાત્કાલિક રાહત આપવા માટે કેટલાક નિર્ણયો અસ્થાયી રૂપે લાગુ કરવામાં આવશે. પાછળથી, બંને પક્ષો આ કરારને અંતિમ સ્વરૂપ આપશે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, નવા કરાર હેઠળ, US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. ઘટાડેલા ટેરિફ 7 ફેબ્રુઆરીના રોજ સવારે 10:30 વાગ્યેથી અમલમાં આવી ગયા. આનાથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળવાની અપેક્ષા છે. એક સંયુક્ત નિવેદનમાં, બંને દેશોએ કહ્યું કે, તેઓ આ વચગાળાના કરારને તાત્કાલિક અમલમાં મૂકશે. આ ઉપરાંત, તેઓ સંપૂર્ણ અને કાયમી દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પૂર્ણ કરવા માટે કામ કરશે.

India-US-Trade-Deal1
krishipitaara.com

નિવેદન અનુસાર, આ વાટાઘાટો 13 ફેબ્રુઆરી, 2025ના રોજ US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના PM નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી. સંયુક્ત નિવેદનમાં આ સમગ્ર વિકાસને 'એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ' ગણાવવામાં આવ્યો છે.

વચગાળાના વેપાર કરાર હેઠળ, ભારત અમેરિકાથી આયાત થતી તમામ ઔદ્યોગિક ચીજવસ્તુઓ અને અનેક કૃષિ પેદાશો પરના ટેરિફ દૂર કરશે અથવા ઓછો કરશે. આમાં સૂકા અનાજ, પશુ આહાર માટે લાલ જુવાર, ડ્રાયફ્રૂટ્સ, તાજા ફળો, સોયાબીન તેલ, વાઇન અને સ્પિરિટનો સમાવેશ થાય છે.

India-US-Trade-Deal
thelallantop.com

આ ઉપરાંત, ભારતે અમેરિકાથી આયાત થતા તબીબી ઉપકરણો, IT અને કૃષિ પેદાશો પરના બોજારૂપ નિયમો અને ઔપચારિકતાઓ ઘટાડવી પડશે, એટલે માત્ર કર જ નહીં, પરંતુ લાઇસન્સ, પ્રમાણપત્રો અને પરીક્ષણ જેવા અવરોધોને પણ હળવા કરવા પડશે. આ સાથે, ભારત આગામી પાંચ વર્ષમાં ઊર્જા, વિમાન, કિંમતી ધાતુઓ, ટેકનોલોજી અને કોકિંગ કોલ જેવા 500 બિલિયન US ડૉલર મૂલ્યની અમેરિકન વસ્તુઓ ખરીદશે.

India-US-Trade-Deal2
prabhasakshi.com

આના બદલામાં, US ભારતીય માલ પરના તેના પારસ્પરિક ટેરિફ દરને 18 ટકા સુધી ઘટાડશે. જો કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો US સામાન્ય દવાઓ, રત્નો અને હીરા અને વિમાનના ભાગો જેવા પસંદગીના ભારતીય ઉત્પાદનો પરના ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરશે. આનાથી ભારતને મોટા પ્રમાણમાં રાહત મળવાની અપેક્ષા છે.

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, સંવેદનશીલ કૃષિ ક્ષેત્રોને સુરક્ષિત કરવામાં આવ્યા છે. મકાઈ, ઘઉં, ચોખા, સોયા, દૂધ, ચીઝ, માંસ, મરઘા ઉછેર, ઇથેનોલ, તમાકુ અને કેટલાક શાકભાજી પર કોઈ ટેરિફ છૂટ આપવામાં આવી નથી, જેનાથી ખેડૂતો અને ડેરી ઉત્પાદકોની આજીવિકા સુરક્ષિત રહે.

India-US-Trade-Deal3
navbharattimes.indiatimes.com

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આ કરારને ઐતિહાસિક સિદ્ધિ ગણાવી. તેમણે કહ્યું કે, આનાથી ભારતીય નિકાસકારો માટે 30 ટ્રિલિયન ડૉલરનું બજાર ખુલશે. આનાથી ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો (MSME), ખેડૂતો અને માછીમારોને ફાયદો થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, દેશભરમાં મહિલાઓ અને યુવાનો માટે લાખો નવી રોજગારીની તકો ઉભી થવાની અપેક્ષા છે.

આ કરાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારતીય માલ પર US ટેરિફ 50 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની જાહેરાત કર્યા પછી આવ્યો છે. ગયા વર્ષે, અમેરિકાએ ભારત પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો, ત્યારપછી રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે વધુ 25 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026ની પહેલી મેચ અમેરિકા સામે જીતી હતી. આ મેચમાં ભારતીય બેટિંગે ફેન્સના હૃદયના...
Sports 
શું ભારતીય ટીમ ખરેખર અમેરિકા સામે ઓવર કોન્ફિડેન્ટ થઈ ગઈ હતી?

ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

રાજસ્થાનના ભીલવાડાના એક પાર્કમાં અનેક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા. કારણ સામે આવ્યું તો લોકો વચ્ચે તે ચર્ચાનો વિષય બની ગયું....
National 
ઝાડની આડમાં યુગલો બેસતા હતા, પાર્કના વૃક્ષો જ કાપી નાખ્યા, મહિલાઓએ કર્યો વિરોધ

ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

ગુજરાતના રાજકારણમાં આગામી સમયમાં જાહેર થનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, તેવા ટાણે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ...
Politics 
ગુજરાત કોંગ્રેસના નેતા બોલ્યા- ‘એક માણસથી કોંગ્રેસ ન ચાલે, ઇન્દ્રનીલ રાજ્યગુરુએ...’

શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

ભારત અને અમેરિકા વચ્ચે તાજેતરમાં થયેલી ટ્રેડ ડીલની ખૂબ જ ચર્ચા ચર્ચા ચાલી રહી છે. તેની કિંમત કદાચ સામાન્ય...
Business 
શું પેટ્રોલના ભાવ 100ને વટાવી જશે? ટ્રમ્પના કારણે એક ઝટકે વધવાની થઈ રહી છે ચર્ચા

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.