આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ)

આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગ માત્ર કર વસૂલવાનું માધ્યમ નથી પણ રાષ્ટ્રના વિકાસનો એક મજબૂત આધાર સ્તંભ છે. PM નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આયકર વિભાગે ઘણા સુધારાઓ અને ડિજિટલ પરિવર્તન દ્વારા કરદાતાઓ માટે વધુ પારદર્શક, સરળ અને વિશ્વાસપાત્ર વ્યવસ્થા ઊભી કરી છે.

આયકર વિભાગનું સૌથી મોટું યોગદાન સરકારની આવકમાં છે. આજે ભારતની કુલ આવકમાં સીધા કર (આયકર)નો હિસ્સો ૬૦%થી વધુ છે. આ રકમ દેશના મૂળભૂત વિકાસ  જેવાકે માર્ગો, રેલવે, એરપોર્ટ, હોસ્પિટલો, શાળાઓ, સંરક્ષણ અને જાહેર સાહસો અને પ્રજાલક્ષી યોજનાઓમાં વપરાય છે. શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ અને રોજગારીની તકો વધારવામાં આયકરની  આવક મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે દરેક કરદાતા પોતાના કર દ્વારા સીધો રાષ્ટ્રના નિર્માણમાં અપ્રત્યક્ષ ભાગીદાર બને છે.

02

તાજેતરના વર્ષોમાં ‘ફેસલેસ એસેસમેન્ટ’, ‘ફેસલેસ અપીલ’ અને ઈ-ફાઈલિંગ જેવી સુવિધાઓએ કર વ્યવસ્થાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવી છે. કરદાતાઓએ હવે ઘરબેઠા ITR ફાઈલ કરી શકે છે, રિફંડ મેળવી શકે છે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ITR રિફંડની ઝડપી પ્રક્રિયા અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે દેશના કરદાતાઓનો વિશ્વાસ વધાર્યો છે. આજે ભારતમાં કરદાતાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જે voluntary compliance નો સ્પષ્ટ સંકેત છે. 

આયકર વિભાગે કાળા નાણાં સામે અને અર્થતંત્રને સુધારવામાં પણ મહત્વનું કામ કર્યું છે. વિશિષ્ટ સુધારાઓને કારણે કરચોરી ઘટી છે અને આર્થિક વ્યવસ્થા વધુ મજબૂત બની છે. આ વિભાગની ટીમ દિવસ રાત કામ કરીને દેશના હિતમાં સેવા આપે છે જે એક પ્રશંસનીય વિષય છે.

01

આયકર ભરવું એ માત્ર કાયદાકીય ફરજ નથી પરંતુ દેશપ્રેમનું પ્રતીક પણ છે. જ્યારે આપણે કર ભરીએ છીએ ત્યારે આપણે એક સમૃદ્ધ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ છીએ. આયકર વિભાગ આપણા સૌના સહયોગથી ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યો છે. એટલે પ્રથમ એક જાગૃત નાગરિત તરીકે આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાનું બોરસર ગામ આ વખતે કોઈ ઉત્સવ માટે નહીં, પરંતુ સંસ્કારોની સુનામી માટે ચર્ચામાં છે! મધ્ય...
National 
મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધતાં સોનાના ભાવ ઘટી ગયા, ચાંદીએ ચમક ગુમાવી... ભાવ ક્યાં સુધી જશે?

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ શરૂ થયા પછી સોના અને ચાંદીના ભાવમાં ફરીથી દબાણ જોવા મળી રહ્યું છે. પાકિસ્તાનમાં...
Business 
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો ભય વધતાં સોનાના ભાવ ઘટી ગયા, ચાંદીએ ચમક ગુમાવી... ભાવ ક્યાં સુધી જશે?

ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે? અમિત શાહે જણાવી બે વિશેષતા

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ખૈરાસોલમાં એક રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું કે, જો ભાજપ...
Politics 
ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળના આગામી મુખ્યમંત્રી કોણ હશે? અમિત શાહે જણાવી બે વિશેષતા

મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દારૂના વેચાણ સાથે સંકળાયેલા તમામ સરકારી ઉપક્રમોના છેલ્લા 5 વર્ષના નાણાકીય રેકોર્ડનું કડક ક્રોસ-વેરિફિકેશન કરવાના નિર્દેશો...
Politics 
મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો મોટો નિર્ણય: દારૂના વેચાણના 5 વર્ષના રેકોર્ડનું ક્રોસ-વેરિફિકેશન થશે; 2 મહિનાનું અલ્ટીમેટમ
Copyright (c) Khabarchhe All Rights Reserved.