આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ)

આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ વિભાગ માત્ર કર વસૂલવાનું માધ્યમ નથી પણ રાષ્ટ્રના વિકાસનો એક મજબૂત આધાર સ્તંભ છે. PM નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આયકર વિભાગે ઘણા સુધારાઓ અને ડિજિટલ પરિવર્તન દ્વારા કરદાતાઓ માટે વધુ પારદર્શક, સરળ અને વિશ્વાસપાત્ર વ્યવસ્થા ઊભી કરી છે.

આયકર વિભાગનું સૌથી મોટું યોગદાન સરકારની આવકમાં છે. આજે ભારતની કુલ આવકમાં સીધા કર (આયકર)નો હિસ્સો ૬૦%થી વધુ છે. આ રકમ દેશના મૂળભૂત વિકાસ  જેવાકે માર્ગો, રેલવે, એરપોર્ટ, હોસ્પિટલો, શાળાઓ, સંરક્ષણ અને જાહેર સાહસો અને પ્રજાલક્ષી યોજનાઓમાં વપરાય છે. શિક્ષણ, આરોગ્ય, ગરીબી નિવારણ અને રોજગારીની તકો વધારવામાં આયકરની  આવક મહત્વની ભૂમિકા ભજવે છે. આ રીતે દરેક કરદાતા પોતાના કર દ્વારા સીધો રાષ્ટ્રના નિર્માણમાં અપ્રત્યક્ષ ભાગીદાર બને છે.

02

તાજેતરના વર્ષોમાં ‘ફેસલેસ એસેસમેન્ટ’, ‘ફેસલેસ અપીલ’ અને ઈ-ફાઈલિંગ જેવી સુવિધાઓએ કર વ્યવસ્થાને વધુ પારદર્શક અને નિષ્પક્ષ બનાવી છે. કરદાતાઓએ હવે ઘરબેઠા ITR ફાઈલ કરી શકે છે, રિફંડ મેળવી શકે છે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. ITR રિફંડની ઝડપી પ્રક્રિયા અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમે દેશના કરદાતાઓનો વિશ્વાસ વધાર્યો છે. આજે ભારતમાં કરદાતાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે જે voluntary compliance નો સ્પષ્ટ સંકેત છે. 

આયકર વિભાગે કાળા નાણાં સામે અને અર્થતંત્રને સુધારવામાં પણ મહત્વનું કામ કર્યું છે. વિશિષ્ટ સુધારાઓને કારણે કરચોરી ઘટી છે અને આર્થિક વ્યવસ્થા વધુ મજબૂત બની છે. આ વિભાગની ટીમ દિવસ રાત કામ કરીને દેશના હિતમાં સેવા આપે છે જે એક પ્રશંસનીય વિષય છે.

01

આયકર ભરવું એ માત્ર કાયદાકીય ફરજ નથી પરંતુ દેશપ્રેમનું પ્રતીક પણ છે. જ્યારે આપણે કર ભરીએ છીએ ત્યારે આપણે એક સમૃદ્ધ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપીએ છીએ. આયકર વિભાગ આપણા સૌના સહયોગથી ભારતને વિશ્વની અગ્રણી આર્થિક શક્તિ બનાવવાના માર્ગે આગળ વધી રહ્યો છે. એટલે પ્રથમ એક જાગૃત નાગરિત તરીકે આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાને દિલ્હી એક્સાઇઝ પોલિસી (દારૂ નીતિ) કેસમાં મોટી રાહત મળી...
National 
નિર્દોષ જાહેર થતા કેજરીવાલ ભાજપ પર વરસ્યા, કહ્યું- આઝાદ ભારતમાં પહેલીવાર...

આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

(ઉત્કર્ષ પટેલ) આયકર વિભાગ (Income Tax Department) એ આપણા ભારત દેશના આર્થિક વિકાસ અને પ્રગતિમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ...
Opinion 
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે

વોટ્સએપ યુઝર્સ... 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે; આ એપ હવે પહેલાની જેમ કામ નહીં કરે

દેશમાં 1 માર્ચ, 2026થી એક નવો નિયમ અમલમાં આવશે, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ...
Tech and Auto 
વોટ્સએપ યુઝર્સ... 1 માર્ચથી સિમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે; આ એપ હવે પહેલાની જેમ કામ નહીં કરે

‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારતીય ક્રિકેટ અંગે વિવાદાસ્પદ નિવેદનોનો દોર શરૂ થયો છે. વર્તમાન T20 વર્લ્ડ કપને લઈને રાજ્યમાં રાજકીય ગરમાવો વધી...
Politics 
‘શમી અને સિરાજને મુસ્લિમ હોવાને કારણે તકો મળી રહી નથી...’, AIMIM અને SP નેતાઓના વિવાદાસ્પદ નિવેદન
Copyright (c) Khabarchhe All Rights Reserved.