મધ્ય પ્રદેશનું આ ગામ બન્યું ગાળ મુક્ત! જીભ લપસી તો 'જગ્યા પર' કાર્યવાહી, જાણો કેવી રીતે

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લાનું બોરસર ગામ આ વખતે કોઈ ઉત્સવ માટે નહીં, પરંતુ સંસ્કારોની સુનામી માટે ચર્ચામાં છે! મધ્ય પ્રદેશનું પહેલું ગાળ મુક્ત મોડેલ ગામ બન્યા બાદ, અહીંની હવામાં હવે ગાળો નહીં, પરંતુ સારા સંસ્કારોની સુગંધ વહી રહી છે. અહી રસ્તાઓ પર પગ મુકતા જ સ્પષ્ટ શબ્દોમાં લખેલું જોવા મળે છે, 'ગાળોની એન્ટ્રી બેન..'

જો કોઈ ગાળો બોલતા પકડાય છે, તો તેને 500 રૂપિયાનો દંડ અને એક કલાક માટે ગામ સાફ કરવાનો દંડ ફટકારવામાં આવે છે. આમાં તાત્કાલિક, સ્થળ પર જ કાર્યવાહી થાય છે. ભલે તે સામાન્ય નાગરિક હોય કે પ્રભાવશાળી વ્યક્તિ, જો ગાળો આપશે તો કાર્યવાહી થશે એ નક્કી છે.

borsar-village1
divyabhaskar.co.in

ગ્રામજનોએ શું કહ્યું?

ગ્રામજનોએ કહ્યું કે આ પહેલથી ખૂબ ફાયદા થયા છે, જો આ બધુ બંધ થઈ જાય તો સારું છે. ગાળા-ગાળીથી તો ઘણીવાર ઝઘડા થાય છે;, લડાઈ થઈ છે, આને રોકવાથી ગામ સારું બની જશે. અમે આ નિયમ સાથે મજબૂત રીતે ઉભા છીએ; આ મુદ્દો ઉઠાવવા આવ્યો તો અમે ત્યારથી જ તેનું પાલન કરવાનો સંકલ્પ કર્યો.

ગામના યુવાનો હવે 'ગાળો પકડો સ્પેશિયલ ફોર્સ'નો હિસ્સો બની ગયા છે. આ ટીમ સતત દેખરેખ રાખે છે. અને નિયમ તોડનારાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરે છે. જો કોઈ ભૂલ કરે છે, તો આ ટીમ એવી રીતે જ પકડશે જે રીતે પોલીસ 'મોસ્ટ-વોન્ટેડ' ગુનેગારોને પકડે છે. ગ્રામ પંચાયત અને સામાજિક કાર્યકર અશ્વિન પાટીલના નેતૃત્વમાં આ નવીન પહેલે ગામની સામૂહિક માનસિકતાને ખરેખર અપગ્રેડ કરી દીધી છે. બાળકોના મોઢેથી ગાળો ગાયબ અને તેના સ્થાને પુસ્તકોની સુગંધ મહેકી રહી છે.

ગામવાસીઓ ગર્વથી જણાવે છે કે ગામમાં નવી ખુલેલું પુસ્તકાલય હવે સંસ્કારોની ઉર્જા ફેલાવી રહ્યું છે. આજે, બોરસર હવે ફક્ત એક ગામ નથી; તે ખરેખર સંસ્કારોની પ્રયોગશાળા બની ચૂક્યું છે. જ્યાંથી ઉઠેલી એક ક્રાંતિએ મોટા શહેરોને પણ શરમમાં મૂકે છે.

About The Author

Related Posts

Top News

જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના...
Gujarat 
જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તેને તોડી નાખીશું અને..., સુરતમાં AAP કોર્પોરેટર પાયલ સાકરિયાના ભાજપ પર મોટા આરોપો

2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

રાજ્યસભાsના સભ્ય બનવાથી નીતિશ કુમારનું ન માત્ર રહેઠાણનું સરનામું બદલાયું છે, પરંતુ તેમનો પગાર, સુવિધાઓ, ...
Politics 
2.80 લાખ પગાર, Z-પ્લસ સુરક્ષા, અને... બિહારના મુખ્યમંત્રી પદ છોડીને સાંસદ બેનેલા નીતિશ કુમાર માટે શું-શું બદલાયું?

છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી...
Gujarat 
છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરાઈ? અધિકારીઓને ઘરે ભેગા કરો, જમીનના કેસને લઇને હાઇ કોર્ટ કડક

વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં શાનદાર શરૂઆત કરનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે રાજસ્થાન રોયલ્સની (RR)ની...
Sports 
વૈભવ સૂર્યવંશી રાજસ્થાન રોયલ્સથી કેમ છે નારાજ
Copyright (c) Khabarchhe All Rights Reserved.