સરકારને મિલકતની વિગતો આપવામાં નિષ્ફળ રહેલા UPના 68000થી વધુ કર્મચારીઓનો પગાર રોકી દેવાયો

ઉત્તર પ્રદેશ સરકારે ભ્રષ્ટાચાર સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિને વધુ લાગુ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. માનવ સંપદા પોર્ટલ પર તેમની સ્થાવર અને જંગમ સંપત્તિની વિગતો અપલોડ કરવામાં નિષ્ફળ રહેલા 68,236 રાજ્ય કર્મચારીઓના પગાર રોકી દેવામાં આવ્યા છે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કર્મચારીઓ તેમની મિલકતની વિગતો ઓનલાઈન સબમિટ ન કરે ત્યાં સુધી પગાર આપવામાં આવશે નહીં. યોગી સરકારે રાજ્યના કર્મચારીઓ માટે મિલકતની વિગતો ઓનલાઈન સબમિટ કરવાનું ફરજિયાત બનાવ્યું છે, જેમાં રાજ્યના IAS, IPS, PPS અને PCS અધિકારીઓની સાથે સાથે રાજ્યના તમામ કર્મચારીઓ માટે તે અપલોડ કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

મુખ્ય સચિવ SP ગોયલે અગાઉ તમામ વિભાગોને સૂચનાઓ મોકલી આપી હતી કે બધા અધિકારીઓ અને કર્મચારીઓ 31 જાન્યુઆરી સુધીમાં માનવ સંપદા પોર્ટલ પર તેમની મિલકતની વિગતો અપલોડ કરે. તેમ છતાં, મોટી સંખ્યામાં કર્મચારીઓએ તેનું પાલન કર્યું ન હતું. તેથી સરકારે હવે આને ગંભીર બેદરકારી ગણાવીને તેઓનો પગાર અટકાવી દીધો છે.

07

સરકારી કર્મચારીઓના આચાર નિયમો, 1956ના નિયમ 24 હેઠળ, રાજ્યમાં વર્ષ 2025 સુધી 8,66,261 કર્મચારીઓએ પોતાની સ્થાવર અને જંગમ સંપત્તિઓની વિગતો 31 જાન્યુઆરી સુધીમાં માનવ સંપદા પોર્ટલ પર સબમિટ કરવાની હતી. તમામ વિભાગોના નોડલ અધિકારીઓ અને ચુકવણી અધિકારીઓને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, 31 જાન્યુઆરી સુધીમાં તેમની મિલકતની વિગતો અપલોડ કરવામાં નિષ્ફળ રહેલા લોકોના પગાર રોકી દેવામાં આવશે.

સરકારી માહિતી અનુસાર, જે લોકોએ તેમની મિલકતની વિગતો સબમિટ કરવામાં નિષ્ફળ રહ્યા છે તેમાં તમામ શ્રેણીના કર્મચારીઓનો સમાવેશ થાય છે. ત્રીજી શ્રેણીના 34,926 અધિકારીઓ અને કર્મચારીઓ, ચોથી શ્રેણીના 22,624, બીજી શ્રેણીના 7,204 અને પ્રથમ શ્રેણીના 2,628 અધિકારીઓ સમયમર્યાદા સુધીમાં તેમની માહિતી અપલોડ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે બેદરકારી ફક્ત નીચલા સ્તર સુધી મર્યાદિત નહોતી.

08

યાદીમાં જાહેર બાંધકામ વિભાગ, મહેસૂલ, શિક્ષણ, આરોગ્ય, સમાજ કલ્યાણ અને અન્ય મુખ્ય વિભાગોના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. સરકાર માને છે કે પારદર્શિતા વધારવા અને ભ્રષ્ટાચારને રોકવા માટે સંપત્તિનો ફરજિયાત ખુલાસો કરવો જરૂરી છે. આ હેતુ માટે, માનવ સંસાધન પોર્ટલ પર ડિજિટલ રેકોર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.

સરકારે એ પણ સ્પષ્ટતા કરી છે કે, પગાર રોકવો એ એકમાત્ર ઉપાય નથી. જો કર્મચારીઓ તેમની વિગતો તાત્કાલિક અપલોડ નહીં કરે તો તેમની સામે વિભાગીય શિસ્તભંગની કાર્યવાહી શરૂ થઈ શકે છે. અધિકારીઓને તેમના સંબંધિત વિભાગોમાં પેન્ડિંગ કેસોની સમીક્ષા કરવા સૂચના આપવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ કાઢી નાખ્યું?

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત 27 વર્ષીય બહાદુર સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ (SWAT) કમાન્ડો કાજલે મંગળવારે સવારે સારવાર...
National 
પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ કાઢી નાખ્યું?

સરકારને મિલકતની વિગતો આપવામાં નિષ્ફળ રહેલા UPના 68000થી વધુ કર્મચારીઓનો પગાર રોકી દેવાયો

ઉત્તર પ્રદેશ સરકારે ભ્રષ્ટાચાર સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિને વધુ લાગુ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. માનવ સંપદા પોર્ટલ પર...
National 
સરકારને મિલકતની વિગતો આપવામાં નિષ્ફળ રહેલા UPના 68000થી વધુ કર્મચારીઓનો પગાર રોકી દેવાયો

સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!

મહારાષ્ટ્રના DyCM અજિત પવારના વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન પછી NCP સાથે વિલયની ચર્ચાઓ તેજ થઈ હતી. 28મી તારીખે તેમનું...
National 
સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!

સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

મધ્યમ વર્ગ આવકવેરામાં સૌથી મોટી રાહતની અપેક્ષા રાખતો હતો. આવું થયું નહીં. જોકે, આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા...
Business 
સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.