સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!

મહારાષ્ટ્રના DyCM અજિત પવારના વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન પછી NCP સાથે વિલયની ચર્ચાઓ તેજ થઈ હતી. 28મી તારીખે તેમનું અવસાન થયું અને 29મી તારીખે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 30મી જાન્યુઆરીએ અજિત પવારના પુત્રોએ તેમના પિતાની અસ્થિ નદીમાં વિસર્જન કરી. બીજા દિવસે, અજિત પવારની પત્ની, સુનેત્રા પવારે, સાંજે DyCM તરીકે શપથ લીધા, અને આજે સવારે, સૂત્રોએ ખુલાસો કર્યો કે અજિતના પુત્ર, જય પવાર, રાજ્યસભામાં ચૂંટાશે. સૂત્રો કહે છે કે BJP પાર્થ પવારના પક્ષમાં નથી.

BJP જય પવારના નામ સાથે સંમત છે પણ પાર્થના નામ સાથે નહીં, કારણ કે તેમના પર પહેલાથી જ એક જમીન કૌભાંડમાં આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે, જ્યારે શરદ પવાર અને અજિત પવાર જૂથના નેતાઓ વિલયની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે શપથ ગ્રહણ કરવાનો અને પુત્રને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય બે દિવસમાં કેમ લેવામાં આવ્યો?

Sunetra-Pawar3
hindi.news24online.com

મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બંને જૂથો વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી હતી, અને અગાઉના કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં શરદ પવાર મધ્યમાં બેઠા છે અને અજિત પવાર તેમની બાજુમાં બેઠા છે. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે અજિત ઇચ્છતા હતા કે બંને જૂથો એક થાય. તો પછી પ્રશ્ન એ છે કે શું BJP બંને જૂથો એક થાય તેવું ઇચ્છતું નથી? આ પાછળ BJPનો હેતુ શું હોઈ શકે?

જો શરદ પવાર અને અજિતના જૂથો એક થાય છે, તો તે BJP માટે પડકારો ઉભા કરી શકે છે, તેવી રીતે જો તેઓ અલગ રહે છે તો પડકાર નથી આવતા, કારણ કે અજિતની છાવણી તેમની સાથે જોડાયેલી રહેશે. પ્રફુલ્લ પટેલ જેવા નેતાઓ BJP તરફ ઝુકાવ ધરાવે છે. એકીકરણ થવાથી સત્તા શરદ પવારના હાથમાં જઈ શકતી હતી, જેનાથી BJP માટે તેમને ખુશ કરવાનું મુશ્કેલ બનાતે. શરદ પવારે એમ પણ કહ્યું હતું કે, બંને પક્ષો સાથે આવવા માંગતા હતા, પરંતુ BJPની સંડોવણીનો કોઈ ઉલ્લેખ નહોતો. દલીલ એ પણ કરવામાં આવી રહી છે કે, જો બંને જૂથો સાથે આવ્યા હોત તો શું અજિત પવાર સરકાર છોડી દેત? જો આવું થયું હોત, તો DyCM શિંદેનું જૂથ પ્રબળ બન્યું હોત. BJPમાં આ ડર યથાવત છે, જેના કારણે કદાચ પાર્ટી ઉતાવળમાં છે.

Sunetra-Pawar3
hindi.news24online.com

BJPના રાજકીય હિતમાં એ જ છે કે, બંને NCP જૂથો અલગ રહે. સુનેત્રા પવારને ઉતાવળમાં DyCM તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, કદાચ તેમના આખા પરિવારમાં પણ આ બાબતની ચર્ચા કર્યા વિના. શરદ પવારે તો એમ પણ કહ્યું હતું કે, તેમને આ વાતની જાણ નહોતી. ભલે બંને જૂથો અલગ હોય, પણ આ દુઃખદ સમયમાં આખો પરિવાર એક થશે. જો શરદ પવાર ખરેખર સુનેત્રા પવારની DyCM તરીકે નિયુક્તિથી અજાણ હોતે, તો એ સ્પષ્ટ છે કે બંને જૂથો વચ્ચેની તિરાડ હજુ પણ યથાવત છે.

DyCM એકનાથ શિંદે પણ BJP માટે મોટી ચિંતાનો વિષય છે. અજિત પવારના મૃત્યુ પછી, એવું કહેવામાં આવ્યું હતું કે, તેમણે જ BJP વતી શિંદેનું સંચાલન કર્યું હતું, કારણ કે DyCM એકનાથ શિંદેને એક કઠોર સોદાબાજ માનવામાં આવે છે અને તેઓ કોઈપણ બાબતમાં જલ્દી સહમત થતા નથી. BMC મેયર પદને લગતા તણાવને ટાળવા માટે, BJP અજિત પવારના જૂથનો ટેકો જાળવી રાખવા માંગતો હશે, જેથી DyCM એકનાથ શિંદે વિના પણ સરકાર તેની સંખ્યા જાળવી રાખે.

Sunetra-Pawar6
updatenownews.com

મીડિયા સૂત્ર બતાવે છે કે, મહારાષ્ટ્રની શાસક સરકારનો ભાગ BJP અને શિવસેના હિન્દુ મુદ્દાઓ ઉઠાવે છે, પરંતુ અજિત પવારની પાર્ટીએ સતત ધર્મનિરપેક્ષ મુદ્દાઓને સમર્થન આપ્યું છે, જેના કારણે મુસ્લિમ મતો જાળવી રાખ્યા છે. તેમણે સતત કહ્યું છે કે તેઓ ફૂલે, શાહુ અને આંબેડકરના વિચારોને મરવા નહીં દે. આ જ કારણ છે કે મુસ્લિમો ઠાકરે, કોંગ્રેસ કે NCPના અન્ય જૂથો પાસે જશે નહીં. આ એક ઇરાદાપૂર્વકની રાજકીય રણનીતિનો ભાગ છે.

અજિત પવારે નાણાં મંત્રાલય સંભાળ્યું હતું, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં, તેમના જૂથમાં આ જવાબદારી સંભાળવા માટે સક્ષમ કોઈ મજબૂત નેતા નહોતો. પરિણામે, આ વખતે CM પોતે બજેટ રજૂ કરશે. આ રીતે, BJPએ ચુપકેથી તિજોરીની ચાવી પોતાની પાસે જ લઇ લીધી છે.

Sunetra-Pawar-Parth-Pawar
republicbharat.com

BJP જાણે છે કે જો અજિત પવારનો જૂથ સક્રિય રહેશે, તો શરદ પવારની શક્તિ ઓછી થશે. જો બંને જૂથો એક થાય, તો NCPની તાકાત એટલી વધી શકે છે કે જે BJPને પડકાર આપી શકે. મહારાષ્ટ્રમાં નંબર વન બનનારી BJP ચોક્કસપણે આવું કંઇક થાય તેવું ઇચ્છશે નહીં.

About The Author

Related Posts

Top News

પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ કાઢી નાખ્યું?

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં તૈનાત 27 વર્ષીય બહાદુર સ્પેશિયલ વેપન્સ એન્ડ ટેક્ટિક્સ (SWAT) કમાન્ડો કાજલે મંગળવારે સવારે સારવાર...
National 
પ્રેમ લગ્ન, કરિયાવરની માંગણી અને ડમ્બલથી... પતિએ દિલ્હી પોલીસની કમાન્ડો પત્નીનું કેવી રીતે કરી કાસળ કાઢી નાખ્યું?

સરકારને મિલકતની વિગતો આપવામાં નિષ્ફળ રહેલા UPના 68000થી વધુ કર્મચારીઓનો પગાર રોકી દેવાયો

ઉત્તર પ્રદેશ સરકારે ભ્રષ્ટાચાર સામે શૂન્ય-સહિષ્ણુતા નીતિને વધુ લાગુ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે. માનવ સંપદા પોર્ટલ પર...
National 
સરકારને મિલકતની વિગતો આપવામાં નિષ્ફળ રહેલા UPના 68000થી વધુ કર્મચારીઓનો પગાર રોકી દેવાયો

સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!

મહારાષ્ટ્રના DyCM અજિત પવારના વિમાન દુર્ઘટનામાં દુ:ખદ અવસાન પછી NCP સાથે વિલયની ચર્ચાઓ તેજ થઈ હતી. 28મી તારીખે તેમનું...
National 
સુનેત્રા પવારને DyCM બનાવ્યા પછી, પુત્ર પર પણ નિર્ણય આટલો જલ્દી કેમ? BJPની આટલી ઉતાવળનું કારણ શું છે!

સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

મધ્યમ વર્ગ આવકવેરામાં સૌથી મોટી રાહતની અપેક્ષા રાખતો હતો. આવું થયું નહીં. જોકે, આવકવેરાના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા...
Business 
સંપત્તિની વિગતો જાહેર નથી કરી નો ટેન્શન.. હવે સજા નહીં, ફક્ત દંડ ભરીને છૂટી જશો; બજેટમાં જાહેરાત

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.