ગોપાલના આરોપો.. ભાજપે રાજકોટ અને સુરતમાં ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કર્યા છે પણ...

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને વિસાવદર બેઠકના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચૂંટાયા બાદ ગુજરાતમાં ખૂબ જ સક્રિય દેખાઈ રહ્યા છે. તેઓ સતત ભાજપ સરકારને ઘેરવાનો પ્રયાસ કરે. અત્યારે જ્યારે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરત અને રાજકોટના ઔદ્યોગિક કંપનીઓના 1100 કરોડ માફ કરવાનો સનસનાટી ભર્યો દાવો કર્યો છે.

તેમણે આ મામલે ફેસબુક પર પોસ્ટ કરી છે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, ભાજપની પોલ ખોલે તેવી માહિતી સામે આવી છે. જ્યારે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ એમ કહ્યું હતું કે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર 300 યુનિટ વીજળી મફત આપે છે. પંજાબમાં પણ આપે છે તો ગુજરાતમાં પણ ગુજરાતમાં સામાન્ય જનતા માટે 300 યુનિટ મફત મળવી જોઇએ. ત્યારે ભાજપના તમામ નેતાઓએ અરવિંદ કેજરીવાલની અને ગુજરાતના સામાન્ય લોકોની મજાક ઉડાવી હતી કે ગુજરાતમાં તો કંઈ જરૂર નથી. ગુજરાતમાં તો મોદી સાહેબ છે એટલે બધા લોકોને વીજળી ગમે તેટલી મોંઘી હોય તોય પોસાય છે. આવી બધી મજાક કરતા હતા. આજે મારો 10 નંબરનો પ્રશ્ન હતો વીજળી મંત્રીને.

gopal
facebook.com/gopalitaliaofficial

તેમણે કહ્યું કે, આ પ્રશ્નના જવાબમાં ખુલાસો થયો છે કે રાજકોટ અને સુરત 2 જ જિલ્લામાં ઔદ્યોગિક એકમોને 1100 કરોડ રૂપિયા વીજળીના પૈસા માફ કર્યા છે. એટલે કે મોટા-મોટા ઉદ્યોગપતિઓ હોય, અને ખાલી આંકડો તો બે જ જિલ્લાનો છે. આખા ગુજરાતમાં આ આંકડો કદાચ 50 હજાર કરોડ રૂપિયાની વીજ માફીનો હોય શકે છે. અમે કહીએ કે, ગરીબોને મફત વીજળી આપો તો ભાજપવાળા મજાક ઉડાવે છે.

1100 કરોડ રૂપિયાની મફત વીજળી ઉદ્યોગપતિ ભાઈબંધ, દોસ્તરો, યારો-મિત્રોને આપી દીધી ગુજરાત સરકારે. તો ભાજપવાળા કોઈ મજાક ઉડાવતા નથી. 2 જિલ્લાઓમાં ઉદ્યોગપતિઓને 1100 કરોડ રૂપિયાની વીજળી મફત આપી. પરંતુ ગરીબ માણસના ઘરે એક પાંખો ફરે, એકાદ નાનો બલ્બ ચાલુ રહે, એકાદ ટ્યૂબલાઈટ એકાદ ઇલેક્ટ્રીક સાધન હોય એમાં ફ્રિજ હોય કે, TV કે વોશિંગ મશીન. આટલી વસ્તુ જો નાનો માણસ વાપરે તો ભાજપને નથી પોસાતું. ત્યારે વીજળી નહીં આપીએ. કેજરીવાલ મફત વીજળી આપે ત્યારે તો તેનો વિરોધ કરવો છે. અને એક તરફ ઉદ્યોગપતિઓ મિત્રોને મફત વીજળી પૂરી પાડવી છે. આ બે મોઢાની વાતો આજે વિધાનસભાના માધ્યમથી ખુલ્લી પડી છે.

Xiaomi-17
navbharattimes.indiatimes.com

તેમણે વધુમાં કહ્યું કે, મેં ઉર્જા મંત્રીને વળતો પ્રશ્ન પૂછ્યો કે આ ઉદ્યોગપતિઓને મફતની વીજળી આપો છો તેના નીતિ નિયમો શું છે? તો તેમણે મને એવો લાંબો લાંબો જવાબ આપ્યો કે સ્પષ્ટ કંઈ સમજાય નહીં. મેં એમ પણ પુછ્યું કે, કેટલી કંપનીઓએ આ મફત વીજળી લેવા અરજી કરી? તે પૈકી કેટલી કંપનીની અરજી મંજૂર થઈ અને કેટલાંય નામંજૂર? તો તેની પણ મને કોઈ ચોક્કસ આંકડાકીય માહિતી મળી નથી. આ સિવાય મેં એમ પણ પુછ્યું કે એ કઈ કંપની છે જેમને તમે મફત વીજળી આપો છો. નામ તો આપો. વિગત તો આપો કે કોણ છે એવા લોકો. જેને સરકારે 1100 કરોડ રૂપિયાની મફત વીજળી આપી કે જાવ લઈ જાવ.

તેમણે કહ્યું કે, એક તરફ ગરીબોને, હમણાં જ આખા ગુજરાતમાં વીજળી કંપનીઓએ સ્પેશિયલ ડ્રાઈવના નામે હદ વટાવી દીધી, અનેક ગરીબ લોકોના ઘરના કનેક્શન કાપ્યા, અનેક લોકોના ઘરે પોલીસ મોકલી, તોડફોડ કરી. અને પૈસા વસૂલવાનું કામ હમણાં જ વીજળી કંપનીઓએ કર્યું. ઉદ્યોગો માટે ગુજરાતમાં મફત વીજળી છે અને ગરીબોએ બિલ ભરી-ભરીને લેણામાં ડૂબી જાય એટલી હદ સુધી તકલીફ ભોગવવાની છે. આજે અરવિંદ કેજરીવાલ કહેતા હતા એ સાબિત થયું. ગુજરાતની ભાજપની સરકાર ઉદ્યોગપતિઓ માટેની પાંચ પચ્ચીસ માળતિયા માટેની સરકાર છે. સામાન્ય માણસને ભાજપની સરકાર કશું જ આપી શકે તેમ નથી. એ મારા વિધાનસભાના 10 નંબરના પ્રશ્નથી સાબિત થયું છે.

About The Author

Related Posts

Top News

પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

કેન્દ્ર સરકાર હવે પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે એક મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવા માટે તૈયાર છે. જો તમે પાન-મસાલા...
National 
પાન-મસાલા ખાનારાઓને સરકાર મોટો ઝટકો આપવા જઈ રહી છે

AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

હજીરા - સુરત, એપ્રિલ 30, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India)ના ગુજરાતના હજીરા સ્થિત ફ્લેગશિપ પ્લાન્ટ ખાતે અદ્યતન પિકલિંગ...
Gujarat 
AM/NS Indiaની નવી ઓટોમોટિવ સ્ટીલ લાઇન, સુરતને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ સશક્ત કરશે

1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

ભારતમાં પેટ્રોલના વિકલ્પ તરીકે ઇથેનોલને જે રીતે 'ક્રાંતિ' ગણાવવામાં આવી રહી છે, તે વાસ્તવમાં ઉર્જા સુરક્ષાના નામે...
National 
1 લીટર ઇથેનોલ બનાવવા 10 હજાર લીટર પાણી વપરાય છે, આની કિંમત કોણ ચૂકવશે?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?

વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય? આ સવાલ ગુજરાતની ચૂંટણીના પરિણામો પછી પૂછાતો થયો છે. શું ગુજરાતમાં લોકશાહી...
National 
વિપક્ષ નબળો પડે તો શું લોકશાહી મરી જાય?
Copyright (c) Khabarchhe All Rights Reserved.