ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે આખો મામલો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવા સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા સાથે સાથે જ પ્રચાર પ્રસાર અભિયાનમાં લાગી ગયા છે. ચૂંટણીનાં માહોલ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દૌર પણ શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે ચૂંટણીનાં માહોલ વચ્ચે અમદાવાદમાં એક કોંગ્રેસ નેતા તસનીમ આલમ તીરમીઝી અને તેમના પુત્રની ધરપકડ થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે.  

તસનીમ આલમ તીરમીઝી અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, અમદાવાદ બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી સહિત તેમના પુત્રની એક જૂના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે, તસનીમ આલમ તીરમીઝીએ ખેડા-નડિયાદના કપડવંજમાં જમીન ખરીદી માટે પોતાને બોગસ ખેડૂત તરીકે દર્શાવ્યા હતા. કપડવંજના પુનાદરા ગામમાં ખેડૂત બનવા માટે તેમને ખોટું પેઢીનામું બનાવ્યું હતું. જે મામલે પનાદરા ગામના તલાટી મંત્રીએ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી આ કેસમાં તેમની અત્યારે ધરપકડ થઈ છે.

congress leader
facebook.com/TasnimAlam9999

જમીન ખરીદી અને બોગસ ખેડૂત બાબતે અમદાવાદના બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી સાથે તેમના પુત્રની પણ ધરપકડ કરાઈ છે. પનાદરા ગામના તલાટી મંત્રીની ફરિયાદ બાદ કપડવંજ પોલીસે ગઈકાલે મોડીરાત્રે આ બંને પિતા-પુત્રની કરી છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાઉન્સિલરો ધરપકડ થતા અનેક તર્ક વિતર્ક ઉભા થયા છે.

પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી ચૂંટણી માટે બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગયાન છે. ચૂંટણી અગાઉ તેમની ધરપકડ થતા ઉભા થયા વિવિધ પ્રકારના તર્ક-વિતર્ક કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ મામલે રાજકિય હિલચાલ શરૂ થઈ છે.

congress leader
facebook.com/TasnimAlam9999

હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં પૂર્વ કાઉન્સિલર તસનીમ આલમ તીરમીઝી બહેરામપુરા વોર્ડમાં કોંગ્રેસના પ્રબળ દાવેદાર હતા. ત્યારે ચૂંટણી પહેલા તેમની ધરપકડ થતા કોંગ્રેસ આ મામલે વિપક્ષ પર આક્ષેપ કરી છે, જેથી આ મુદ્દે હાલ રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

કેજરીવાલે પોતાના કેસના હાઇ કોર્ટના જજ બદલવાની માંગ કરી, હાઈ કોર્ટે ના પાડી દીધી, જજ સામે શું વાંધો છે?

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ફરી એકવાર ન્યાયાધીશ સ્વર્ણકાન્તા શર્માની આગેવાની...
Politics 
કેજરીવાલે પોતાના કેસના હાઇ કોર્ટના જજ બદલવાની માંગ કરી, હાઈ કોર્ટે ના પાડી દીધી, જજ સામે શું વાંધો છે?

ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે આખો મામલો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવા સાથે જ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીઓ પોત પોતાના ઉમેદવારોની જાહેરાત કરવા...
Gujarat 
ચૂંટણીના ગરમાવા વચ્ચે અમદાવાદના પૂર્વ કોર્પોરેટરની ધરપકડ, જાણો શું છે આખો મામલો

અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે ઈરાનની 10 શરતો શું છે? ટ્રમ્પ માની ગયા આ શરતો માટે મોટી વાત કહેવાય

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામનો કરાર થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. ઈરાને...
World 
અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે ઈરાનની 10 શરતો શું છે? ટ્રમ્પ માની ગયા આ શરતો માટે મોટી વાત કહેવાય

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ કેમ ઇશ્યૂ કર્યું, જાણો આખો મામલો

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે બીનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યૂ કર્યું છે. જેને કારણે રાજકીય વાતાવરણમાં નવો ગરમાવો આવી ગયો છે. વર્ષ ...
Gujarat 
મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરન્ટ કેમ ઇશ્યૂ કર્યું, જાણો આખો મામલો
Copyright (c) Khabarchhe All Rights Reserved.