અમેરિકા સાથે યુદ્ધવિરામ માટે ઈરાનની 10 શરતો શું છે? ટ્રમ્પ માની ગયા આ શરતો માટે મોટી વાત કહેવાય

અમેરિકા અને ઈરાન વચ્ચે બે અઠવાડિયા માટે યુદ્ધવિરામનો કરાર થયો છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આની જાહેરાત કરી છે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે 10 શરતો પણ મૂકી છે. આમાં રાહતની માંગણીઓથી લઈને UNને કેટલીક ખાસ અપીલ કરી છે.

ceasefire1
livemint.com

યુદ્ધ સમાપ્ત કરવા માટે ઈરાનની 10 શરતો નીચે મુજબ છે:

કોઈ હુમલો ન કરવામાં આવે; અમેરિકાએ આક્રમકતા ન દર્શાવે.

ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નિયંત્રણ જાળવી રાખશે.

ઈરાનને યુરેનિયમ સંવર્ધન કરવાનો અધિકાર.

ઈરાન સામેન લાગેલા તમામ પ્રતિબંધો હટાવે અમેરિકા.

UN ઈરાન સામે પોતાના ઠરાવો પાછા લે.

ઈરાનને તમામ ગૌણ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવે.

આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના ઠરાવો ફગાવી દેવામાં આવે.

યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ થાય.

અમેરિકા પોતાના તમામ સૈનિકો આ ક્ષેત્રમાંથી પાછા બોલાવે.

લેબનોન અને અન્ય મોરચે હુમલા તાત્કાલિક બંધ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો નિર્ણય લીધો છે અને ઈરાન સામે સંભવિત લશ્કરી કાર્યવાહી બે અઠવાડિયા માટે મુલતવી રાખી છે. તેમણે કહ્યું કે આ દરમિયાન બંને દેશો વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામ રહેશે, એટલે કે ન તો અમેરિકા હુમલો કરશે અને ન તો ઈરાન કોઈ આક્રમક કાર્યવાહી કરશે.

trump
indiatoday.in

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા યુદ્ધવિરામની જાહેરાત અંગે ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઓફ ડેમોક્રેસીઝ (FDD)ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ભૂતપૂર્વ અમેરિકન ટ્રેઝરી, કાઉન્ટર-ટેરેરિઝ્મ વિશ્લેષક જોનાથન શેન્ઝરે કહ્યું કે, ‘મને લાગે છે કે આપણે સૌ પ્રથમ સમજવું પડશે કે આ કરાર પાકિસ્તાનની મધ્યસ્થી દ્વારા કરવામાં આવ્યો હતો. આ એક ખૂબ જ અસામાન્ય ઘટના છે. એક એવો દેશ જે પરંપરાગત રીતે આતંકવાદનો પ્રાયોજક અને ગેરકાયદેસર પરમાણુ પ્રસારક રહ્યો છે, તેણે હવે અમેરિકા અને આતંકવાદ પ્રાયોજક અને ગેરકાયદેસર પરમાણુ પ્રસારક દેશ વચ્ચે યુદ્ધને રોકવા માટે હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાન દ્વારા આવું કરવા પાછળના કારણો મારા માટે પૂરી રીતે સ્પષ્ટ નથી.

About The Author

Related Posts

Top News

'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

બોલિવૂડના ઉભરતા સ્ટાર ગણાતા રણવીર સિંહ સામે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયીઝ (FWICE)એ એક મોટો નિર્ણય લીધો...
Entertainment 
'ડોન 3' છોડવાનો નિર્ણય રણવીર સિંહને મોંઘો પડ્યો! FWICEએ તેના પર પ્રતિબંધ મૂક્યો

થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

થાઈલેન્ડની મુલાકાત લેવાનું વિચારી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે ખરાબ સમાચાર છે. થાઈ સરકારે ભારતીયો માટે 60 દિવસની વીઝા-મુક્ત પ્રવેશ યોજના...
World 
થાઈલેન્ડે ભારતીયોને આપ્યો ઝટકો, વીઝા-ફ્રી એન્ટ્રી બંધ કરી, થાઈ સરકાર ભારતીય પ્રવાસીઓથી કંટાળી ગઈ હતી

કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

સોમવારે સુપ્રીમ કોર્ટે ટ્વિશા શર્માના મૃત્યુના કેસની સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે મીડિયાને પણ આ મામલે સંયમ રાખવાની અપીલ કરી હતી. ...
National 
કિરણ બેદીએ ટ્વિશા શર્મા પર પણ સવાલ ઉઠાવ્યો, તેના સાસુ અને પતિએ શું ભૂલ કરી તે જણાવ્યું

ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...

મુરાદાબાદમાં બનેલી એક ભયાનક ઘટનાએ સંબંધો, વિશ્વાસ અને પરિવારની વ્યાખ્યાઓ અંગે પ્રશ્નો ઉભા કર્યા છે. 6 વર્ષ અગાઉ જે...
National 
ભત્રીજાના પ્રેમમાં પાગલ પત્નીએ પોતાના જ પતિનું કાસળ કાઢી નાખ્યું, પહેલા વીજળીના ઝટકાથી તડપાવ્યો અને પછી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.