ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

(ઉત્કર્ષ પટેલ)

એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય આજે વાસ્તવિકતા બની ગયું છે ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને તેમના વિઝનરી રિલાયન્સ ગ્રુપના કારણે. માર્ચ 2026માં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેક્સાસમાં 300 અબજ ડોલરનું ઐતિહાસિક રોકાણ કરી રહી છે. અમેરિકાના ઇતિહાસમાં 50 વર્ષમાં પહેલો નવો ઓઇલ રિફાઇનરી પ્રોજેક્ટ છે. બ્રાઉન્સવિલમાં આ પ્રોજેક્ટનું ગ્રાઉન્ડબ્રેકિંગ 2026ના બીજા ક્વાર્ટરમાં થશે અને 20 વર્ષના ઓફટેક એગ્રીમેન્ટ સાથે અમેરિકન શેલ ઓઇલનું પ્રોસેસિંગ થશે. આ માત્ર વેપાર નથી પણ ગુજરાતી ઉદ્યોગપતિના વિઝનનું પ્રતીક છે જે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરે છે.

05

મુકેશ અંબાણીની જીવન ગાથા ગુજરાતની માટીમાંથી શરૂ થાય છે. તેમના પિતા ધીરુભાઈ અંબાણી ચોરવાડથી હતા. તેમણે માત્ર કપડાંની દુકાનથી શરૂઆત કરીને વિશ્વની સૌથી આધુનિક રિફાઇનરી સામ્રાજ્યનું નિર્માણ કર્યું. મુકેશ અંબાણીએ આ વારસાને આગળ વધાર્યો. તેમના હૃદય અને વિચારો હંમેશા ગુજરાત અને ભારત સાથે જોડાયેલા રહ્યા. તેમણે સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો પરંતુ પિતાના સ્વપ્નને પૂરું કરવા ભારત પરત આવ્યા. આજે તેઓ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિશ્વના સૌથી સમૃદ્ધ વ્યક્તિઓમાંના એક છે. તેમની નેટવર્થ અબજો ડોલરની છે પરંતુ તેમનો સૌથી મોટો ખજાનો ગુજરાતની અસ્મિતા માટે મહેનત, વિઝન અને સમાજસેવા છે.

રિલાયન્સ ગ્રુપની સફર અદ્ભુત છે. જામનગરમાં વિશ્વનું સૌથી મોટું રિફાઇનરી કોમ્પ્લેક્સ 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસની ક્ષમતા સાથે આજે પણ ગુજરાતનું ગૌરવ છે. આ રિફાઇનરી માત્ર ક્રૂડ પ્રોસેસ કરતી નથી પણ હજારો લોકોને રોજગારી આપે છે અને ભારતના આર્થિક સ્વાવલંબનમાં યોગદાન આપે છે. ધીરુભાઈના સમયમાં ટેક્સટાઇલથી શરૂ થયેલી કંપની આજે પેટ્રોકેમિકલ્સ, ટેલિકોમ, રિટેલ અને નવા ઊર્જા ક્ષેત્રમાં વિશ્વનું નેતૃત્વ કરે છે. જિયો પ્લેટફોર્મે ભારતની ડિજિટલ ક્રાંતિ કરી છે. 50 કરોડથી વધુ ગ્રાહકો સાથે જિયોએ સસ્તો મોબાઈલ ડેટા અને 4જી 5જી નેટવર્ક આપીને ગામડાં સુધી ડિજિટલ ભારતનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજે જિયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં પણ મોટા પાયે કામ કરી રહ્યું છે.

09

2026માં મુકેશ અંબાણીએ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં ઐતિહાસિક જાહેરાત કરી છે કે રિલાયન્સ અને જિયો સાથે મળીને આગામી સાત વર્ષમાં 10 લાખ કરોડ રૂપિયાનું (લગભગ 110 અબજ ડોલર) રોકાણ એઆઈમાં કરશે. જામનગરમાં મલ્ટીગીગાવોટ એઆઈ ડેટા સેન્ટર્સ બની રહ્યા છે અને 2026ના બીજા અર્ધમાં 120 મેગાવોટ ક્ષમતા ઓનલાઇન આવશે. આ રોકાણ માત્ર ટેક્નોલોજી માટે નથી પણ ભારતને વૈશ્વિક એઆઈ પાવર બનાવવાનું વિઝન છે. મુકેશ અંબાણીએ કહ્યું કે “ભારતની ડેમોગ્રાફી, ડેમોક્રસી, ડેવલપમેન્ટ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશ્વમાં અજોડ છે.” આ એઆઈ ભારતના ખેડૂતો, ઉદ્યોગો, હેલ્થકેર અને એજ્યુકેશનમાં ક્રાંતિ લાવશે.

10

ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત સમ્મેલનમાં મુકેશ અંબાણીએ જાહેર કર્યું કે છેલ્લા પાંચ વર્ષમાં 3.5 લાખ કરોડનું રોકાણ કર્યા પછી આગામી પાંચ વર્ષમાં તેને બમણું 7 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. તેમણે કહ્યું “ગુજરાત રિલાયન્સ માટે માત્ર સ્થળ નથી તે તેનું શરીર, હૃદય અને આત્મા છે. અમે એક ગુજરાતી કંપની છીએ.” જામનગરમાં ધીરુભાઈ અંબાણી ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ બની રહ્યું છે જે વિશ્વનું સૌથી મોટું રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ બનશે. આ પ્રોજેક્ટ ગુજરાતને ગ્રીન એનર્જીનું હબ બનાવશે અને હજારો યુવાનોને રોજગારી આપશે.

અમેરિકાના ટેક્સાસમાં રોકાણ તો એક ગુજરાતીના આત્મવિશ્વાસનું પરિણામ છે. આ પ્રોજેક્ટ અમેરિકાના એનર્જી લેન્ડસ્કેપમાં રિલાયન્સને મજબૂત ઉપલબ્ધિ આપશે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે તેને “અમેરિકાના કામદારો માટે મોટી જીત” કહ્યું અને રિલાયન્સનો આભાર માન્યો. આ રોકાણ ભારત અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરે છે અને ગુજરાતી ઉદ્યોગપતિની વૈશ્વિક સ્વીકૃતિ વધારે છે. રિલાયન્સની વૈશ્વિક ફલક પર પેટ્રોકેમિકલ્સના એક્સપોર્ટ, રિટેલમાં વિકાસ અને મીડિયા સેક્ટરમાં નવીનતા આજે ભારતને વિશ્વશક્તિ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.

08

મુકેશ અંબાણી માત્ર વ્યવસાયી નથી તેઓ એક વિઝનરી અને ફિલાન્થ્રોપિસ્ટ છે. તેમના પરિવાર પત્ની નીતા અંબાણી અને સંતાનો સાથે મળીને શિક્ષણ, આરોગ્ય અને ભારતીય ઉપરાંત સવિશેષ ગુજરાતી સંસ્કૃતિ માટે મોટા પાયે સમર્પિત છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ગામડાંઓમાં આરોગ્ય સેવાઓ, શાળાઓ અને મહિલા સશક્તિકરણના સેવાકાર્યો ચાલે છે. આજે રિલાયન્સ ગ્રુપ લાખો લોકોને રોજગારી આપે છે, અર્થતંત્રને વેગ આપે છે અને ભારતને આત્મનિર્ભર બનાવે છે.

06

મુકેશ અંબાણીનું જીવન પ્રેરણા છે.

તેમના વિઝને દર્શાવ્યું કે એક ગુજરાતીની  મહેનત અને ભારતીય વિચારશક્તિ વિશ્વને જીતી શકે છે. અમેરિકામાં રોકાણ, ગુજરાતમાં વિકાસ અને ભારતમાં ડિજિટલ ગ્રીન ક્રાંતિ આ બધું એક જ વ્યક્તિના સપનાઓનું પરિણામ છે. ગુજરાતના યુવાનો માટે તેઓ આદર્શ છે જેઓ સપના જુએ છે અને તેને સાકાર કરે છે.

સારાંશ રૂપે મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ ગુજરાત અને ભારતનું ગૌરવ છે. ગુજરાતીઓ માટે આ ગર્વની વાત છે કે એક ગુજરાતનો પનોતો પુત્ર અને એમનું પરિવાર વિશ્વને બદલી રહ્યો!

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુનિયા પરેશાન છે. ભારતમાં પણ ગેસ...
Gujarat 
સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલ માટે એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત...
Gujarat 
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

(ઉત્કર્ષ પટેલ) એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય...
Opinion 
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ

(ઉત્કર્ષ પટેલ) અમદાવાદના ગોતા વિસ્તારની ભૂમિનું વ્યક્તિત્વ એવા બીપીનભાઈ નારણભાઈ પટેલ એક એવા વ્યક્તિ છે જેમણે વ્યવસાય, સામાજિક કાર્ય...
Opinion 
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ

Opinion

ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
(ઉત્કર્ષ પટેલ) એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય આજે...
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
સરકાર દેશની કંપનીઓને વિદેશમાં મોટી કરે, લાભ આપે એમાં કશું ખોટું નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.