અફેર, લિવ-ઇન રિલેશનશિપ અને સગાઈ... સાથે રહેતા મંગેતરને રેખાએ જ રસ્તામાંથી હટાવી નાંખ્યો

ગુજરાતના વડોદરામાં આડા પ્રેમ સંબંધની એક દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. યુવકની હત્યા તે છોકરીએ કરી હતી જેની સાથે તે પોતાનું જીવન વિતાવવા માંગતો હતો.  એક યુવકને તે છોકરી સાથે અફેર થયું હતું. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. સગાઈ પછી, છોકરીએ તેને વડોદરામાં પોતાની સાથે રહેવા માટે બોલાવી લીધો. ત્યારપછી કંઇક એવું થયું કે, જેના કારણે છોકરીએ તેના મંગેતરની હત્યા કરી નાંખી. હત્યા થયાના ત્રણ દિવસ સુધી છોકરી પોલીસને ગોળ ગોળ વાતો કરીને ફેરવતી રહી, પરંતુ પોલીસની કડક તપાસ પછી આખી વાત બહાર આવી હતી.

29 ડિસેમ્બરે, વડોદરાના પ્રતાપનગર કોલોનીમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. તેની સાથે રહેતી તેની ફિયાન્સીએ કહ્યું કે, છોકરો ઊંઘમાંથી ઉઠ્યો જ નથી. જોકે, છોકરાના પિતાને શંકા ગઈ અને તેમણે પોલીસને જાણ કરી. ત્યાર પછી પોલીસ તપાસમાં આખી વાત બહાર આવી હતી.

Love-Affair-Murder1
bhaskarenglish.in

પોલીસના જણાવ્યા અનુસાર, છોટા ઉદેપુરના રોજકુવા ગામના રહેવાસી 23 વર્ષીય સચિન ગણપતભાઈ રાઠવા અને રેલ્વે કર્મચારી રેખા સકુભાઈ રાઠવા છેલ્લા ત્રણ વર્ષથી રિલેશનશિપમાં હતા. તેમની સગાઈ પણ થઈ ગઈ હતી. રેખા વડોદરાના પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં રહેતી હોવાથી, સચિન તેની સાથે રહેવા લાગ્યો હતો. તે બંને ઘણા સમયથી સાથે રહેતા હતા. આ દરમિયાન, સચિનને ​​શંકા હતી કે રેખાનું કોઈ બીજા સાથે અફેર ચાલી રહ્યું છે.

ઘટનાના દિવસે સચિન અને રેખા વચ્ચે ઝઘડો થયો હતો. આ દરમિયાન રેખાએ તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો. સચિને તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તે રેખાની સાથે લગ્ન કરવા માંગતો નથી. જ્યારે સચિને લગ્ન તોડવાની વાત કરી ત્યારે રેખાએ તેના દુપટ્ટાથી તેને મારી નાંખ્યો.

Love-Affair-Murder2
bhaskarenglish.in

ACP પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, બંને ત્રણ વર્ષથી લિવ-ઇન રિલેશનશિપમાં હતા. રેખા રેલવેમાં સેલ્સપર્સન તરીકે કામ કરતી હતી. તેઓ ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા હતા અને સગાઈ કરી હતી. હત્યા પછી, રેખાએ એવું વર્તન કર્યું કે, જાણે કંઈ થયું જ નથી. તેણે સચિનના માતાપિતાને પણ એ જ વાત કહી, કહ્યું કે તે ઊંઘમાંથી ઉઠ્યો જ નથી.

સચિનના પિતા ગણપત રાઠવાએ કહ્યું, 'મારો દીકરો વડોદરામાં રહેતો હતો. તેણે મને ફોન કર્યો. તેણે મને કહ્યું કે રેખા તેની સાથે લગ્ન કરવાનો ઇનકાર કરી રહી છે. અમે લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પરંતુ જ્યારે તેણે ફોન કર્યો ત્યારે મેં રેખા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે જવાબ આપ્યો નહીં. ત્યાર પછી, રેખાએ ફોન કર્યો અને કહ્યું કે સચિન ઊંઘમાંથી ઉઠ્યો જ નથી.'

Love-Affair-Murder4
aajtak.in

પોલીસ ત્રણ દિવસ સુધી આ કેસમાં એવી રીતે ફસાઈ રહી કે જાણે છોકરીએ કંઈ કર્યું જ ન હોય, પરંતુ જેવો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો ત્યાર પછી આખા મામલે એક નવો વળાંક આવ્યો. હાલમાં, પોલીસે છોકરી સામે હત્યાનો કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

About The Author

Related Posts

Top News

ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

પુણેના એક વ્યક્તિ નેવાસેને ખોટા ઇનવોઇસ સબમિટ કરવાનું મોંઘું પડી ગયું. થોડા હજાર રૂપિયા ટેક્સ બચાવવાના પ્રયાસમાં તેને હવે લાખો...
Business 
ITR ફાઇલિંગમાં હોશિયારી બતાવવી મોંઘી પડી, IT વિભાગે લાખો રૂપિયાનો દંડ ફટકારી દીધો

હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

યુનાઇટેડ સ્ટેટ્સના મેસેચ્યુસેટ્સ સ્થિત કેમ્બ્રિજ સ્થિત હાર્વર્ડ યુનિવર્સિટીને એક સંસ્કૃત પોસ્ટના કારણે હિન્દૂ સમાજ સામે શરમજનક સ્થિતિમાં મૂકવું પડ્યું હતું...
Education 
હાર્વર્ડ યુનિવર્સિટીથી સંસ્કૃતમાં એવો શું લોચો લાગી ગયો કે હિન્દુ સમુદાયની માફી માંગવી પડી?

T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે T20 વર્લ્ડ કપ 2026 દરમિયાન એક મોટી જાહેરાત કરી છે. IPL 2026 બાદ, ભારતીય ટીમ...
Sports 
T20 વર્લ્ડ કપ વચ્ચે BCCIની મોટી જાહેરાત, ભારત આ ટીમ સામે પહેલીવાર ODI સીરિઝમાં રમશે, શેડ્યૂલ આવ્યું સામે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 04-03-2026 વાર - બુધવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.