શું છે 'ચીન+1' રણનીતિ, જેનો ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફાઇનલ થવા પર નિર્મલા સીતારમણે કર્યો ઉલ્લેખ?

ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વાટાઘાટો બાદ, આખરે એક ટ્રેડ ડીલ પર મંજૂરી બની ગઈ છે. ટૂંક સમયમાં જ આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ ડીલ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કેટલીક મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે. હિન્દુસ્તાન ટાઇમ્સ સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, નિર્મલા સીતારમણે કહ્યું કે, આ ડીલ 'ચીન+1' રણનીતિના અમલીકરણનો રસ્તો પૂરી રીતે ખૂલી જશે.

નાણામંત્રીએ આશા વ્યક્ત કરી કે, આ ડીલ ભારતીય નિકાસકારો માટે મોટી રાહત લઈને આવશે. એક પ્રશ્નના જવાબમાં સીતારમણે કહ્યું કે, ‘આ એક ખૂબ જ સારું પગલું છે અને આપણા નિકાસકારોને તેનાથી મોટી પાત્ર રાહત મળશે. તેમણે વધુમાં આશા વ્યક્ત કરી કે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર નિકળવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, ‘વાટાઘાટો બાદ, મને લાગે છે કે વસ્તુઓ બદલાશે. હવે તમે જોશો કે ચીન+1’ રણનીતિ સંપૂર્ણપણે અમલમાં આવશે.

trade-deal2
huschblackwell.com

ચીન+1 રણનીતિ શું છે?

ચીન+1 એક એવી રણનીતિ છે, જેનો હેતુ વ્યવસાયોને ચીન પરની નિર્ભરતા ઘટાડવા અને પોતાના રોકાણના ક્ષેત્રોને અન્ય દેશોમાં ફેલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ શબ્દ 2013માં ચલણમાં આવ્યો હતો, જ્યારે ચીનમાં તેના અત્યંત ઓછા ઉત્પાદન ખર્ચને કારણે વૈશ્વિક વ્યવસાયોનો નોંધપાત્ર પ્રવાહ જોવા મળ્યો હતો.

સરળ શબ્દોમાં કહીએ તો, આ રણનીતિનો હેતુ ચીન ઉપરાંત ઓછામાં ઓછા એક અન્ય દેશને તેમના રોકાણ પૂલમાં સમાવવા માટે વ્યવસાયોને પ્રોત્સાહિત કરવાનો છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના આ અગાઉના અહેવાલ મુજબ, ભારત સહિત 18 વૈશ્વિક અર્થતંત્રોના એક જૂથે આ સપ્લાય-ચેઇન ડાયવર્સિફિકેશન રણનીતિ હેઠળ એક સાથે કામ કર્યું છે. લોકપ્રિય અન્ય દેશ જેમને +1 ડેસ્ટિનેશનના રૂપમાં જોવામાં આવે છે, જેમાં થાઇલેન્ડ, વિયેતનામ અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.

trade-deal1
newsbytesapp.com

ટ્રેડ ડીલથી ભારતને શું ફાયદો?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર સહમતી બનવાની જાહેરાત કરતા કહ્યું હતું કે ભારતમાંથી આયાત પર ટેરિફ ઘટાડીને 18 ટકા કરવામાં આવશે. તેમના મતે, આ ડીલ હેઠળ, ભારત અમેરિકા સાથે ટ્રેડ અવરોધો ઘટાડવા અને રશિયાને બદલે અમેરિકા અને વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ ખરીદવા પર સહમતી વ્યક્ત કરી છે. દ્વિપક્ષીય ટ્રેડ ડીલ લાગૂ થવા પર, ભારતીય ઉત્પાદનો પર અમેરિકામાં લાગતા ટેરિફ મોટાભાગના એશિયન દેશો માટે 15 થી 19 ટકાની રેન્જમાં આવી જશે.

સંશોધિત 18 ટકા ટેરિફ વિયેતનામ અને બાંગ્લાદેશ જેવા મુખ્ય પ્રાદેશિક સ્પર્ધકો પર લગાવવામાં આવેલા 20 ટકા ટેરિફ કરતા ઓછો છે, જેનાથી અમેરિકન બજારમાં ભારતની ભાવ પ્રતિસ્પર્ધાત્મકતા પુનઃસ્થાપિત થવાની સંભાવના છે. આ પગલાથી વસ્ત્રો, ફૂટવેર અને જ્વેલરી જેવા શ્રમ-સઘન નિકાસ ક્ષેત્રોને પણ ખૂબ રાહત મળવાની અપેક્ષા છે. જેની પ્રતિસ્પર્ધાત્મક સ્થિતિ અને ઓર્ડર ફ્લો ઓગસ્ટમાં લગાવવામાં આવેલા 50 ટકા ટેરિફથી ગંભીર રીતે પ્રભાવિત થયા હતા.

About The Author

Related Posts

Top News

આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

ભારતીય રેલવે પોતાના બોર્ડિંગ નિયમોમાં એક એવો ફેરફાર લાવી રહી છે જેની અસર લાખો મુસાફરો પર પડશે. નવા નિયમો અનુસાર...
National 
આવી ગયો રેલવેનો નવો નિયમ! જ્યાંથી ટિકિટ લીધી હોય, ત્યાંથી ટ્રેનમાં ન ચઢ્યા તો મોંઘુ પડશે

IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

બુધવાર, 4 ફેબ્રુઆરી, 2026ના રોજ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસીસ પરીક્ષા (...
Education 
IAS-IPS અધિકારી બની ગયા પછી વારંવાર UPSC CSE પરીક્ષા નહીં આપી શકાય, જો આપવી હોય તો...

સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

જે હોસ્પિટલોનું કામ જીવ બચાવવાનું છે, તે હોસ્પિટલો પોતે જ એટલી બેહાલ થઈ ગઈ છે કે માનવતા દરરોજ તેમના...
National 
સ્ટ્રેચર ગાયબ, લિફ્ટ ખરાબ; દીકરો ‘15 વોર્ડ બોય’વાળી હોસ્પિટલમાં બીમાર પિતાને ખભા પર લઈ ભટકતો રહ્યો

રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પરના આભાર પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપ્યો હતો. PM મોદીના ભાષણ દરમિયાન વિપક્ષી સભ્યોએ ગૃહના...
National 
રાજ્યસભામાં PM મોદીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર, ગણાવી કોંગ્રેસની નિષ્ફળતાઓ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.