ઈશાન કિશન, શમી સહિત આ 4 ખેલાડીઓની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી

7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના પહેલા દિવસે ગ્રુપ સ્ટેજ મેચમાં અમેરિકા સામે મેદાનમાં ઉતરશે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાનારી આ મેચમાં બધાની નજર ઈશાન કિશન પર રહેશે, જે તાજેતરમાં ટીમમાં પાછો ફર્યો છે અને ત્યારથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. પરંતુ પોતાની કમાલ બતાવે તે અગાઉ, BCCIએ તેને મોટો ઝટકો આપ્યો છે. એક અહેવાલ મુજબ, ઈશાનને ભારતીય બોર્ડ દ્વારા વાર્ષિક સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખવામાં આવ્યો છે.

BCCI દર વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરતા ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરે છે. આ કોન્ટ્રાક્ટ હેઠળ, આ ખેલાડીઓને તેમના મહત્ત્વ અને ફોર્મેટના આધારે અલગ-અલગ ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવે છે. ત્યારબાદ ભારતીય બોર્ડ આ ખેલાડીઓને આખા વર્ષ માટે નિશ્ચિત પગાર ચૂકવે છે, પછી ભલે તેઓ તે વર્ષે કોઈ મેચ રમે કે નહીં. આ વખતે BCCI 2025-26 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ તૈયાર કર્યા છે, જેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.

ishan-kishan
BCCI

જોકે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે 30 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે, પરંતુ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનનું નામ આ યાદીમાં શામેલ નથી. ઇશાન તાજેતરમાં જ લગભગ અઢી વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં પાછો ફર્યો છે, જ્યારે તેને ન્યૂઝીલેન્ડ સામેની T20 સીરિઝ અને T20 વર્લ્ડ કપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. એટલે એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરવામાં આવશે, કારણ કે આ સીરિઝ અને વર્લ્ડ કપ ચાલુ સીઝનમાં આવી રહ્યો છે, જેના માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવનાર છે.

ચોંકાવનારી વાત એ છે કે, ગત સીઝનમાં તે આ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ હતો, જોકે તે દરમિયાન તેને એક પણ વખત ટીમ ઇન્ડિયા માટે પસંદ કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ ઇશાનને C ગ્રેડમાં રાખવામાં આવ્યો હતો, જેના માટે તેને દર વર્ષે 1 કરોડ રૂપિયા મળતા હતા. જો કે, સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, અને એવામાં, T20 વર્લ્ડ કપમાં તેના પ્રદર્શનના આધારે ઇશાનને સીઝનના મધ્યમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપવામાં આવી શકે છે.

આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી માત્ર ઇશાન જ નહીં, પણ 4 અન્ય નામ પણ ગાયબ છે. ગયા વર્ષે, BCCI34 ખેલાડીઓનો સમાવેશ કર્યો હતો, જેમાંથી 5ને રિલીઝ કરવામાં આવ્યા છે. યુવા બેટ્સમેન સાઈ સુદર્શનને નવા ખેલાડી તરીકે સામેલ કરવામાં આવ્યો છે. બહાર થનારા ખેલાડીઓમાં ઇશાન ઉપરાંત, અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીનો પણ સમાવેશ થાય છે. શમી ગયા વર્ષે A ગ્રેડમાં હતો, જેના માટે તેને વાર્ષિક 5 કરોડ રૂપિયા મળ્યા હતા.

shami
cricketaddictor.com

જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 બાદ ટીમ ઇન્ડિયાથી બહાર ચાલી રહેલો શમી છેલ્લા કેટલાક મહિનામાં ચીફ સિલેક્ટર અજિત અગરકર સાથે પણ વકયુદ્ધમાં ગૂચાવાયો હતો અને હવે તેની તેના કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી થઈ રહી છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે ટીમ ઇન્ડિયાના દરવાજા હવે શમી માટે કાયમ માટે બંધ થઈ ગયા છે.

આ ઉપરાંત, યુવા બેટ્સમેન સરફરાઝ ખાનને પણ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યો છે. સરફરાઝ ગયા વખતે C ગ્રેડમાં હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસ (2024-25) પર ટેસ્ટ સીરિઝ પછી તે ટીમમાં પાછો ફરી શક્યો નથી. બંગાળના ફાસ્ટ બોલર મુકેશ કુમાર અને મધ્ય પ્રદેશના કેપ્ટન રજત પાટીદાર પણ આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં જગ્યા મેળવી શક્યા નથી. બંને C ગ્રેડમાં હતા, જેમાં ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયાનો પગાર મળે છે.

About The Author

Related Posts

Top News

ઈશાન કિશન, શમી સહિત આ 4 ખેલાડીઓની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી

7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકામાં T20 વર્લ્ડ કપ 2026 શરૂ થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયા ટૂર્નામેન્ટના પહેલા દિવસે ગ્રુપ સ્ટેજ...
Sports 
ઈશાન કિશન, શમી સહિત આ 4 ખેલાડીઓની BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી છુટ્ટી

અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો... ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાની ટ્રેડ ડીલના ફ્રેમવર્કની જાહેરાત સાથે,બીજી એક ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્ર...
National 
અમેરિકાની ટ્રેડ ડીલમાં ભારતનો સંપૂર્ણ નકશો... ટ્રમ્પે PoK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ ગણાવ્યા

અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

6 ફેબ્રુઆરીએ અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરની ચૂંટણી દરમિયાન એક મોટો અને અણધાર્યો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો હતો. AIMIM કોર્પોરેટર મીરા...
Politics 
અમરાવતી મેયરની ચૂંટણીમાં AIMIM કોર્પોરેટરના સમર્થનથી જીતી BJP, હવે થઈ કાર્યવાહી

હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

લોક સાહિત્યકાર દેવાયત ખવડે તેના પર નોંધાયેલ 307નો કેસ માંડવાળ કરવા માટે ગુજરાત હાઇકોર્ટમાં ક્વોશિંગ પિટિશન દાખલ કરી છે....
Gujarat 
હાઇ કોર્ટે કેમ કહ્યું- દેવાયત ખવડ પ્રખ્યાત નહીં, કુખ્યાત અને માથાભારે છે

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.