દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો

(ઉત્કર્ષ પટેલ)

ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ નગરી માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ તે ધર્મ અને દેશની સેવાની ભાવનાને જોડતો સેતુ પણ છે. શ્રી રામ જન્મભૂમિ આંદોલને આને ચરિતાર્થ કર્યું છે જેમાં લાખો ભક્તોએ સંઘર્ષ કરીને રાષ્ટ્રીય એકતા અને સેવાની ભાવના જગાડી. આ આંદોલને પુરવાર કર્યું છે કે ધર્મ માત્ર વ્યક્તિગત આસ્થા નથી પરંતુ તે રાષ્ટ્રીય પુનરુત્થાનનું માધ્યમ પણ બની શકે છે. જ્યારે લોકો પ્રભુ રામની શરણમાં આવે છે ત્યારે તેમનો ઉદ્ધાર થાય છે આ વાત રાજકારણીઓએ સ્વીકારવી રહી કારણ કે અયોધ્યાધામ તેનું જીવંત ઉદાહરણ છે.

033

શ્રી રામ જન્મભૂમિ આંદોલનની ભૂમિકા ભારતીય રાજકારણમાં ક્રાંતિકારી રહી છે. 1980ના દાયકામાં શરૂ થયેલ આ આંદોલને હિન્દુ સમાજમાં વૈશ્વિક જાગૃતિ લાવી અને તેને રાષ્ટ્રીય મુદ્દા તરીકે લેવામાં આવ્યું. આ આંદોલને દેશના રાજકીય પક્ષ ભાજપને મજબૂત આધાર આપ્યો જેણે ધર્મને કેન્દ્રમાં રાખ્યું.

05

ભાજપે આને રાષ્ટ્રીય સેવાના ભાવ સાથે જોડીને વિકાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું વચન આપ્યું. પરિણામે PM નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપને અભૂતપૂર્વ સફળતા મળી જેમાં શ્રી રામ મંદિરનું વચન મુખ્ય ભૂમિકા ભજવી ગયું. આ આંદોલને ભાજપને મજબૂત જીત અપાવી જેમાં ધાર્મિક રાષ્ટ્રવાદ અને વિકાસનું મિશ્રણ હતું.

02

બીજી તરફ જોઈએ તો કોંગ્રેસ અને અન્ય વિરોધી પક્ષોની નિષ્ફળતા આ આંદોલનમાં તેમની અસ્પષ્ટ ભૂમિકા જવાબદાર ઠરે છે. કોંગ્રેસે દાયકાઓથી અયોધ્યાધામ શ્રી રામ મંદિર મુદ્દાને અવગણ્યો અથવા વિરોધ કર્યો જેને તેઓ સાંપ્રદાયિક મુદ્દો માનતા હતા. આ વલણથી તેઓ દેશના હિન્દુ બહુમતીની મતદારોની ભાવનાઓથી અલગ થયા અને તેમની રાજકીય પકડ ઢીલી પડી.

04

કોંગ્રેસની આ અનિર્ણયાત્મકતા તેમની મૂળભૂત નિષ્ફળતા સાબિત થઈ છે જેણે તેમને રાષ્ટ્રીય સ્તરે નિષ્ફળ અને સત્તાવિહોણા બનાવ્યા. અન્ય પક્ષો પણ આ મુદ્દાને નરોવકુંજરોવા કરીને અથવા વિરોધી વલણ અપનાવતા પરિણામે ચૂંટણીઓમાં પરાજય પામ્યા. આની સામે ભાજપે ધર્મને રાજકારણના માધ્યમથી સેવાના અવકાશ સાથે જોડ્યું જેમાં અયોધ્યાધામ મંદિરનું નિર્માણ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું.

06

અયોધ્યાધામ આજે ધર્મ અને દેશ સેવાની પ્રેરણા બન્યું છે તે બતાવે છે કે જ્યારે રાજકારણ ધાર્મિક ભાવના સાથે જોડાય છે ત્યારે તે રાષ્ટ્રને મજબૂત બનાવે છે. કોંગ્રેસની જેમ ધાર્મિક લાગણીઓની અવગણના નિષ્ફળતા લાવે છે. એટલે આજના અમૃતકાળમાં આખરે તો પ્રભુ રામની શરણમાં જ ઉદ્ધાર છે આ વાત દરેક રાજકીય પક્ષોના રાજકારણીઓને સ્વીકારવી રહી.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે...
National 
પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વિશ્વભરમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં આખું વિશ્વ પિસાઈ રહ્યું...
Gujarat 
LPG અછત: ગુજરાતમાં લારી-ઢાબા સંકટમાં, વેપારીઓ બોલ્યા- 2000નો ધંધો થાય છે અને બ્લેકમાં ગેસ બાટલા 3 ગણા ભાવે મળે છે

લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

ગુજરાતમાં જાણીતી મહિલા કલાકારોના આંતરજ્ઞાતીય લગ્નોને લઈને વિવાદોનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે. અગાઉ કિંજલ દવે અને આરતી સાંગાણીના...
Gujarat 
લોકગાયિકા કિંજલ રબારીએ કેમ સરકાર પાસે સુરક્ષા માંગી?

એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

જમીન એનએ કરવાના કેસમાં કરોડો રૂપિયાની લાંચ લેવાના આરોપસર જેલવાસ ભોગવી રહેલા કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલને સ્પેશિયલ પીએમએલએ કોર્ટે જામીન...
Gujarat 
એક ગુગલની સર્ચ લાંચિયા કલેક્ટર રાજેન્દ્ર પટેલને ભારે પડી, જામીન ન મળ્યા 

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.