પિરિયડ્સ માટે રજા આપવાની માંગણી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો

દેશભરમાં કામ કરતી મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ માટે ફરજિયાત માસિક રજાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે આ મામલો નીતિગત નિર્ણય સાથે સંકળાયેલો છે, અને તે નિર્ણય લેવાની જવાબદારી સરકારની છે. બેન્ચે અરજદારને સલાહ આપી હતી કેતેઓ તેમની માંગ સાથે કેન્દ્ર સરકારનો સંપર્ક કરે અને આ વિષય પર નીતિ ઘડવા સરકારને વિનંતી કરે.

સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તે જણાવ્યું હતું કે, કાયદા દ્વારા માસિક રજા ફરજિયાત બનાવવાથી મહિલાઓને ફાયદો થવાને બદલે નુકસાન થઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે જો કાયદેસર રીતે અમલમાં મૂકવામાં આવે તો નોકરીદાતાઓ મહિલાઓને નોકરી પર રાખવામાં અચકાશે. આ મહિલાઓના રોજગાર અને કારકિર્દી પર નકારાત્મક અસર કરી શકે છે. CJIએ જણાવ્યું હતું કે, એવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જ્યાં કંપનીઓ અથવા સંસ્થાઓ મહિલાઓને જવાબદાર હોદ્દા આપવાનું ટાળશે અથવા તેમને નોકરી પર રાખવાનો બિલકુલ ઇનકાર કરશે.

Period-Leave1
navbharattimes.indiatimes.com

ઉદાહરણનો ઉલ્લેખ કરીને મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, જો માસિક રજા ફરજિયાત બનાવવામાં આવે, તો મહિલાઓને ન્યાયતંત્ર સહિત ઘણા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ દેવામાં અડચણ આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આવી સિસ્ટમ મહિલાઓની કારકિર્દીની સંભાવનાઓને અસર કરી શકે છે અને તેમને ઓછી જવાબદાર ભૂમિકાઓ સુધી મર્યાદિત કરી શકે છે.

સુનાવણી દરમિયાન, કોર્ટે એવી પણ ટિપ્પણી કરી હતી કે, આવી અરજીઓ ક્યારેક મહિલાઓને નીચું કે અપમાનિત કરવાનું વાતાવરણ બનાવી શકે છે. CJI એ કહ્યું કે, આનાથી એવી છાપ પડે છે કે માસિક સ્રાવ એક એવી સ્થિતિ છે જે મહિલાઓને સામાન્ય કાર્યો કરવાથી રોકે છે. આનાથી સમાજમાં ખોટી છાપ ઊભી થઈ શકે છે કે મહિલાઓ આના કારણે કામ કરવા માટે અસમર્થ છે.

Period-Leave2
ndtv.in

બેન્ચના સભ્ય રહેલા ન્યાયાધીશ જોયમલ્યા બાગચીએ આ મુદ્દાના વ્યવહારિક અને આર્થિક પાસાઓ પર પણ ધ્યાન દોર્યું. તેમણે કહ્યું કે આવા નિયમનો અમલ કરવાથી વ્યવસાયિક મોડેલો પર અસર પડી શકે છે. તેમણે પ્રશ્ન કર્યો કે શું નોકરીદાતાઓ આવી સિસ્ટમ સાથે સંમત થશે અને શું તે ઉદ્યોગો માટે વ્યવહારિક રીતે શક્ય બનશે.

અહીં તમને બતાવી દઈએ કે, આ અરજી શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી હતી. અરજદારે દલીલ કરી હતી કે, ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓને રજા આપવામાં આવે છે, પરંતુ માસિક સ્રાવ સાથે સંકળાયેલી શારીરિક સમસ્યાઓ માટે એ પ્રકારની કોઈ જોગવાઈ નથી. તેમણે કોર્ટને વિનંતી કરી કે તે તમામ રાજ્યો અને શૈક્ષણિક સંસ્થાઓને મહિલા વિદ્યાર્થીઓ અને કામ કરતી મહિલાઓને દર મહિને ઓછામાં ઓછી બે દિવસની માસિક રજા આપવાનો નિર્દેશ આપે.

Supreme-Court
livehindustan.com

અરજદારના વકીલે કોર્ટને માહિતી આપી કે, દેશમાં કેટલાક રાજ્યો અને સંસ્થાઓ પહેલાથી જ માસિક સ્રાવ રજા અથવા છૂટછાટો આપે છે. ઉદાહરણ તરીકે, કેરળ, કર્ણાટક અને ઓડિશામાં કેટલીક સંસ્થાઓએ મહિલા વિદ્યાર્થીઓ અથવા મહિલા કર્મચારીઓ માટે ખાસ જોગવાઈઓ કરી છે. વકીલે દલીલ કરી હતી કે, જો આ સિસ્ટમ કેટલીક જગ્યાએ સફળતાપૂર્વક લાગુ કરી શકાય છે, તો તેને દેશભરમાં લાગુ કરવી જોઈએ.

જોકે, કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ બાબતમાં નીતિગત નિર્ણયનો સમાવેશ થાય છે, અને સરકારને તેના પર નિર્ણય લેવાનો અધિકાર છે. બેન્ચે જણાવ્યું હતું કે, આવી નીતિ બનાવતા પહેલા, સરકારે નોકરીદાતાઓ, કર્મચારીઓ અને નિષ્ણાતો સહિત વિવિધ હિસ્સેદારો સાથે સલાહ લેવી જોઈએ.

Period-Leave3
hindi.news24online.com

સુપ્રીમ કોર્ટે અરજદારને કેન્દ્ર સરકાર, ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સમક્ષ પોતાની માંગ રજૂ કરવાની સલાહ આપી. કોર્ટે જણાવ્યું હતું કે, સરકાર તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી યોગ્ય નીતિ બનાવી શકે છે. આ આધારે, કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારત સહિત ઘણા દેશોમાં માસિક રજાનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. સમર્થકો માને છે કે તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દરમિયાન મહિલાઓને રાહત આપી શકે છે. જો કે, કેટલાક નિષ્ણાતો કહે છે કે તેને ફરજિયાત બનાવવાથી રોજગાર બજારમાં મહિલાઓ સામે ભેદભાવ વધી શકે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -30-04-2026 વાર - ગુરુવાર મેષ - આજે કામ કાજમાં વધારે મહેનતનો દિવસ, આવકમાં વધારો થાય, શનિદેવના દર્શન કરવાથી ધનની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય
Copyright (c) Khabarchhe All Rights Reserved.