આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ

(ઉત્કર્ષ પટેલ)

યોગી આદિત્યનાથજી દ્વારા અપાયેલો એક શક્તિશાળી અને પ્રેરણાદાયી સંદેશ છે. આ નિવેદન માત્ર ધાર્મિક ઉદ્ઘોષ નથી પરંતુ રાષ્ટ્રના આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનનું પ્રતીક છે.

સનાતન ધર્મ હજારો વર્ષથી અનેક આક્રમણો, ષડયંત્રો અને પરિવર્તનોનો સામનો કરીને પણ અખંડ રહ્યો છે. યોગી આદિત્યનાથજીનું આ કથનસનાતન ધર્મની અમરતા અને સાર્વભૌમિકતા પર આધારિત છે. તેઓ માને છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં અસ્થિરતા, સંઘર્ષ અને ધાર્મિક અને જીવનના મૂલ્યોનું સંકટ વધી રહ્યું છે ત્યારે સનાતનના સિદ્ધાંતો સત્ય, અહિંસા, સર્વધર્મ સમભાવ અને માનવ કલ્યાણ જ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિનો આધાર બની શકે છે.

2

આ નિવેદન એકસાથે એકતાનો, સંઘર્ષનો અને દીર્ઘકાલીન દૃષ્ટિકોણનો સંદેશ આપે છે. ગોરખનાથ મઠના મહંત તરીકે યોગી આદિત્યનાથની આ વાત સાથે લોકો ભાવનાત્મક રીતે જોડાયા છે કારણ કે તે રામ, મહાદેવ અને ભારતમાતાના આદર્શો સાથે સંકલિત છે. આજના સમયમાં જ્યારે સાંસ્કૃતિક ઓળખના પ્રશ્નો ફરી ઉભા થઈ રહ્યા છે ત્યારે આવો નિર્ભીક સંદેશો લોકોમાં ઉત્સાહ અને નૈતિક જવાબદારીની ભાવના જગાડે છે.

આ 1000 વર્ષનું લક્ષ્ય માત્ર ધાર્મિક વર્ચસ્વનું નથી પરંતુ ભારતને વિશ્વગુરુ તરીકે સ્થાપિત કરવાનું સ્વપ્ન છે જેમાં શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું મિશ્રણ હોય. યોગીજીની આ વાણી દરેક હિંદુને, દરેક ભારતીયને પોતાની જવાબદારી યાદ અપાવે છે કે સનાતનનું ભવિષ્ય આપણા હાથમાં છે.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, માર્ચ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવા જઈ રહ્યો છે. હાલમાં દેશના અલગ-અલગ ભાગોમાં 4 સાયક્લોનિક...
Gujarat 
હવામાન ચેતવણી: દેશમાં 4 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય, આગામી 7 દિવસ વરસાદ અને કરાની આગાહી

સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

અમદાવાદના મહત્ત્વપૂર્ણ પુલોથીનો એક સુભાષ બ્રિજના જૂના ભાગને તોડીને નવો બનાવવાની કામગીરી શરૂ થઈ ગઇ છે. બ્રિજના કેટલાક સ્પાન તોડી...
Gujarat 
સુભાષ બ્રિજના સ્પાન તોડી પડાશે, 1 એપ્રિલ-15 જૂન સુધીમાં વાસણા બેરેજ ખાલી કરવાની અપાઇ મંજૂરી

'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

T20 વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા સામેની સુપર 8 મેચ માટે ટીમના વાઇસ કેપ્ટન અક્ષર પટેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કરવામાં આવ્યો...
Sports 
'અક્ષર ખૂબ ગુસ્સામાં હતો, મેં જઈને તેની માફી માંગી.' કેપ્ટન સૂર્યકુમાર યાદવે હવે પોતાની ભૂલ સ્વીકારી લીધી!

આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

હાલમાં ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. આજે યુદ્ધને 13 દિવસ થઈ ગયા. 3 દેશોના યુદ્ધ વચ્ચે દુનિયાભરમા...
Gujarat 
આપણે નક્કી કરવાનું છે કે વેપાર બંધ રહે તે વધુ ગંભીર છે કે રસોડું બંધ રહે તેઃ દિલીપ સંઘાણી

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.