વારંવાર સહારનપુરની મુલાકાત કેમ લઈ રહ્યા છે CM યોગી આદિત્યનાથ?

ઉત્તર પ્રદેશના CM યોગી આદિત્યનાથ ગયા સોમવારે (1 જૂન) બિજનૌર અને સહારનપુરમાં હતા. CM યોગીએ અગાઉ પણ ઘણી વખત સહારનપુર વિભાગની મુલાકાત લીધી છે. હકીકતમાં રાજકીય કારણોસર, સહારનપુર વિભાગની વસ્તી વિષયક સ્થિતિ જાતિ આધારિત નેતાઓ માટે અનુકૂળ ન હોવાથી BJP માટે અહીં જીતવું પુરી રીતે CM યોગી આદિત્યનાથ પર આધાર રાખે છે. ક્યાંક ને ક્યાંક આની પાછળ 2027ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે જીતવાનો રસ્તો બનાવવો આનું કારણ હોઈ શકે છે.

ગયા સોમવારે બિજનૌરમાં ચૂંટણી રેલીને સંબોધ્યા પછી, CM યોગી આદિત્યનાથે બપોરે સહારનપુરમાં મા શકુમ્બરી દેવી મંદિરનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. અહીં થોડા દિવસો પહેલા, એક દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા અને સેંકડો દુકાનો અને વાહનો તણાઈ ગયા હતા.

CM Yogi Adityanath
navbharattimes.indiatimes.com

CM યોગી આદિત્યનાથ ભૂરા મહાદેવથી મા શકુમ્બરી દેવી મંદિર સુધી એક ઉંચો અને પહોળો કોરિડોર બનાવી રહ્યા છે, જેનાથી ભક્તો કોઈપણ અવરોધ વિના મંદિરમાં પ્રવેશ કરી શકશે. CM યોગીની સહારનપુર જિલ્લાની આ ત્રીજી કે ચોથી તાજેતરની મુલાકાત છે.

ભૂતપૂર્વ IPS અધિકારી અને ભૂતપૂર્વ કુલપતિ ડૉ. અશોક કુમાર રાઘવ કહે છે કે, સહારનપુર વિભાગની વસ્તી વિષયક માહિતીના અભ્યાસમાં, તેમણે જોયું કે કોઈ એક જાતિને કોઈ એક વિસ્તારમાં કોઈ પણ એક જાતિની બહુમતી નથી. દરેક જાતિના નાના નાના જૂથ હોય છે. આ સ્થિતિ કોઈપણ વ્યક્તિને આ વિભાગમાં રાજકીય નેતા બનતા અટકાવે છે.

સહારનપુર વિભાગના દરેક વિધાનસભા મતવિસ્તારમાં મિશ્ર વસ્તી છે. તેથી, ફક્ત તે વ્યક્તિ જ ચૂંટણી જીતી શકે છે જેને વિવિધ જાતિઓનો સામૂહિક ટેકો હોય. આ પરિસ્થિતિ BJP માટે મુશ્કેલીઓ ઉભી કરે છે. સહારનપુર, શામલી અને મુઝફ્ફરનગર ત્રણેય જિલ્લાઓમાં મુસ્લિમ મતદારો બહુમતી ધરાવે છે. દલિત મતદારો બીજા સ્થાને છે. મુસ્લિમો સાથે કોઈપણ જાતિ જોડાણ ચૂંટણીમાં વિજયની ગેરંટી છે.

CM Yogi Adityanath
navbharattimes.indiatimes.com

BJPની જીત માટે હિન્દુ મતદારોમાં ધ્રુવીકરણ કરવું જરૂરી શરત છે. જાતિ સંતુલન અને સંકલન જાળવી રાખવું એ પણ BJP નેતૃત્વ માટે જરૂરી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં, રાજપૂતોમાં એક નાનો રોષ BJP માટે મોંઘો સાબિત થયો, જેના પરિણામે ત્રણેય બેઠકો પર તેનો પરાજય થયો. કોંગ્રેસના ઇમરાન મસૂદ સહારનપુરમાં, SPના ઇકરા હસન કૈરાનામાં અને SPના હરેન્દ્ર મલિક મુઝફ્ફરનગરમાં સરળતાથી ચૂંટણી જીતી ગયા હતા.

સહારનપુર જિલ્લામાં, BJP પાસે બે ગુર્જર ધારાસભ્યો છે, કિરત સિંહ અને મુકેશ ચૌધરી. પંજાબી સમુદાયના રાજીવ ગુમ્બર સહારનપુર બેઠક પર છે, અને રાજપૂત સમુદાયના બ્રિજેશ સિંહ દેવબંધ બેઠક પર છે. અનુસૂચિત જાતિના દેવેન્દ્ર નિમ રામપુર મનીહારાનમાં છે. SPના ઓમર અલી ખાન મુસ્લિમ પ્રભુત્વ ધરાવતા બેહટ (જેમાં મા શકુંભરી વિસ્તારનો સમાવેશ થાય છે)ના ધારાસભ્ય છે. SPના આશુ મલિક સહારનપુર ગ્રામીણના ધારાસભ્ય છે.

સહારનપુર વિભાગમાં BJPનો પોતાનો કોઈ મજબૂત દલિત નેતા નથી. મુઝફ્ફરનગરમાં પુરકાજી અનામત બેઠકનું પ્રતિનિધિત્વ RLDના દલિત નેતા અનિલ કુમાર કરે છે. સહારનપુરમાં દલિતો પર પ્રભાવ ધરાવતા BSPના બે નેતાઓ, રામપુર ક્ષેત્રના રવિન્દ્ર કુમાર મોલ્હુ અને સહારનપુર ગ્રામીણ ક્ષેત્રના જગપાલ સિંહ, BJPમાં છે.

CM Yogi Adityanath
jagran.com

સમગ્ર સહારનપુર જિલ્લામાં BJP પાસે રાજપૂત કે ગુર્જર નેતા નથી. જોકે, BSPમાંથી આવેલા સૈની સમુદાયના સભ્ય ડૉ. ધરમ સિંહ સૈનીનો સહારનપુર જિલ્લામાં સૈની સમુદાય પર ચોક્કસ પ્રભાવ છે. આ જ રીતે, BJP પાસે સમગ્ર વિભાગમાં ન તો કોઈ અગ્રણી જાટ કે ન તો કોઈ વાણિયા નેતા છે.

સહારનપુરથી ત્રણ વખત ધારાસભ્ય બનેલા સંજય ગર્ગ, જે 2024માં SPમાંથી આવ્યા હતા, તેમનો વાણિયા સમુદાય પર ખુબ મોટો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. મુઝફ્ફરનગરના રાજ્યમંત્રી કપિલદેવ અગ્રવાલ, વૈશ્ય સમુદાયના છે પરંતુ તેમને તેમના સમુદાયમાં નેતા માનવામાં આવતા નથી. સહારનપુર વિભાગમાં આગામી ચૂંટણીઓમાં BJPનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો રહેશે.

થાણા ભવનના ભૂતપૂર્વ ધારાસભ્ય ઠાકુર સુરેશ રાણા, રાજપૂતોમાં ચોક્કસપણે એવું સન્માન મેળવે છે જે અન્ય કોઈ રાજપૂત નેતાને મળતું નથી. સહારનપુર વિભાગમાં BJPના એકમાત્ર રાજપૂત ધારાસભ્ય દેવબંધના બ્રિજેશ સિંહ છે, જેમને ખુદનું કોઈ લોક સમર્થન નથી.

CM Yogi Adityanath
jagran.com

ઠાકુર ફૂલ સિંહ, અજિત પ્રસાદ જૈન અને ચૌધરી યશપાલ ગુર્જરનો એક સમયે સહારનપુર જિલ્લામાં ખુબ મોટો દબદબો અને પ્રભાવ માનવામાં આવતો હતો. મુઝફ્ફરનગર જિલ્લાની વસ્તી વિષયકતાને કારણે, ચૌધરી ચરણ સિંહ 1971માં સામાન્ય લોકો સામે અને ચૌધરી અજીત સિંહ 2019માં ચૂંટણી હારી ગયા હતા.

મુઝફ્ફરનગર જિલ્લામાં, BJP પાસે પાંચમાંથી ફક્ત એક જ મુઝફ્ફરનગરની બેઠક છે. છેલ્લી વખતે, તે શામલી જિલ્લો જીતવામાં નિષ્ફળ ગઈ. સહારનપુરમાં BJP પાસે ચાર ધારાસભ્યો હોવા છતાં, 2024ની લોકસભા ચૂંટણીમાં, BJP દેવબંધની સાત બેઠકોમાંથી ફક્ત એકમાં જ આગળ નીકળી શક્યો. આનું કારણ BSP ઉમેદવારે મુસ્લિમ મતોમાં ખુબ મોટી સંખ્યામાં ભાગ પડાવ્યો હતો. તેથી એવું સ્પષ્ટપણે કહી શકાય કે, આગામી વિધાનસભા ચૂંટણીઓ BJP માટે ખૂબ જ પડકારજનક રહેશે.

About The Author

Related Posts

Top News

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ; પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

US-ઈરાન યુદ્ધ પૂરું થયું છે. US-ઈરાન શાંતિ કરાર પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ સતત ઘટી રહ્યા...
Business 
120 ડૉલરથી 76 ડૉલરે પહોંચી ગયો ક્રૂડ ઓઇલનો ભાવ;  પેટ્રોલ અને ડીઝલ ક્યારે સસ્તું થશે?

આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત સુખપુરી ગામમાં ઘણા રહેવાસીઓએ તેમના સ્માર્ટફોન તોડી નાખ્યો હોવાના અહેવાલ છે. યુવાનોએ ગુનાની દુનિયા છોડી દેવાનો...
National 
આ ગામમાં લોકો સ્માર્ટફોન કેમ તોડી રહ્યા છે, DSPની હાજરીમાં જ આવું કર્યું

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.