‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના બધા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના વિશે પણ ઘણા મોટા બોલ્ડ દાવાઓ કર્યા.

રાજપાલે કહ્યું કે, તેમની પાસે આગામી સમયમાં ઘણા એવા પ્રોજેક્ટ્સ છે, જેનો ખર્ચ કરોડો રૂપિયામાં છે. તેની પાસે લગભગ 1200 કરોડ રૂપિયાનું કામ છે. અભિનેતાએ તેના કેસ વિશે એમ પણ કહ્યું કે, જે એક સમયે પારિવારિક મામલો હતો તે હવે અહંકારની લડાઈ બની ગયો છે. હવે રાજપાલે ફિલ્મોમાં કરાતા રોકાણનું નિયમન કરવા પર ભાર મુક્યો. તેનું કહેવું છે કે ઉદ્યોગમાં એક એવું પ્લેટફોર્મ બનાવવું જોઈએ જ્યાં રોકાણની પ્રક્રિયા સરળ હોય અને દરેક વ્યક્તિ તેને સરળતાથી ફોલો કરી શકે.

rajpal yadav
facebook.com/therajpalyadav

રાજપાલ યાદવે કહ્યું કે, હું સમગ્ર ફિલ્મ ફેડરેશનને અનુરાધ કરું છું કે, ફિલ્મ નિર્માણ માટે રોકાણ ભંડોળ બનાવવા માટે રાજી થઇ જાવ. તેમણે એક સરળ પ્લેટફોર્મ બનાવવું જોઈએ, જેનું પાલન વિદેશી રોકાણકારો અને કલાકારો બંને કરી શકે. જો આવું થઇ ગયું, તો બધું ખૂબ સરળ થઈ જશે. હું 26 વર્ષથી કામ કરી રહ્યો છું અને ઓછામાં ઓછા 200 એગ્રીમેન્ટ કરી ચૂક્યો છું- 1 લાખથી 1.5 લાખ સુધી, પછી 15 લાખ સુધી. જો હું એગ્રીમેન્ટ માટે ઝઘડો કરતો તો આજે માત્ર મારા પર એક જ કેસ કેમ છે, અને બીજા કોઈનો નહીં?

તેણે કહ્યું કે, હું વારંવાર કહેતો આવ્યો છું કે તમે જે પણ મશીનથી પૂછો, પૂછે છે કે આ 5 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા? હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું... હું કહું છું કે આ ફિલ્મ પાછળ જે પણ છે, હું તેને ટેકો આપવા તૈયાર છું. પરંતુ આ 5 કરોડ રૂપિયા પાછળનો હેતુ ખોટો છે. પૈસા લઇને લોકોને ફસાવવા ખોટું છે. માધવ અને મિથિલેશના ઇરાદા ખોટા હતા. એટલે આ માત્ર 3 લોકો વચ્ચેની લડાઈ છે. બાકી કોઈને કંઈ ખબર નથી.

rajpal yadav
hindustantimes.com

રાજપાલના 5 કરોડ રૂપિયાનો આખો મામલો શું હતો?

રાજપાલે 2010માં મુરલી પ્રોજેક્ટ્સ પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા, જેને તે રોકાણ ગણાવે છે. જોકે, પૈસા આપનારાઓનો દાવો છે કે તે લોન હતી. રાજપાલે ખુલાસો કર્યો કે પૂરી ફિલ્મ બની ગયા બાદ, તે 5 કરોડ રૂપિયાને બદલે 8 કરોડ રૂપિયા આપવાનો હતો. પરંતુ, ફિલ્મે માત્ર 1 કરોડ રૂપિયાની કમાણી કરી, એટલે તેને મોટું નુકસાન થયું.

rajpal yadav
ndtv.com

રાજપાલ યાદવે આ પૈસા 2012માં આવેલી ફિલ્મ અતા પતા લાપતા બનાવવા માટે લીધા હતા. બાદમાં, તે પૈસા ચૂકવી ન શક્યો અને તેનો 9 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવાને કારણે તેને જેલમાં જવાની નોબત આવી. રાજપાલે 5 ફેબ્રુઆરીએ તિહાડ જેલમાં આત્મસમર્પણ કર્યું હતું અને 17 ફેબ્રુઆરીએ 1.5 કરોડ રૂપિયાના બોન્ડ પર જામીન પર બહાર આવ્યો હતો. તેના કેસની આગામી સુનાવણી 18 માર્ચે થવાની છે.

About The Author

Related Posts

Top News

દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

સ્વીડનમાં એક સફળ સ્ટાર્ટઅપ ઊભું કરનાર ભારતીય ઉદ્યોગસાહસિક અભિજીત નાગ બાલાસુબ્રમણ્યમને આખરે પોતાના સપનાનો દેશ છોડવો પડી રહ્યો છે. હાઇડ્રો...
World 
દુનિયાના સૌથી ખુશાલ દેશમાં ભારતીય ઉદ્યોગપતિ કેમ દુઃખી? કંપની વેચીને ભારત ફરવું પડ્યું; કારણ પણ જણાવ્યું

‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

બોલિવુડ અભિનેતા રાજપાલ યાદવે છેલ્લા 2 દિવસમાં તેના 9 કરોડ રૂપિયાના ચેક બાઉન્સ કેસ વિશે ઘણી વાતો કહી નાખી. તેણે...
Entertainment 
‘હું 1500 કરોડ રૂપિયાનો માણસ છું...’, રાજપાલ યાદવે ચેક બાઉન્સ કેસ બાદ ફિલ્મ ફેડરેશનને કરી આ અપીલ

અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

US-ઇઝરાયલી હુમલાઓને કારણે ઈરાનમાં થયેલા વિસ્ફોટોએ ફરી એકવાર પશ્ચિમ એશિયાને યુદ્ધમાં ધકેલી દીધું છે. આ સંયુક્ત હુમલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો...
World 
અમેરિકા માટે ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાનો રસ્તો સરળ નથી; ઈરાની લોકો...

અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

રાજસ્થાનના ગામડાઓમાં ઘણી બધી સંખ્યામાં ગાયોને ચરાવવાની દાયકાઓ જૂની પરંપરા પાછી આવશે. સ્વચ્છતા અને ગૌરક્ષાને પ્રોત્સાહન આપવા માટે, પંચાયતી...
National 
અહીંની સરકાર ગાયને ચરાવવા લઇ જનાર ગોવાળોને નોકરી આપી રહી છે... પગાર પણ આપશે, જાણો કેટલો મળશે

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.