શું મુંબઈ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન બદલ વરુણ ધવનને દંડ ફટકારાયો?

બોલિવુડ અભિનેતા વરુણ ધવનને લઈને મુંબઈ મેટ્રોથી વાયરલ વીડિયો અને ત્યારબાદના સમાચાર અંગેની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે અભિનેતાએ મેટ્રોના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જેના કારણે તેને દંડ ફટકારવામાં આવ્યો છે. હવે અભિનેતાની ટીમે આ અહેવાલો પર સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે, જેમાં સત્યનો ખુલાસો થયો છે.

વરુણ ધવનની ટીમે સ્પષ્ટતા કરી છે કે, મુંબઈ મેટ્રો દ્વારા અભિનેતા પર કોઈ દંડ કે પેનલ્ટી લગાવવામાં આવી નથી. ટીમના જણાવ્યા અનુસાર, અગાઉ જાહેર કરવામાં આવેલા કેટલાક અહેવાલો અને પોસ્ટ ગેરસમજ પર આધારિત હતા, જેને બાદમાં અધિકારીઓ દ્વારા પોતે હટાવી લેવામાં આવ્યા હતા. મુંબઈ મેટ્રો સ્ટેશન પર વરુણ ધવન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવા અંગે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફોટોશૂટ અથવા અન્ય કોઈ ગતિવિધિઓ દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ અભિનેતાને દંડ ફટકારવામાં આવ્યો હતો. જો કે, આ બધા દાવા હવે ખોટા ગણાવવામાં આવ્યા છે.

અભિનેતાની ટીમે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘વરુણ ધવન અને મુંબઈ મેટ્રો સાથે જોડાયેલા તાજેતરના સમાચારોને લઈને ફેલાઈ રહેલી અફવાઓને દૂર કરવી છે. ટીમે જણાવ્યું હતું કે અધિકારીઓ દ્વારા જૂની પોસ્ટ દૂર કરવામાં આવી છે અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. સાથે જ અધિકારીઓના સહકાર બદલ તેમનો આભાર માનવામાં આવ્યો હતો.

ટીમના જણાવ્યા અનુસાર, વરુણ ધવન હંમેશાં શહેરના નિયમો અને મુંબઈ મેટ્રો વિભાગની મહેનતનું સન્માન કરે છે. તેમણે એમ પણ કહ્યું કે આ મામલે હવે કોઈ વિવાદ કે પેન્ડિંગ ઇશ્યૂ નથી, સચોટ માહિતી શેર કરવા બદલ મીડિયાનો આભાર માન્યો હતો.

dhawan3
republicbharat.com

વરુણ ધવન હાલમાં રીલિઝ થયેલી પોતાની તાજેતરમાં ફિલ્મ, ‘બોર્ડર 2’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેના અભિનયને દર્શકો અને વિવેચકો બંને તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે, અને બોક્સ ઓફિસ પર પણ ફિલ્મને લઈને ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.

About The Author

Related Posts

Top News

AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

સોશિયલ મીડિયા પર આજકાલ જે વીડિયો અને ફોટા જોવા મળે છે, તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવો હવે...
Tech and Auto 
AI કન્ટેન્ટમાં ફરજિયાત લખવું પડશે કે આ AI જનરેટેડ વિઝ્યુઅલ છે, સરકારનો આદેશ

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.