વેપાર સોદામાં કલમ 232 શું છે? જેના કારણે ભારતીય કંપનીઓને સંપૂર્ણ લાભ નહીં મળે!

ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે. સોદાનો ડ્રાફ્ટ બહાર પડ્યા પછી જ વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. કયા ઉત્પાદનો પર કેટલો ઘટાડો લાગુ થશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અહીં તમને બતાવી દઈએ કે, આ સોદા અંગેનું ચિત્ર અપેક્ષા મુજબ એટલું સારું નથી. મીડિયા અહેવાલો અનુસાર, ભારતની અમેરિકામાં થતી નિકાસના આશરે 10 ટકા (આશરે 8.3 અરબ ડૉલર કિંમતના સામાન) પર હજુ પણ 25 ટકા કે તેથી વધુ ટેરિફ લાગશે.

સોદા હેઠળ, અમેરિકાએ પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. જો કે, કલમ 232 હેઠળ, રાષ્ટ્રીય સુરક્ષા-આધારિત ટેરિફ યથાવત રહેશે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ પર પોસ્ટ કર્યું કે, PM નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા પછી, ભારત અને અમેરિકા વેપાર સોદો થઇ ગયો છે. તેમણે કહ્યું, 'PM નરેન્દ્ર મોદી મારા મહાન મિત્ર છે. તેમની વિનંતી પર, અમેરિકા તાત્કાલિક અસરથી ભારતીય ઉત્પાદનો પરના પારસ્પરિક ટેરિફને 25 થી 18 ટકા સુધી ઘટાડી રહ્યું છે. ભારત પણ અમેરિકન ઉત્પાદનો પરના ટેરિફને શૂન્ય કરવા માટે કામ કરશે.'

Tariff-Section-232
hindi.asianetnews.com

કલમ 232 એ 1962ના US ટ્રેડ એક્સપાન્શન એક્ટનો એક ભાગ છે. આ હેઠળ, રાષ્ટ્રીય સુરક્ષાના નામે સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટોમોબાઇલ્સ, તાંબુ, લાકડી અને ચોક્કસ મશીનરી પર ટેરિફ લાદવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ આ તમામ ઉત્પાદનો પર 50 ટકા સુધીની ડ્યુટી વધારી હતી. અન્ય દેશો સાથે વેપાર કરાર થયા પછી પણ આ ટેરિફ દૂર કરવામાં આવતો નથી. નવો સોદો ફક્ત પારસ્પરિક ટેરિફ ઘટાડે છે, પરંતુ કલમ 232 ટેરિફ પહેલાની જેમાં જ યથાવત રહે છે.

2024 માટે UN કોમટ્રેડના ડેટા અનુસાર, ભારતે અમેરિકાને 80 અરબ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી. આમાંથી, 8.3 અરબ ડૉલર (લગભગ 10 ટકા) કલમ 232 હેઠળ આવતા માલ હતા. દેશની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18.3 ટકા હતો, પરંતુ આ ઉત્પાદનો માટે આ 22.7 ટકા સુધી વધે છે. આનો અર્થ એ થયો કે આ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ US બજાર પર વધારે આધાર રાખે છે.

Tariff-Section-232
assent.com

આ સોદાથી ઓટોમોબાઈલ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત પડશે, જેની અસર 3.9 અરબ ડૉલરની નિકાસ પર પડશે. સ્ટીલની નિકાસ 2.5 અરબ ડૉલરની છે, અને એલ્યુમિનિયમની નિકાસ લગભગ 80 કરોડ ડૉલરની છે. સંયુક્ત રીતે, ત્રણેય શ્રેણીઓમાંથી અસરગ્રસ્ત નિકાસ 85 ટકાથી વધુ છે. લાકડું, તાંબુ અને ઔદ્યોગિક વાહનો જેવા ઉત્પાદનોનો હિસ્સો ઓછો છે.

વૈશ્વિક નિકાસમાં USનો હિસ્સો સ્ટીલમાં 34 ટકા, એલ્યુમિનિયમમાં 37 ટકા અને લાકડામાં 39 ટકા છે. વધુ આધારિત હોવાને કારણે, 25 ટકા ટેરિફ ભારતીય કંપનીઓના નફા, સ્પર્ધાત્મકતા અને રોકાણ પર અસર કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે, વેપાર સોદો પહેલું પગલું છે, પરંતુ કલમ 232 જેવા ટેરિફ ચાલુ રાખવાથી ભારતીય નિકાસકારોને સંપૂર્ણ રાહત મળશે નહીં. ખાસ કરીને ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગો પર દબાણ ચાલુ રહેશે. હાલમાં, સામાન્ય નિકાસને આ સોદાથી ફાયદો થયો છે.

About The Author

Related Posts

Top News

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના કચ્છ જિલ્લામાં પાણી એ જીવનરેખા રૂપ છે. સૂકી ધરતી પર વરસાદી પાણીનું એકએક ટીપું અમૂલ્ય...
Gujarat 
કચ્છના તળાવોને મળ્યો મજબૂત આધાર: કલેક્ટર અને મહેસૂલ ટીમનું એક અભિનંદનીય પગલું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.