- Business
- વેપાર સોદામાં કલમ 232 શું છે? જેના કારણે ભારતીય કંપનીઓને સંપૂર્ણ લાભ નહીં મળે!
વેપાર સોદામાં કલમ 232 શું છે? જેના કારણે ભારતીય કંપનીઓને સંપૂર્ણ લાભ નહીં મળે!
ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાથી ભારતીય નિકાસકારોને મોટી રાહત મળી છે. સોદાનો ડ્રાફ્ટ બહાર પડ્યા પછી જ વિગતવાર માહિતી ઉપલબ્ધ થશે. કયા ઉત્પાદનો પર કેટલો ઘટાડો લાગુ થશે તેની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અહીં તમને બતાવી દઈએ કે, આ સોદા અંગેનું ચિત્ર અપેક્ષા મુજબ એટલું સારું નથી. મીડિયા અહેવાલો અનુસાર, ભારતની અમેરિકામાં થતી નિકાસના આશરે 10 ટકા (આશરે 8.3 અરબ ડૉલર કિંમતના સામાન) પર હજુ પણ 25 ટકા કે તેથી વધુ ટેરિફ લાગશે.
સોદા હેઠળ, અમેરિકાએ પારસ્પરિક ટેરિફ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો છે. જો કે, કલમ 232 હેઠળ, રાષ્ટ્રીય સુરક્ષા-આધારિત ટેરિફ યથાવત રહેશે. US રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથઆઉટ પર પોસ્ટ કર્યું કે, PM નરેન્દ્ર મોદી સાથે વાત કર્યા પછી, ભારત અને અમેરિકા વેપાર સોદો થઇ ગયો છે. તેમણે કહ્યું, 'PM નરેન્દ્ર મોદી મારા મહાન મિત્ર છે. તેમની વિનંતી પર, અમેરિકા તાત્કાલિક અસરથી ભારતીય ઉત્પાદનો પરના પારસ્પરિક ટેરિફને 25 થી 18 ટકા સુધી ઘટાડી રહ્યું છે. ભારત પણ અમેરિકન ઉત્પાદનો પરના ટેરિફને શૂન્ય કરવા માટે કામ કરશે.'
કલમ 232 એ 1962ના US ટ્રેડ એક્સપાન્શન એક્ટનો એક ભાગ છે. આ હેઠળ, રાષ્ટ્રીય સુરક્ષાના નામે સ્ટીલ, એલ્યુમિનિયમ, ઓટોમોબાઇલ્સ, તાંબુ, લાકડી અને ચોક્કસ મશીનરી પર ટેરિફ લાદવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ આ તમામ ઉત્પાદનો પર 50 ટકા સુધીની ડ્યુટી વધારી હતી. અન્ય દેશો સાથે વેપાર કરાર થયા પછી પણ આ ટેરિફ દૂર કરવામાં આવતો નથી. નવો સોદો ફક્ત પારસ્પરિક ટેરિફ ઘટાડે છે, પરંતુ કલમ 232 ટેરિફ પહેલાની જેમાં જ યથાવત રહે છે.
2024 માટે UN કોમટ્રેડના ડેટા અનુસાર, ભારતે અમેરિકાને 80 અરબ ડૉલરની નિકાસ કરવામાં આવી હતી. આમાંથી, 8.3 અરબ ડૉલર (લગભગ 10 ટકા) કલમ 232 હેઠળ આવતા માલ હતા. દેશની કુલ નિકાસમાં અમેરિકાનો હિસ્સો 18.3 ટકા હતો, પરંતુ આ ઉત્પાદનો માટે આ 22.7 ટકા સુધી વધે છે. આનો અર્થ એ થયો કે આ ક્ષેત્રોમાં ભારતીય કંપનીઓ US બજાર પર વધારે આધાર રાખે છે.
આ સોદાથી ઓટોમોબાઈલ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત પડશે, જેની અસર 3.9 અરબ ડૉલરની નિકાસ પર પડશે. સ્ટીલની નિકાસ 2.5 અરબ ડૉલરની છે, અને એલ્યુમિનિયમની નિકાસ લગભગ 80 કરોડ ડૉલરની છે. સંયુક્ત રીતે, ત્રણેય શ્રેણીઓમાંથી અસરગ્રસ્ત નિકાસ 85 ટકાથી વધુ છે. લાકડું, તાંબુ અને ઔદ્યોગિક વાહનો જેવા ઉત્પાદનોનો હિસ્સો ઓછો છે.
વૈશ્વિક નિકાસમાં USનો હિસ્સો સ્ટીલમાં 34 ટકા, એલ્યુમિનિયમમાં 37 ટકા અને લાકડામાં 39 ટકા છે. વધુ આધારિત હોવાને કારણે, 25 ટકા ટેરિફ ભારતીય કંપનીઓના નફા, સ્પર્ધાત્મકતા અને રોકાણ પર અસર કરી શકે છે. નિષ્ણાતો કહે છે કે, વેપાર સોદો પહેલું પગલું છે, પરંતુ કલમ 232 જેવા ટેરિફ ચાલુ રાખવાથી ભારતીય નિકાસકારોને સંપૂર્ણ રાહત મળશે નહીં. ખાસ કરીને ઓટો, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉદ્યોગો પર દબાણ ચાલુ રહેશે. હાલમાં, સામાન્ય નિકાસને આ સોદાથી ફાયદો થયો છે.

