ધાબળા તૈયાર રાખજો, આગામી દિવસોમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની છે

નવા વર્ષની શરૂઆત સાથે જ ગુજરાતમાં શીત લહેરનો પ્રભાવ યથાવત રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બર્ફીલા પવનોના કારણે રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં લઘુતમ તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધુ ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બનશે.

winter
chitralekha.com

હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે. આ પરિસ્થિતિને કારણે કચ્છનું નલિયા 8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે રાજકોટ 9.4 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે.

રાજ્યના મુખ્ય શહેરોમાં લઘુતમ તાપમાન:

નલિયા – 8 ડિગ્રી
રાજકોટ – 9.4 ડિગ્રી
ડીસા – 10.8 ડિગ્રી
ભૂજ – 11.2 ડિગ્રી
ગાંધીનગર – 12 ડિગ્રી
પોરબંદર – 13.9 ડિગ્રી
અમદાવાદ – 14 ડિગ્રી
વડોદરા – 14.2 ડિગ્રી

winter
abplive.com

વરસાદ બાબતે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે 9 જાન્યુઆરી સુધી રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા નહિવત છે અને વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે. જોકે, રાત્રિના સમયે પવનની ગતિ વધતા ઠંડીની તીવ્રતા વધુ અનુભવાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રીથી નીચે રહેવાની સંભાવના છે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી શકે છે.

About The Author

Related Posts

Top News

બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા: IPAC પર EDના દરોડા, મમતા ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગ્રીન ફાઈલ...

પશ્ચિમ બંગાળમાં આગામી ચૂંટણીઓ પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ગુરુવારે વહેલી સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તૃણમૂલ કોંગ્રેસ...
Politics 
બંગાળમાં હાઈવોલ્ટેજ ડ્રામા: IPAC પર EDના દરોડા, મમતા ઘટનાસ્થળે પહોંચી ગયા અને ગ્રીન ફાઈલ...

ઈન્દોર પ્રદૂષિત પાણી કાંડ: સરકારી ચોપડે 8 નિધન, પણ વળતર અપાયું 18 પરિવારોને

મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પ્રદૂષિત પાણી પીવાથી થયેલા મોતના મામલે રાજ્ય સરકાર વિવાદમાં સપડાઈ છે. એક તરફ મધ્ય પ્રદેશ સરકાર સત્તાવાર...
National 
ઈન્દોર પ્રદૂષિત પાણી કાંડ: સરકારી ચોપડે 8 નિધન, પણ વળતર અપાયું 18 પરિવારોને

ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી, પરંતુ સંસ્કૃતિ, પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે....
National 
ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...

દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો

ભારતમાં ઘણા એવા શહેરો છે જ્યાં લોકો વોટર પ્યુરિફાયરનો ઉપયોગ કરવાને બદલે સીધું નળમાંથી જ  પાણી પીવે છે. આ સાત...
National 
દેશના આ 7 શહેરોમાં પીવાનું પાણી સૌથી શુદ્ધ છે; તમે તેને સીધું નળમાંથી પી શકો છો
Copyright (c) Khabarchhe All Rights Reserved.