મહિનાની અંદર મહિલાએ બે બાળકોને જન્મ કંઈ રીતે આપી દીધો? જન્મના બે દિવસ અગાઉ ઇશ્યૂ થઈ ગયો જન્મનો દાખલો

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ અંતિમ તબક્કામાં છે. અંતિમ મતદાર યાદી 28 ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થવાની છે. સુનાવણી કોઈપણ કિંમતે 21 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવાની છે. એક અંદાજ મુજબ, લગભગ 32 લાખ નામો અનમેપ્ડ છે, જેની સુનાવણી થવાની છે. ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને આ વ્યક્તિઓના ડેટા ઉકેલવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચૂંટણી પંચને બંગાળમાં એવા કિસ્સાઓ પણ મળ્યા છે જ્યાં બે બાળકોના જન્મના સમયમાં ખૂબ જ ઓછું અંતર છે. એક કેસમાં એવો પણ મળ્યો છે જ્યાં જન્મના બે દિવસ અગાઉ જન્મ પ્રમાણપત્ર જાહેર થઈ ચૂક્યું છે.

એક અંગ્રેજી દૈનિકના અહેવાલ મુજબ, કોલકાતાના દક્ષિણી બાહ્ય વિસ્તારમાં આવેલા મેતિયાબુરુઝ વિસ્તારમાં એક મહિલાને એક મહિનાની અંદર 2 બાળકો થવાની વાત સામે આવી છે. એસ.કે. ઇર્શાદ અને શેખ નૌશાદ ભાઈઓ છે. SIR પ્રક્રિયા દરમિયાન સબમિટ કરાયેલા દસ્તાવેજોમાં બંને ભાઈની ઉંમરમાં એક મહિના કરતા પણ ઓછા સમયનો તફાવત છે.

SIR2
asianage.com

મોટા ભાઈના દસ્તાવેજમાં તેની જન્મ તારીખ 5 ડિસેમ્બર, 1990 અને નાના ભાઈની જન્મ તારીખ 1 જાન્યુઆરી, 1991 દર્શાવવામાં આવી છે. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિવારના તમામ 10 સભ્યોની ઓળખ થઈ છે. એવું લાગે છે કે, તેમના માતા-પિતા એક જ છે. સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા તમામ 10 વસ્તી ગણતરી ફોર્મ અને દસ્તાવેજોમાં પરિવારના વડા એસ.કે. અબ્દુલને તેમના પિતા તરીકે દર્શાવવામાં આવ્યા છે. મનોવારા બીબીનું નામ સતત માતા તરીકે લખવામાં આવ્યું છે. 10 બાળકોમાંથી 4નો જન્મ 1 જાન્યુઆરીએ થયો છે.

આવો જ એક કિસ્સો ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાનગરમાંથી પણ સામે આવ્યો છે. બે દિવસ પહેલા એક વ્યક્તિનું જન્મ પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. એક મતદાર SIR 2002 સાથે 5 વર્ષની ઉંમરે મેપ કરવામાં આવ્યો, જ્યારે બીજો 13 વર્ષનો હોવાનું જાણવા મળ્યું હતું.

SIR1
ddnews.gov.in

સુનાવણી દરમિયાન, પંચને જાણવા મળ્યું કે પપીલ સરકાર દ્વારા રજૂ કરાયેલ જન્મ પ્રમાણપત્રમાં તારીખ 6 માર્ચ, 1993 લખવામાં આવી હતી, પરંતુ તેનું જન્મ પ્રમાણપત્ર તેના જન્મના બે દિવસ અગાઉ 4 માર્ચ, 1993ના રોજ નોંધાયેલું હતું. SIRનું કામ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે આવા કેસોમાં વિલંબ થઈ રહ્યો છે, કારણ કે આ કેસ ચકાસણી માટે ઇલેક્ટોરલ રજીસ્ટ્રેશન ઓફિસર પાસે મોકલવામાં આવે છે. સંબંધિત હોસ્પિટલ ઓથોરિટી પાસે પણ ખરાઈ કરવામાં આવે છે. આ બધી પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો, હવે 56 દેશોમાં મળશે વીઝા વગર એન્ટ્રી

જો તમે વિદેશ પ્રવાસના શોખીન છો, તો તમારા માટે એક શાનદાર સમાચાર છે. વૈશ્વિક સ્તરે ભારતીય પાસપોર્ટની શક્તિમાં મોટો...
Lifestyle 
ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો, હવે 56 દેશોમાં મળશે વીઝા વગર એન્ટ્રી

મહિનાની અંદર મહિલાએ બે બાળકોને જન્મ કંઈ રીતે આપી દીધો? જન્મના બે દિવસ અગાઉ ઇશ્યૂ થઈ ગયો જન્મનો દાખલો

પશ્ચિમ બંગાળમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)નું કામ અંતિમ તબક્કામાં છે. અંતિમ મતદાર યાદી 28 ફેબ્રુઆરી સુધીમાં પ્રકાશિત થવાની...
National 
મહિનાની અંદર મહિલાએ બે બાળકોને જન્મ કંઈ રીતે આપી દીધો? જન્મના બે દિવસ અગાઉ ઇશ્યૂ થઈ ગયો જન્મનો દાખલો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-02-2026 વાર- શનિવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

12 ફેબ્રુઆરીએ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)એ જીત મેળવી છે. 300 સભ્યોની સંસદમાં લગભગ BNPને...
World 
બાંગ્લાદેશની ચૂંટણીમાં BNPની આંધી! 209 બેઠકો જીતીને સત્તાની તસવીર બદલી; તારિક રહેમાન બનશે આગામી PM!

Opinion

હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે હાર્દિક, ગોપાલ, વરુણ, અલ્પેશનું રાજકારણ કેટલું ચાલશે એ તો ભાજપ તરફી બહુમત પાટીદાર સમાજ જ નક્કી કરશે
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતમાં પાટીદાર આંદોલનનું નેતૃત્વ કરવામાં આગળ રહેલા યુવાનો હાલ ગુજરાતની રાજનીતિમાં સતત ચર્ચામાં રહે છે. આંદોલનના અંતે પાટીદાર...
એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.