સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની બેઠકો પર SC/ST/OBCનો પણ અધિકાર! સુપ્રીમ કોર્ટે 'ડબલ બેનિફિટ'ની દલીલ ફગાવી

સરકારી નોકરીઓમાં અનામત અને મેરિટ અંગે ચાલી રહેલી લાંબી બહેસ પર સુપ્રીમ કોર્ટે પૂર્ણવિરામ લગાવી દીધો છે. એક ઐતિહાસિક અને દૂરગામી નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું કે અનામત કેટેગરીના (SC, ST, OBC અને EWS)ના ઉમેદવારો પણ સામાન્ય કેટેગરીની બેઠકોમાં નોકરી મેળવવા માટેના હકદાર છે, જો તેઓ સામાન્ય કેટેગરીના કટઓફ માર્ક્સ પૂરા કરે. પરંતુ શરત સાથે કે તેઓ મેરિટમાં જનરલ કેટેગરીના કટઓફ ગુણ હાંસલ કરે. આ નિર્ણય માત્ર અનામત કેટેગરીના મેઘાવી વિદ્યાર્થીઓ માટે મોટી જીત છે, પરંતુ આ સામાન્ય કેટેગરીની બેઠકોની પરિભાષાને પણ ફરીથી વ્યાખ્યાયિત કરે છે.

SC
facebook.com/SupremeCourtOfIndia

આ કેસ રાજસ્થાન હાઈકોર્ટની એક ભરતી પ્રક્રિયા સાથે જોડાયેલો છે. રાજસ્થાન હાઈકોર્ટે કેટલીક જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી હતી, જેમાં તેમણે એક નિયમ બનાવ્યો હતો કે અનામત કેટેગરીના ઉમેદવારોને સામાન્ય કેટેગરીની બેઠકો પર નિયુક્ત કરવામાં નહીં આવે, ભલે તેમના ગુણ સામાન્ય કેટેગરીના કટઓફ કરતા વધુ કેમ ન હોય. હાઈકોર્ટે તર્ક આપ્યો હતો કે જો અનામત કેટેગરીને જનરલ બેઠક ફાળવી આપવામાં આવી તો તે ડબલ બેનિફિટ જેવું હશે- પ્રથમ અનામતનો લાભ અને બીજું સામાન્ય કેટેગરીની બેઠકનો.

સુપ્રીમ કોર્ટે આ દલીલને પૂરી રીતે ફગાવી દીધી. ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જી. મસીહની બેન્ચે રાજસ્થાન હાઈકોર્ટની અરજી ફગાવી દીધી, જેમાં કહ્યું હતું કે યોગ્યતાનું સન્માન થવું જોઈએ. સુપ્રીમ કોર્ટે 1992ના ઐતિહાસિક ઈન્દિરા સાહનીના ચૂકાદાનો સંદર્ભ આપ્યો. ન્યાયાધીશ દત્તાએ કડક ટિપ્પણી કરતા કહ્યું કે, ‘અમારું માનવું છે કે ઓપનશબ્દનો અર્થ માત્ર ખુલ્લી થાય છે. એટલે કે, ખુલ્લી કેટેગરી હેઠળ ભરવાની બેઠકો કોઈ ચોક્કસ જાતિ કે વર્ગની જાગીર નથી. તે બધા માટે ખુલ્લી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે અનામતની ઉપલબ્ધતા કોઈ મેઘાવી ઉમેદવારને બિનઅનામત બેઠક પર મેરિટના આધારે પસંદ થતા નહીં રોકી શકે.

SC
facebook.com/SupremeCourtOfIndia

આ નિયમ કેવી રીતે લાગૂ થશે?

સુપ્રીમ કોર્ટે ભરતી પ્રક્રિયાને લઈને સ્થિતિ એકદમ સ્પષ્ટ કરી દીધી

લેખિત પરીક્ષા: જો અનામત કેટેગરી (SC/ST/OBC)ના ઉમેદવાર લેખિત પરીક્ષામાં સામાન્ય કેટેગરીના કટઓફ કરતા વધુ ગુણ મેળવે છે, તો તેમને ઇન્ટરવ્યૂના સમયે સામાન્ય કેટેગરીના ઉમેદવાર ગણવામાં આવશે.

ફાઇનલ મેરિટ: જો ફાઇનલ પરિણામમાં તેમના કુલ ગુણ જનરલ કેટેગરીના કટઓફથી નીચે આવે છે, તો તેને પરત તેમની મૂળ અનામત કેટેગરીમાં પાછા ગણવામાં આવશે, જેથી અનામતનો લાભ મળી શકે.

About The Author

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.