સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પારાને એક કારણ વગરની અયોગ્ય ટિપ્પણી માટે સખત ઠપકો આપ્યો. એટલું જ નહીં, તેમણે ભવિષ્ય માટે કડક ચેતવણી પણ આપી. તેમણે સ્પષ્ટપણે નેદુમ્પારાને કહ્યું કે જો તેમની ગેરવર્તણૂક આવી રીતે ચાલુ રહેશે, તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. CJI નેદુમ્પારાની ટિપ્પણીથી સ્પષ્ટપણે નારાજ દેખાયા.

CJI-Suryakant
tarunmitra.in

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, CJI સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પાર પર ત્યારે ગુસ્સે થયા જ્યારે તેમણે ટિપ્પણી કરી કે 'અદાણી અને અંબાણી' માટે બંધારણીય બેન્ચ બનાવવામાં આવે છે, પરંતુ રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચ (NSAG)ને પડકારતી અરજીઓની સુનાવણી કરવામાં આવતી નથી. એ નોંધવું જોઈએ કે મોદી સરકારે ન્યાયતંત્રની નિમણૂકો માટે કોલેજિયમ સિસ્ટમને NSAG સાથે બદલી નાખી હતી, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.

CJI-Suryakant3
thestatesman.com

હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં મેન્શન રાઉન્ડ દરમિયાન, મેથ્યુઝ નેદુમ્પરા કોલેજિયમ સિસ્ટમને પડકારતી અને રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક પંચની પુનઃસ્થાપનાની માંગ કરતી અરજીની સુનાવણી માટે ઉલ્લેખ કરવા માંગતા હતા. આના પર CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, રજિસ્ટ્રી પાસે આવી કોઈ અરજી નથી. નેદુમ્પરાએ વળતો જવાબ આપ્યો, 'અદાણી અને અંબાણી માટે બંધારણીય બેન્ચ બનાવવામાં આવી રહી છે, પરંતુ સામાન્ય લોકોને અસર કરતા કેસોની સુનાવણી કરવામાં આવી રહી નથી.'

CJI-Suryakant4
x.com

CJI સૂર્યકાંતે નેદુમ્પરાને કડક ચેતવણી આપતા કહ્યું, 'શ્રી નેદુમ્પરા, મારી કોર્ટમાં તમે જે કઈ પણ કહો છો તેની કાળજી રાખો. તમે મને ચંદીગઢમાં, દિલ્હીમાં જોયો છે... હું તમને ચેતવણી આપી રહ્યો છું, સાવચેત રહો. એવું ન માનો કે તમે અન્ય બેન્ચ પર જેમ ખરાબ વર્તન કરો છો તેમ કરવાનું ચાલુ રાખી શકો છો. હું તમને ચેતવણી આપી રહ્યો છું.'

CJI-Suryakant2
msn.com

ખરેખર, 2024માં, સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ નેદુમ્પરાની અરજી નોંધવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે, આ મામલે નવી રિટ અરજી પર વિચાર કરી શકાતો નથી, કારણ કે NJACનો નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે, તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ પણ નેદુમ્પારાને આ જ અરજી પર સુનાવણીની માંગ કરવા બદલ ઠપકો આપતા કહ્યું હતું કે, 'કોર્ટમાં રાજકીય ભાષણો ન આપો.'

About The Author

Related Posts

Top News

મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી મંત્રીઓ અને ધારાસભ્યોને સરકારી અધિકારીઓ ગાંઠતા ન હોવાની અને જિલ્લાના પ્રવાસ દરમિયાન માન સન્માન ન મળતું...
Gujarat 
મંત્રી-ધારાસભ્યોને માન-સન્માન ન આપનારા અધિકારીઓની ખેર નહીં, થશે કાર્યવાહી

સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત

સેમસંગે તેની નવી ફ્લેગશિપ સ્માર્ટફોન સીરિઝ, ગેલેક્સી S26 લોન્ચ કરી દીધી છે. આ સીરિઝમાં ગેલેક્સી S26, S26+ અને ગેલેક્સી ...
Tech and Auto 
સેમસંગે લોન્ચ કરી S26 સીરિઝ, વિશ્વનો પ્રથમ 2nm ચીપસેટથી સજ્જ છે આ સ્માર્ટફોન, જાણી લો કિંમત

સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

સોમવારે, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે વકીલ મેથ્યુઝ નેદુમ્પારાને એક કારણ વગરની અયોગ્ય ટિપ્પણી માટે સખત ઠપકો આપ્યો....
National 
સુપ્રીમ કોર્ટમાં જ્યારે વકીલે અદાણી-અંબાણીના નામનો ઉલ્લેખ કર્યો ત્યારે CJI ચેતવણી આપતા કહ્યું, 'તમે હોંશમાં વાત કરો...'

RBIનો બેંકોને કડક આદેશ: ગ્રાહકની જાણ વગર કોઈ સર્વિસ ચાલુ ન કરવી અને 'ડાર્ક પેટર્ન'...

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ગ્રાહકોના હિતમાં એક મોટું પગલું ભરતા દેશની તમામ બેંકો અને નાણાકીય સંસ્થાઓને તેમની વેબસાઇટ...
Business 
RBIનો બેંકોને કડક આદેશ: ગ્રાહકની જાણ વગર કોઈ સર્વિસ ચાલુ ન કરવી અને 'ડાર્ક પેટર્ન'...
Copyright (c) Khabarchhe All Rights Reserved.