દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી અમે તમને આ અંગે આગળ જણાવવાના છીએ. દિલ્હીનો પહેલો આધુનિક શોપિંગ મોલ અંસલ પ્લાઝા હતો. આ મોલ હજુ પણ ઉભો છે, પરંતુ હવે તે ઉજ્જડ છે. લોકો તેને ભૂતિયું ઘર કહે છે. આ ઇમારત જર્જરિત થઈ ગઈ છે, અને લોકો આજે તેની મુલાકાત લેવા માટે અચકાય છે. ચાલો જાણીએ આવું શા માટે. અંસલ પ્લાઝા દેશની રાજધાની દિલ્હીનો પહેલો મોલ હતો. તે 1999 માં દક્ષિણ દિલ્હી (એન્ડ્રૂઝ ગંજ નજીક)માં ખુલ્યો હતો. તે સમયે, તેને દિલ્હીનો પહેલો મોટો મલ્ટી-બ્રાન્ડ, એર-કન્ડિશન્ડ શોપિંગ મોલ માનવામાં આવતો હતો. તેમાં રિટેલ સ્ટોર્સ, ફૂડ કોર્ટ, સિનેમા અને ઓપન-એર પ્લાઝા જેવી સુવિધાઓ હતી. આ મોલ હજુ પણ ઉભો છે, પરંતુ હવે તેમાં એટલી રોનક નથી રહી.

અહીં કામ કરતા સૌથી વૃદ્ધ ગાર્ડે નામ ન આપવાની શરતે જણાવ્યું કે ઉદ્ઘાટન સમયે તે ખૂબ જ નાનો હતો અને ત્યારથી અહીં ગાર્ડની નોકરી કરી રહ્યો છે. એક સમય હતો જ્યારે અહીં ચાલવા માટે પણ પૂરતી જગ્યા નહોતી. આખો દિવસ અહીં ભીડ રહેતી હતી. લોકો અહીં આવીને બેસતા. આ તે યુગનો એકમાત્ર મોલ હતો, જેણે દિલ્હીમાં મોલ કલ્ચરને પ્રોત્સાહન આપ્યું હતું. લોકોએ પહેલી વાર મોલ કલ્ચરજોઈ હતી.

ansal-plaza2
thehindu.com

ગાર્ડે એ પણ ઉલ્લેખ કર્યો કે મેકડોનાલ્ડ્સ પહેલી વાર 1999માં અહીં ખુલ્યું હતું, જે ડેટિંગ સ્પોટ બની ગયું હતું. આ ઉપરાંત ત્યાં એક એમ્ફીથિયેટર પણ હતું જ્યાં કાર્યક્રમો યોજાતા હતા, અને પહેલી વાર લોકોએ લાઈવ કોન્સર્ટ જોયા હતા. અહીં એક સંગીતની દુનિયા હતી, જ્યાં કેસેટ અને CDની દુનિયા હતી. હવે, બધું જ ગાયબ થઈ ગયું છે. અહી માત્ર મેકડોનાલ્ડ્સ બચ્યું છે. તેને કારણે થોડી ભીડ અહીં આવે છે. નહિંતર, તે હંમેશાં સન્નાટો રહે છે.

અંસલ પ્લાઝા જોવામાં સુંદર છે. તેની પાછળ એક મોટો પાર્ક છે. એક મોલથી બીજા મોલમાં જવા માટે, એકબીજાની સામે બે ઇમારતો છે, અને અંદર જવા માટે બહારથી ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. એટલે કે તમારે એક ઇમારતથી બીજી ઇમારતમાં જવા માટે રસ્તાનો ઉપયોગ કરવો નહીં પડે. પરંતુ, બંને મોલ ફ્લાયઓવર દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. આ કારણે બંને એક બીજાને ખાસ બનાવે છે.

ansal-plaza4
hindi.news18.com

પરંતુ જેમ-જેમ સમય બદલાયો તેમ-તેમ મોલે તેની રોનક ગુમાવી દીધી. હવે, ઇમારત અંદરથી ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે, અને આખો દિવસ સન્નાટો પ્રસરી રહે છે. હવે, અહીં ફક્ત એક સ્પા સેન્ટર અને બે રેસ્ટોરાં ચાલે છે. આ ઉપરાંત, અહીં કંઈ બચ્યું નથી. અહીં કોઈ જલદી જતું નથી.

અહી એક બેઝમેન્ટ પાર્કિંગ લોટ પણ છે, જે એક સમયે ભરેલો રહેતો હતો, પરંતુ હવે તે ખાલી છે. મોલની અંદર સન્નાટો છે. રેસ્ટોરાં અંદરથી ખાલી પડ્યા છે, અને પહેલા જેવી ચહલપહલ નથી, કારણ કે તે દિલ્હીના એક એવા ભાગમાં સ્થિત છે જ્યાં લોકો સાંજ અને રાત્રિના સમયે જતા ડરે છે. આ જ કારણ છે કે લોકોએ તેને ભૂતિયું ઘર નામ આપી દીધું છે, પરંતુ તે ખરેખર ભૂતિયું નથી. તે માત્ર જૂની રોનક ખોવાઈ જવાને કારણે હવે ઉજ્જડ પડ્યો છે.

ansal-plaza3
hindi.news18.com

અહીં કામ કરતા લોકોનું માનવું છે કે દિલ્હીના પહેલા મોલના વિનાશ પાછળનું મુખ્ય કારણ તાજેતરમાં એકથી એક શાનદાર મોલ્સ ખોલી ચૂક્યા છે. તે એક સમયે પિકનિક સ્પોટ અને મોલ કલ્ચરનો સ્પોટ પણ હતો. પરંતુ હવે, વિકાસને કારણે મોલ ઉજ્જડ પડી ગયો છે. એસ્કેલેટર કામ કરતા નથી. દુકાનોને તાળાં લાગ્યા છે. તેને 2016માં ફરીથી શરૂ લોન્ચ કરવામાં આવ્યો હતો, પરંતુ તે પણ નિષ્ફળ થઈ ગયું.

હવે, આ સ્થાન પર ફક્ત મજૂરો, રખડતા કૂતરાઓ અને સ્પા કામદારો જ જોવા મળે છે. સામાન્ય લોકો હવે મુલાકાત લેતા નથી. ખૂબ જ ભાગ્યે જ, તમને અહીં ક્યારેક ક્યારેક લોકો જોવા મળશે. નહિંતર, તે મોટે ભાગે શાંત છે. દેશનો પહેલો મોલ હવે જર્જરિત હાલતમાં છે અને દિલ્હીવાસીઓને મોલ સંસ્કૃતિનો પરિચય કરાવનાર મોલ હવે ટકી રહેવા માટે સંઘર્ષ કરતો જોવા મળે છે.

About The Author

Related Posts

Top News

દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

શું તમે જાણો છો કે દેશની રાજધાની દિલ્હીમાં પહેલો મોલ કયો હતો? જો નહીં, વધારે વિચારવાની જરૂર નથી...
National 
દિલ્હીનો પહેલો મોલ અંસલ પ્લાઝા બની ગયો 'ભૂતિયું ઘર', જાણો કેમ થઇ ગયો બરબાદ

અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

અમેરિકા વિશ્વના નવ દેશોમાંનો એક છે. તેની પાસે તેના આધુનિક ઇતિહાસ સિવાય બડાઈ મારવા કે ગર્વ કરવા જેવું કંઈ નથી....
World 
અમેરિકા દુનિયાને કયા રસ્તે લઈ જઈ રહ્યું છે?

આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

જો તમે ઓછા બજેટમાં ઓટોમેટિક SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખાસ તમારા માટે છે. શહેરોમાં વધતા...
Tech and Auto 
આ છે સૌથી સસ્તી 5-સ્ટાર રેટેડ ઓટોમેટિક SUV, કિંમત 6.21 લાખ રૂપિયાથી શરૂ

એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

બેંગલુરુમાં એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. જ્યોતિષની આગાહી પછી 27 વર્ષીય મહિલા એન્જિનિયરે આત્મહત્યા કરી લીધી. આ ઘટના શહેરના...
National 
એક જ્યોતિષે આગાહી કરી 'લગ્ન બે વર્ષમાં તૂટી જશે...', પછી મહિલા એન્જિનિયરે જીવન ટૂંકાવી લીધું!

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.