માદુરો જેલમાં, ટ્રમ્પનો તેલ ભંડાર પર નિયંત્રણ; તો પછી વેનેઝુએલાના શેરબજારમાં એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો કેમ?

વેનેઝુએલાની કટોકટી હાલમાં વિશ્વમાં સૌથી વધુ ચર્ચાસ્પદ વિષય બનેલી છે. અને એવું થાય પણ કેમ નહીં? આખરે અમેરિકાએ દેશના રાષ્ટ્રપતિની ધરપકડ કરી છે. આટલું ન નહીં, આ દેશના તેલ ભંડાર પર અમેરિકાનું નિયંત્રણ હોય તેવું લાગે છે. પરંતુ એક બાજુ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડથી વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે, તો બીજી બાજુ ખુદ વેનેઝુએલાના શેરબજારમાં પણ તેજી જોવા મળી રહી છે. ખરેખર, કરાકસ સ્ટોક એક્સચેન્જમાં માત્ર એક જ દિવસમાં 50 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.

US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 2-3 જાન્યુઆરીની રાત્રે સ્ટ્રાઇક્સ (US સ્ટ્રાઇક્સ વેનેઝુએલા) શરૂ કરીને વેનેઝુએલા સામે કડક કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન, વેનેઝુએલાના રાષ્ટ્રપતિ માદુરો અને તેમની પત્નીની ધરપકડ કરીને તેમને ન્યૂયોર્ક લઈ જવામાં આવ્યા હતા.

આ મામલો ત્યાં જ અટક્યો નહીં. વેનેઝુએલાના તેલ ક્ષેત્ર પર નિયંત્રણનો દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં અમેરિકન તેલ કંપનીઓના પ્રવેશની વાત કરીને વૈશ્વિક ઉર્જા ક્ષેત્રમાં હલચલ મચાવી દીધી. હવે, ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ દ્વારા એક મોટી જાહેરાત કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વેનેઝુએલામાં વચગાળાની સરકાર 3-5 કરોડ બેરલ તેલ યુનાઇટેડ સ્ટેટ્સમાં મોકલશે, અને પરિણામી આવક પર તેમનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

Venezuela-Stock-Market1
navbharattimes.indiatimes.com

સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે, વેનેઝુએલામાં હુમલો કરવામાં આવ્યો છે, તેના રાષ્ટ્રપતિની ધરપકડ કરવામાં આવી છે, અને દેશની તિજોરી લગભગ જપ્ત જ કરવામાં આવી છે. પરંતુ આ બધા વચ્ચે, દેશનું શેરબજાર તૂટી પડવાને બદલે, કેમ તેજીમાં હોય તેવું લાગે છે? વેનેઝુએલાના શેરબજારનો મુખ્ય સૂચકાંક, કરાકસ જનરલ ઇન્ડેક્સ, એક જ દિવસમાં 50 ટકા વધ્યો. એક્સચેન્જ ડેટા પર નજર કરીએ તો, ઇન્ડેક્સ 6 જાન્યુઆરીએ 3896.8 પર બંધ થયો, જે 1299 પોઈન્ટ અથવા 50.01 ટકાનો વધારો દર્શાવે છે.

નિકોલસ માદુરોની ધરપકડ પછી, કરાકસ ઇન્ડેક્સની ઉંચાઈ રોકેટ ગતિએ છે, જે 2 જાન્યુઆરીએ 2231થી વધીને 6 જાન્યુઆરીએ 3896ની આગળ નીકળી ચુક્યો છે, જે 74 ટકાથી વધુનો વધારો દર્શાવે છે. એટલું જ નહીં, ગયા વર્ષે 23 ડિસેમ્બરે, જ્યારે US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલા પર દબાણ વધારવાનું શરૂ કર્યું ત્યારથી વેનેઝુએલાના શેરબજારના પ્રદર્શન પર નજર કરીએ તો, ઇન્ડેક્સમાં લગભગ 150 ટકાનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલાનું શેરબજાર 1947માં સ્થાપિત થયું હતું અને તે દક્ષિણ અમેરિકાનું સૌથી નાનું સ્ટોક એક્સચેન્જ છે.

Venezuela-Stock-Market
bharat24live.com

હવે ચર્ચા કરીએ કે, આટલી બધી ઘટનાઓ બની છતાં, આખરે વેનેઝુએલાનું શેરબજાર તૂટી પડવાને બદલે વધી કેમ રહ્યું છે. મળતા અહેવાલો અનુસાર, બજાર રોકાણકારો (વેનેઝુએલા સ્ટોક માર્કેટ ઇન્વેસ્ટર્સ)એ હવે US પ્રવેશ પછી દેશમાં રાજકીય સ્થિરતા અને આર્થિક સુધારા થાય એવી આશા ઉભી કરી છે.

આ ઉપરાંત, લાંબા સમયથી US પ્રતિબંધોનો સામનો કરી રહેલા વેનેઝુએલાને આ પ્રતિબંધોમાંથી રાહત મળી શકે છે, જેનાથી વૈશ્વિક રોકાણના પ્રવાહ દ્વારા આર્થિક વૃદ્ધિમાં સુધારો થવાની આશા જાગી છે અને રોકાણકારોની આ સકારાત્મક ભાવનાએ બજારને મજબૂત બનાવ્યું છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.