ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના નામ પર બબાલ, , મનોજ બાજપેયીએ કહ્યું- ‘હું ભાવનાઓને સમજું છું...’

નેટફ્લિક્સે તાજેતરમાં જ લગભગ 20 નવી ફિલ્મો અને સીરિઝની જાહેરાત કરી હતી, જેમાં ફિલ્મ નિર્માતા નીરજ પાંડેની ઘૂસખોર પંડતનો પણ સમાવેશ થાય છે. ફિલ્મની જાહેરાત થતા જ રાજકીય ચર્ચા શરૂ થઈ ગઈ છે. દેશભરમાં વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશ સરકારે ફિલ્મ સામે FIR દાખલ કરવાનો આદેશ આપી દીધો છે.

આ દરમિયાન, લખનૌના સેન્ટ્રલ ઝોનના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં ઘૂસખોર પંડતના ડિરેક્ટર અને તેમની ટીમ (અજ્ઞાત) વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોનના DCP વિક્રાંત વીર અનુસાર, આ વેબ સીરિઝની સામગ્રી જાતિ આધારિત અપમાન, સામાજિક આક્રોશ અને શાંતિ ભંગ થવાની શક્યતા છે. આને બધુ ધ્યાનમાં રાખતા સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

Ghooskhor Pandat
indiatoday.in

વિવાદ પર શું બોલ્યો મનોજ બાજપેયી?

ફિલ્મ ઘૂસખોર પંડતના શીર્ષકને લઈને મોટો વિવાદ ઉભો કરી દીધો છે. પંડિત અને બ્રાહ્મણ સમુદાયના લોકો રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે. તેની રીલિઝ પર પ્રતિબંધ મૂકવાની માંગણીઓ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અથવા તો ફિલ્મનું શીર્ષક બદલવું જોઇએ અથવા તેને રીલિઝ ન કરવી જોઈએ. તાજેતરમાં જ, ફિલ્મના દિગ્દર્શક નીરજ પાંડેએ આ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું હતું.

https://twitter.com/BajpayeeManoj/status/2019650844657135691?s=20

હવે, ફિલ્મના મુખ્ય અભિનેતા, મનોજ બાજપેયીએઘૂસખોર પંડતને લઈને થઈ રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી છે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા લખ્યું કે, ‘હું એ બધી ભાવનાઓ અને ચિંતાઓને સમજું છું, જે લોકો જણાવી રહ્યા છે. હું તેમને ગંભીરતાથી લઉં છું. જ્યારે તમે કોઈ વસ્તુમાં સામેલ હોવ છો, જે કેટલાક લોકોને દુઃખ પહોંચાડે છે, ત્યારે વ્યક્તિ રોકાય છે અને ધ્યાનથી સાંભળે છે. એક અભિનેતા તરીકે, હું ફિલ્મમાં માત્ર પોતાની ભૂમિકા અને કહાની દ્વારા આવું છું. મારા માટે, આ ભૂમિકા નબળા વ્યક્તિની હતી, જે ધીમે-ધીમે પોતાને સમજે છે અને વધુ સારો બને છે.

ઘૂસખોર પંડતના મેકર્સનો શું નિર્ણય છે?

મનોજ બાજપેયીએ નિર્માતાઓના નિર્ણયનો સાથ આપતા કહ્યું કે, ‘આનો હેતુ કોઈપણ સમુદાય પર ટિપ્પણી કરવાનો નહોતો. નીરજ પાંડે સાથે કામ કરવાનો મારો અનુભવ એ રહ્યો છે કે, ‘તેઓ પોતાની ફિલ્મો ખૂબ જ ગંભીરતા અને કાળજી સાથે બનાવે છે. ફિલ્મ નિર્માતાઓએ લોકોની ભાવનાઓને જોતાં પ્રમોશનવાળી બધી વસ્તુ, જેમાં પોસ્ટર, વીડિયો સામેલ છે, તેને હટાવી દીધા છે. આ બતાવે છે કે તેઓ આ ચિંતાઓને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે.

Ghooskhor Pandat
ndtv.com

મનોજ બાજપેયી ફિલ્મ ઘૂસખોર પંડતમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવે છે. તેમની સાથે-સાથે ફિલ્મમાં નુશરત ભરુચા, સાકિબ સલીમ, અક્ષય ઓબેરોય અને કીકુ શારદા જેવા અભિનેતા પણ સામેલ છે. આ ફિલ્મ આ વર્ષે નેટફ્લિક્સ પર રીલિઝ થવાની છે.

About The Author

Related Posts

Top News

7 તારીખે ઓલા, ઉબર અને રેપિડોના પૈડાં થંભી જશે; જાણો શું છે ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન

શનિવાર, 7 ફેબ્રુઆરી 2026 એટલે કે આવતીકાલની સવાર કદાચ તમારા માટે સારી નહીં હોય. કારણ કે એપ-આધારિત કેબ સેવાઓ...
National 
7 તારીખે ઓલા, ઉબર અને રેપિડોના પૈડાં થંભી જશે; જાણો શું છે ઓલ ઈન્ડિયા બ્રેકડાઉન

ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના નામ પર બબાલ, , મનોજ બાજપેયીએ કહ્યું- ‘હું ભાવનાઓને સમજું છું...’

નેટફ્લિક્સે તાજેતરમાં જ લગભગ 20 નવી ફિલ્મો અને સીરિઝની જાહેરાત કરી હતી, જેમાં ફિલ્મ નિર્માતા નીરજ પાંડેની ‘ઘૂસખોર...
ફિલ્મ ‘ઘૂસખોર પંડત’ના નામ પર બબાલ, , મનોજ બાજપેયીએ કહ્યું- ‘હું ભાવનાઓને સમજું છું...’

UPSC નોટિફિકેશનમાં અસંખ્ય ખોટી જોડણીઓ છપાઈ! Examinationની સ્પેલિંગ પણ બરાબર નથી લખાઈ

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ 4 ફેબ્રુઆરી, 2026ના રોજ 2026ની CSE અને IFS પરીક્ષાઓ માટે...
National 
UPSC નોટિફિકેશનમાં અસંખ્ય ખોટી જોડણીઓ છપાઈ! Examinationની સ્પેલિંગ પણ બરાબર નથી લખાઈ

હું સરપંચ છું! મારા દિયરે ખેલ કરી દીધો, સચિવનું નામ અને ગામનું કામ પણ ખબર નથી; જાણો શું છે આખો મામલો

ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લામાં દિયર, ભાભી અને સચિવ સાથે જોડાયેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખૂબ ભાગ્યથી રૂબી...
National 
હું સરપંચ છું! મારા દિયરે ખેલ કરી દીધો, સચિવનું નામ અને ગામનું કામ પણ ખબર નથી; જાણો શું છે આખો મામલો

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.