6 મહિનામાં જ પાકિસ્તાનનો સાથ છોડી દેનારા ગેરી કર્સ્ટને પાકિસ્તાનની પોલ ખોલી

જ્યારે પણ પાકિસ્તાન ક્રિકેટ ટીમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન કરે છે, ત્યારે મુખ્ય કોચની સૌથી પહેલા ટીકા થાય છે. જો કે, જો ટીમ ભૂલથી પણ સારું પ્રદર્શન કરે, તો કોચ સિવાય બધાને પ્રશંસા મળે છે. હવે, ગેરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની કામની પદ્ધતિ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. 2011માં, જ્યારે ટીમ ઈન્ડિયાએ ODI વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે ગેરી કર્સ્ટન મુખ્ય કોચ હતા. તેમણે 2024 T20 વર્લ્ડ કપ પહેલા મર્યાદિત ઓવરના ક્રિકેટમાં પાકિસ્તાની ટીમના મુખ્ય કોચની જવાબદારી પણ સંભાળી હતી, પરંતુ તેમને માત્ર છ મહિનામાં જ આ પદ છોડવું પડ્યું હતું. હવે, ગેરીએ પોતાનો અનુભવ શેર કર્યો છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સાચા સ્વભાવને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે.

Gary-Kirsten4
hindustantimes.com

પાકિસ્તાનના ભૂતપૂર્વ વ્હાઇટ-બોલ હેડ કોચ ગેરી કર્સ્ટને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ની આકરી ટીકા કરી છે. તેમણે PCBની કામ કરવાની પદ્ધતિને ખુબ જ ખરાબ બતાવી હતી અને કહ્યું કે ત્યાં તમારા ધંધાકીય સમ્માનનો સંપૂર્ણ અભાવ છે. કર્સ્ટને અચાનક જ પાકિસ્તાનના મુખ્ય કોચ પદેથી રાજીનામું આપી દીધું. હવે, તેમણે સૂચન આપ્યું કે, PCB ચેરમેન મોહસીન નકવીના નેતૃત્વ હેઠળ બનેલા આ વાતાવરણને કારણે સતત સફળતા પ્રાપ્ત કરવી લગભગ અશક્ય બની ગઈ હતી.

Gary-Kirsten2
abplive.com

શ્રીલંકાના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યાના થોડા દિવસો પછી, કર્સ્ટને પાકિસ્તાન સાથેના તેમના મુશ્કેલ કાર્યકાળ વિશે ખુલ્લેઆમ વાત કરી. એક સ્પોર્ટ ચેનલ સાથેની મુલાકાતમાં, તેમણે બતાવ્યું હતું કે, તેમણે માત્ર છ મહિના પછી મુખ્ય કોચનું પદ કેમ છોડી દીધું.

Gary-Kirsten1
indianexpress.com

કર્સ્ટને કહ્યું, 'મને સૌથી વધુ આશ્ચર્ય એ વાતનું થયું કે, કેટલી હદ સુધી તેમાં દખલગીરીનું પ્રમાણ હતું. મને નથી લાગતું કે મેં આ સ્તરની દખલગીરી પહેલાં ક્યારેય જોઈ છે. શું તેનાથી મને આશ્ચર્ય થયું? મને ખબર નથી, પરંતુ તે ખરેખર આઘાતજનક હતું.'

તેમણે કહ્યું, 'જ્યારે બહારથી અવાજ ખુબ વધી જાય છે, ત્યારે કોચ માટે અંદર આવીને ખેલાડીઓ સાથે કામ કરવાનો માર્ગ શોધવો ઘણો ખૂબ મુશ્કેલ હોય છે. તે કડક હતું અને નબળા પ્રદર્શન વગેરે માટે ઘણી બધી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.'

Gary-Kirsten
indiatv.in

તેમણે આગળ ઉમેર્યું, 'એક કોચ તરીકે, જ્યારે ટીમ સારું પ્રદર્શન નથી કરતી, ત્યારે તમે સૌથી સરળ લક્ષ્ય બનો છો, તેથી લોકો કહે છે, 'ચાલો કોચને હટાવી દઈએ' અથવા 'ચાલો કોચ પર પ્રતિબંધ મૂકી દઈએ', કારણ કે જ્યારે ટીમ ખરાબ પ્રદર્શન કરી રહી હોય ત્યારે તે કામ કરવું સૌથી સરળ હોય છે. મારા મતે, તે ઉંધી અસર પાડે છે. તો પછી કોચને રાખો છો શા માટે?'

About The Author

Related Posts

Top News

ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…

(ઉત્કર્ષ પટેલ) ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ...
Opinion 
ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…

શું ઈરાનને નબળું પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે આ યુદ્ધ?

નિષ્ણાતો કહે છે કે, ઈરાન યુદ્ધનો દાવ US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ઉલટો પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે...
World 
શું ઈરાનને નબળું પાડવાને બદલે તેને વધુ મજબૂત બનાવી રહ્યું છે આ યુદ્ધ?

સિક્યુરિટી ગાર્ડના દીકરાએ હાર ન માની 4 વખત નિષ્ફળતા મળ્યા પછી 5મા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી

'સફળતાની તૈયારી કરતી વખતે નિષ્ફળતા મળવી કોઈ મોટી વાત નથી' અને હા, જો કોઈ વ્યક્તિ સફળ થવા...
Education 
સિક્યુરિટી ગાર્ડના દીકરાએ હાર ન માની 4 વખત નિષ્ફળતા મળ્યા પછી 5મા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી

યુદ્ધથી ઈરાન પરમાણુ મુદ્દાનો ઉકેલ શક્ય નથી: ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ઈરાનની વર્તમાન સ્થિતિ અને વધતા જતા તણાવ અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. દક્ષિણ કોરિયાની...
World 
યુદ્ધથી ઈરાન પરમાણુ મુદ્દાનો ઉકેલ શક્ય નથી: ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન
Copyright (c) Khabarchhe All Rights Reserved.