ટાટા મોટર્સની કારોના ભાવમાં 1 એપ્રિલથી થશે વધારો, જાણો કેટલી મોંઘી થશે

ટાટા મોટર્સે પોતાની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપની 1 એપ્રિલથી તેના તમામ ઇન્ટરનલ કમ્બશન એન્જિન (ICE) વાહનોના ભાવમાં વધારો કરવાની તૈયારીમાં છે. ટાટા મોટર્સે જણાવ્યું હતું કે કંપનીની પેટ્રોલ, ડીઝલ અને CNG કારના ભાવમાં 1 એપ્રિલથી 0.5 ટકાનો વધારો થશે. કંપનીએ આ ભાવ વધારાને સતત વધતા ઇનપુટ કોસ્ટને આભારી ગણાવ્યો છે. બ્રાન્ડે સ્પષ્ટતા કરી છે કે આ વધારો તમામ મોડેલ અને વેરિયન્ટ્સ પર કરવામાં આવ્યો છે. મતલબ સ્પષ્ટ છે કે, જો તમે ટાટાની કાર ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે 1 એપ્રિલથી તેના માટે વધુ ચૂકવણી કરવી પડશે.

કિંમતોમાં કેટલો વધારો થશે?

કાર અને વેરિયન્ટના ભાવના આધાર પર  આ ભાવ વધારો 2285 રૂપિયાથી લગભગ 13000 રૂપિયા સુધીનો હોઈ શકે છે. જોકે, ટાટા મોટર્સે એ સ્પષ્ટ કર્યું નથી કે કયા મોડેલમાં સૌથી વધુ ભાવ વધારો થશે. અહી સુધી કે, કંપનીએ બધા મોડેલો માટે નવી કિંમત પણ જાહેર કરી નથી.

ટાટા મોટર્સની સૌથી સસ્તી કાર ટિયાગો છે, જેની શરૂઆતી કિંમત 4.57 લાખ રૂપિયા છે. તેનાથી વિપરીત, ટાટા સફારી કંપનીની સૌથી મોંઘી કાર છે, જેની કિંમત 13.29 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

tata-motors6
cars.tatamotors.com

માત્ર ટાટાએ જ પોતાની કારના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી નથી. આ અગાઉ મર્સિડીઝ-બેન્ઝ અને BMWએ પણ તેમના વાહનોના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. આ બંને કંપનીઓ 1 એપ્રિલથી તેમના વાહનોના ભાવમાં 2 ટકાનો વધારો કરશે.

આ કંપનીઓએ આ ભાવ પાછળ રૂપિયાના મૂલ્યમાં ઘટાડો અને સપ્લાય ચેઇનને કારણો ગણાવ્યા છે. એવી શક્યતા છે કે અન્ય કાર બ્રાન્ડ્સ પણ ટૂંક સમયમાં તેમના વાહનોના ભાવમાં વધારો જાહેર કરી શકે છે. વાધેલા ભાવ 1 એપ્રિલથી અમલમાં આવશે. હાલમાં, મારુતિ, હ્યુન્ડાઇ અને અન્ય ઘણી કંપનીઓએ હજુ સુધી કોઈ ભાવ વધારાની જાહેરાત કરી નથી.

પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ વધારો

નોંધનીય છે કે ટાટા મોટર્સે માત્ર તેની પેટ્રોલ, ડીઝલ અને CNG કાર માટે ભાવ વધારાની જાહેરાત કરી છે. કંપનીએ તેના ઇલેક્ટ્રિક વાહનોના ભાવ અંગે કોઈ માહિતી આપી નથી.

tata-motors4
cars.tatamotors.com

આ તો રહી કારના ભાવ વધારાની વાત. આ ઉપરાંત, તમામ તેલ કંપનીઓએ પણ તેમના પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં વધારો કર્યો છે. સામાન્ય પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાથી 2.35 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.