EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન પરત કરવાને બદલે તેનો અંગત મોજશોખ અને સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવી હતી. બેંકની લોનની રકમ પરત ન ચૂકવતા CBI દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી છે. હજુ તપાસમાં ઘણી વિગતો સામે આવે એવી સંભાવના છે.

શું છે આખો મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી ઓમ ફેબના નામે 9.95 કરોડની ક્રેડિટ લાઇન (લોન) મંજૂર કરાવી હતી. આ રકમ વ્યાજ સાથે વધીને તાજેતરમાં 10.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. લોન લેવામાં આવી ત્યારે તેના માટે જે હેતુ દર્શાવવામાં આવ્યો હતો, તેના બદલે લુનિયાએ લોનનો ઉપયોગ હોમ લોન ચૂકવવા, સોનાં-ચાંદી ખરીદવા અને અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો.

ED1
indiatvnews.com

લુનિયાની ઓમ ફેબ ઉપરાંત બાબા ટેક્સટાઇલ અને લક્ષ્મી ફેબ નામની કંપનીઓ પણ હતી. બેંકમાંથી લોન લઈને લુનિયાએ લોન પરત ચૂકવવાને બદલે આ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ સોનાં-ચાંદીની ખરીદી અને હોમ લોનની ભરપાઈ કરવા ઉપયોગ કર્યો હતો.

ફક્ત એટલું જ નહીં લુનિયાએ લોન મેળવવા માટે વેલ્યુઅર મયુર શાહ સહિત અન્ય મળતિયાઓ સાથે મળીને મિલકતોનું વધુ મૂલ્યાંકન દર્શાવી બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત બેંકના ધ્યાનમાં આવતા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ફરિયાદ નોંધી અને EDએ તપાસ શરૂ કરી મિલકતો જપ્ત કરી છે.

ED
indiatvnews.com

અગાઉ EDએ આરોપીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે આશરે 3.67 કરોડની ચીજવસ્તુ રીકવર કરવામાં આવીહતી. બે મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જોકે, તેની કિંમત 53.50 લાખ રૂપિયા છે પરંતુ, તેની હાલ બજાર કિંમત 4.65 કરોડ છે. આ કેસમાં હજી વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં બેન્કના કેટલાક અધિકારીઓએ અને અન્ય લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

મંગળવારે સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ના નવા ડિરેક્ટરની નિમણૂક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ...
Politics 
રાહુલ ગાંધીએ નવા CBI ડિરેક્ટરની પસંદગી પ્રક્રિયા સામે વાંધો, બોલ્યા- ‘વિરોધ પક્ષના નેતા રબર સ્ટેમ્પ નથી.’

PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ક ફ્રોમ હોમ (WFH) અને પેટ્રોલ ડીઝલના વપરાશ મુદ્દેના નિવેદન બાદ ગુજરાતના મોટા નેતાઓ અને અધિકારીઓએ...
Gujarat 
PM મોદીની અપીલની અસર, DyCM હર્ષ સંઘવીએ અમેરિકા પ્રવાસ રદ કર્યો, 2 મંત્રી પાયલોટિંગ કારનો ઉપયોગ નહીં કરે, રાજ્યપાલ...

યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

અમેરિકા-ઈરાન યુદ્ધની અસર હવે ભારતમાં વ્યાપકપણે જોવા મળી રહી છે. PM નરેન્દ્ર મોદી પોતે લોકોને બચત કરવા માટે વિનંતી કરી...
Business 
યુદ્ધ અને ખાવાના તેલને શું સંબંધ? જો આપણે તેલ અંગે PMની સલાહ માનીએ તો દોઢ લાખ કરોડથી વધુ બચશે

સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!

22 વર્ષની ઉંમરે, મોટાભાગના છોકરાઓ કોલેજ પુરી કરીને તેમની પહેલી નોકરી શોધવામાં અથવા તેમની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત હોય છે....
Tech and Auto 
સૂર્યા મિધા... 22 વર્ષની ઉંમરે બન્યો અબજપતિ, કંપની બનાવી 20000 કરોડ ભેગા કર્યા, ઝુકરબર્ગને પાછળ છોડ્યો!
Copyright (c) Khabarchhe All Rights Reserved.