EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન પરત કરવાને બદલે તેનો અંગત મોજશોખ અને સંપત્તિ ખરીદવા માટે કરવામાં આવી હતી. બેંકની લોનની રકમ પરત ન ચૂકવતા CBI દ્વારા આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેના આધારે EDએ તપાસ શરૂ કરી મિલકતો ટાંચમાં લીધી છે. હજુ તપાસમાં ઘણી વિગતો સામે આવે એવી સંભાવના છે.

શું છે આખો મામલો?

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ પાસેથી ઓમ ફેબના નામે 9.95 કરોડની ક્રેડિટ લાઇન (લોન) મંજૂર કરાવી હતી. આ રકમ વ્યાજ સાથે વધીને તાજેતરમાં 10.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. લોન લેવામાં આવી ત્યારે તેના માટે જે હેતુ દર્શાવવામાં આવ્યો હતો, તેના બદલે લુનિયાએ લોનનો ઉપયોગ હોમ લોન ચૂકવવા, સોનાં-ચાંદી ખરીદવા અને અન્ય કામોમાં કરવામાં આવ્યો હતો.

ED1
indiatvnews.com

લુનિયાની ઓમ ફેબ ઉપરાંત બાબા ટેક્સટાઇલ અને લક્ષ્મી ફેબ નામની કંપનીઓ પણ હતી. બેંકમાંથી લોન લઈને લુનિયાએ લોન પરત ચૂકવવાને બદલે આ રૂપિયા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા તેમજ સોનાં-ચાંદીની ખરીદી અને હોમ લોનની ભરપાઈ કરવા ઉપયોગ કર્યો હતો.

ફક્ત એટલું જ નહીં લુનિયાએ લોન મેળવવા માટે વેલ્યુઅર મયુર શાહ સહિત અન્ય મળતિયાઓ સાથે મળીને મિલકતોનું વધુ મૂલ્યાંકન દર્શાવી બેંક સાથે છેતરપિંડી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બાબત બેંકના ધ્યાનમાં આવતા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી માટે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ CBIએ ફરિયાદ નોંધી અને EDએ તપાસ શરૂ કરી મિલકતો જપ્ત કરી છે.

ED
indiatvnews.com

અગાઉ EDએ આરોપીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યારે આશરે 3.67 કરોડની ચીજવસ્તુ રીકવર કરવામાં આવીહતી. બે મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી હતી. જોકે, તેની કિંમત 53.50 લાખ રૂપિયા છે પરંતુ, તેની હાલ બજાર કિંમત 4.65 કરોડ છે. આ કેસમાં હજી વધુ તપાસ ચાલી રહી છે અને આગામી દિવસોમાં બેન્કના કેટલાક અધિકારીઓએ અને અન્ય લોકોની સંડોવણી સામે આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અમદાવાદ ઝોનલ ઓફિસે ઓમ ફેબના રણજીત લુનિયા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બેંકમાંથી લીધેલી કરોડોની લોન...
Gujarat 
EDએ ઓમ ફેઝના રણજીત લુનિયાની 4.65 લાખની સંપત્તિ જપ્ત કરી, જાણો શું છે આખો મામલો

જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એક વર્ષ બાકી છે, પરંતુ રાજકીય ગરમાવો પહેલાથી જ વધી ગયો છે. ચૌધરીઓનો ગઢ ગણાતો...
National 
જાટ રાજકારણની પ્રયોગશાળા બની રહ્યું છે સરધાના; શું બાલિયાન સંગીત સોમ સાથેનો હિસાબ બરાબર કરશે?

મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

અલીગઢના કાર્સી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફિરદૌસ નગરમાં મંગળવારે રાત્રે 2:30 વાગ્યે મચ્છર ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે અથવા ગેસ...
National 
મચ્છરો ભગાડવા માટે સળગાવેલી ધુપસ્ટિકના કારણે ઘરમાં રાખેલા 4 સિલિન્ડર ફાટ્યા! 2 ભાઈઓ દાઝ્યા!

એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

એક એવા સમાચાર બહાર આવ્યા છે, જે સમાજની કડવી વાસ્તવિકતા અને વ્યક્તિને અંદરથી અનુભવાતી એકલતાને ઉજાગર કરે છે. સામાન્ય...
National 
એક વડીલે પોતાના તેરમાના દિવસનું કાર્ડ વેચ્યાં, આખા ગામને જમવા બોલાવ્યા; જાણો મૃત્યુ પહેલાં આવું કેમ કર્યું?

Opinion

દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું!
(ઉત્કર્ષ પટેલ) કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો...
પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ
મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી
જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.