'અમારા તમામ નિર્ણયો સોનિયા ગાંધી લે છે', કોંગ્રેસ અધ્યક્ષ ખડગે આવું કેમ કહે છે?

શું કર્ણાટકમાં CM બદલાઈ જશે? શું DK શિવકુમાર CM સિદ્ધારમૈયાનું સ્થાન લેશે? આ તમામ એવા સવાલો છે કે જે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં અનેક વખત ઉભા થયા છે. એટલું જ નહીં, DK શિવકુમારના સમર્થકોએ ઘણી વખત દાવો કર્યો છે કે, CM સિદ્ધારમૈયા અને DK શિવકુમાર દરેક અઢી વર્ષ સેવા આપશે, પરંતુ આવું કંઈ થયું નથી.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમારને લઈને ચાલી રહેલા વિવાદ પર ચર્ચા કરી છે. ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે, પાર્ટી શક્ય તેટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવશે. કર્ણાટકના ગૃહમંત્રી G પરમેશ્વરે કહ્યું હતું કે, 'જો ખડગે CM બનશે, તો શાસક કોંગ્રેસ પાર્ટીમાં દરેક તેમનું સ્વાગત કરશે' તેના એક દિવસ પછી આ ઘટનાક્રમ સામે આવ્યો છે.

Mallikarjun-Kharge
livehindustan.com

મીડિયા સાથે વાત કરતા, ખડગેએ આ અટકળોને ફગાવી દીધી અને કહ્યું કે, સોનિયા ગાંધી તે અંગેના નિર્ણયો લે છે. તેમણે કહ્યું, 'તમે (મીડિયા), તેઓ (પરમેશ્વર), અને ટોચ પરના લોકો કહો છો કે, મારા માટે CM બનવું વધુ સારું રહેશે. પરંતુ સોનિયા ગાંધી મારા વિશેના નિર્ણયો મારી વિચારધારા અને પાર્ટી પ્રત્યેની મારી અત્યાર સુધીની સેવાના આધારે લે છે, નસીબના આધારે નહીં.'

તેમણે આગળ કહ્યું, 'પરંતુ, તે પ્રશ્ન હમણાં ઉભો જ થતો નથી. અહીં પહેલેથી જ એક CM છે. જો સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને મારે સંયુક્ત રીતે પરિવર્તન તરફ નિર્ણય લેવો પડે, તો તેમાં થોડો સમય લાગશે. ચાલો જોઈએ શું થાય છે.'

Mallikarjun-Kharge2
khabargaon.com

DyCM DK શિવકુમારના સમર્થકો 2023ની વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીત પછી CM સિદ્ધારમૈયા સાથે થયેલા સત્તા-વહેંચણી કરાર અનુસાર તેમના પ્રમોશન માટે દબાણ કરી રહ્યા છે.

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે, પરમેશ્વરે બુધવારે કહ્યું કે, શાસક કોંગ્રેસ પાર્ટીમાં દરેક વ્યક્તિ ખડગેના CM બનવાનું સ્વાગત કરશે.

ગયા વર્ષે નવેમ્બરમાં કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે પોતાનો અડધો કાર્યકાળ પૂર્ણ કર્યો હોવાથી CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમાર વચ્ચે સત્તા સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. DKS પાર્ટીના અનેક ધારાસભ્યો અને MLC દિલ્હીમાં છાવણી નાખીને પાર્ટી હાઇકમાન્ડ પર દબાણ લાવ્યા જેથી તેમને આગામી CM બનાવવામાં આવે. DyCM DK શિવકુમારે એવો દાવો કરીને અટકળોને વધુ વેગ આપ્યો કે 2023ની ચૂંટણીમાં કોંગ્રેસના પ્રચંડ વિજય પછી તરત જ 'પાંચ કે છ નેતાઓ' વચ્ચે નેતૃત્વ પરિવર્તન અંગે 'ગુપ્ત કરાર' થયો હતો. DyCM DK શિવકુમારે પહેલી વાર આ સત્તા કરારનો ઉલ્લેખ કર્યો હતો, પરંતુ વધુ વિગતો આપવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે તે એક ગુપ્ત બાબત છે. તેમને કહ્યું કે, 'હું આ અંગે જાહેરમાં ટિપ્પણી કરવા માંગતો નથી.'

Mallikarjun-Kharge1
jansatta.com

20 નવેમ્બર, 2025ના રોજ કોંગ્રેસ સરકારના 5 વર્ષના કાર્યકાળના અડધા ભાગ પછી CM પદમાં સંભવિત ફેરફાર અંગે અટકળો વચ્ચે શાસક પક્ષમાં નેતૃત્વનો ઝઘડો વધુ તીવ્ર બન્યો છે. 2023માં સરકારની રચના સમયે CM સિદ્ધારમૈયા અને DyCM DK શિવકુમાર વચ્ચે કથિત 'સત્તા-વહેંચણી' કરારે આ અટકળોને વધુ વેગ આપ્યો છે.

2023ની કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વિજય પછી, પાર્ટી હાઇકમાન્ડ CM પદના ઉમેદવાર અંગે અનિશ્ચિત હતું. ઘણા દિવસોની ચર્ચા-વિચારણા પછી, પાર્ટીએ CM સિદ્ધારમૈયાનું નામ આગળ મૂક્યું, તેમની વરિષ્ઠતા અને લોકપ્રિયતાનો હવાલો આપ્યો. જોકે, અહેવાલો અનુસાર, સર્વસંમતિ થઈ હતી કે, DyCM DK શિવકુમાર સરકારના બીજા કાર્યકાળમાં કાર્યભાર સંભાળશે.

About The Author

Related Posts

Top News

સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

બોલિવુડ અભિનેતા સુનિલ શેટ્ટી લાંબા સમયથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફેન છે. પરંતુ શું તમે જાણો છો કે સુનિલ શેટ્ટીની 15...
Entertainment 
સુનિલ શેટ્ટીએ કહ્યું- 'PM નરેન્દ્ર મોદીને પૂજે છે મારી 15 મહિનાની પૌત્રી, ફોટા પર ચઢાવે છે લાડુ'

અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં મારુતિ પ્લાઝા ADC બેંકની સામે ભારતીય જનતા પાર્ટી (BJP) અને ખોડલધામ અમદાવાદ લખેલા ખેસવાળી ગાડીમાંથી નજર...
Gujarat 
અમદાવાદમાં BJPના ખેસવાળી કારમાંથી બાઇક સવાર 2 ઇસમો 50 લાખ તફડાવી ગયા

આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન...
Sports 
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું

સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’
Copyright (c) Khabarchhe All Rights Reserved.