- Sports
- આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું
આયર્લેન્ડ સામે ભૂંડી હાર બાદ કેપ્ટન શ્રેયસ ઐય્યરે જાણો હારનું ઠીકરું કોના પર ફોડ્યું
શુક્રવારે (26 જૂન) ભારતીય ટીમને આયર્લેન્ડ સામે T20 શ્રેણીની પહેલી મેચમાં 34 રનથી ભૂંડી હારનો સામનો કરવો પડ્યો. નવા કેપ્ટન શ્રેયસ ઐય્યરના નેતૃત્વમાં આ ભારતની પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ હતી, પરંતુ 'મેન ઇન બ્લૂ' તેને યાદગાર બનાવવામાં નિષ્ફળ રહી. બીજી તરફ આયર્લેન્ડે આ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો; આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ પર આ તેની પહેલી જીત હતી. આ પહેલા, આયર્લેન્ડ ભારત સામે રમાયેલી બધી 11 મેચ (8 T20I અને 3 ODI) હારી ગયું હતું.
હાર બાદ, ભારતીય કેપ્ટન શ્રેયસ ઐય્યરે ટીમના પ્રદર્શન વિશે ખુલીને વાત કરી. શ્રેયસે સ્વીકાર્યું કે ભારતે મેચમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ મધ્ય ઓવર દરમિયાન થયેલી ભૂલોએ રમતનું પાસું પલટી નાખ્યું. કેપ્ટને ભારપૂર્વક જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં, ફક્ત મેદાન પર ઉતરવું પૂરતું નથી; દરેક તકનો લાભ ઉઠાવવો અને સમગ્ર 40 ઓવર દરમિયાન દબાણ જાળવી રાખવું મહત્ત્વપૂર્ણ છે.
શ્રેયસ ઐય્યરે કહ્યું હતું કે ભારતીય બોલરોએ નવા બોલ સાથે શાનદાર પ્રદર્શન કર્યું અને આયર્લેન્ડને શરૂઆતમાં જ ફટકો આપ્યો. જોકે, ત્યારબાદ ટીમ પોતાની યોજનાઓને અસરકારક રીતે અમલમાં મૂકવામાં નિષ્ફળ રહી. શ્રેયસે એક પ્રકારે હાર માટે બોલરો અને બેટ્સમેન બંને પર ઠીકરો ફોડ્યો.
શ્રેયસ ઐય્યરનું માનવું છે કે ભારતની શરૂઆતને ધ્યાનમાં રાખીને, આયર્લેન્ડને ઓછા સ્કોર સુધી મર્યાદિત કરી શકાયું હોત. બોલરોએ શરૂઆતમાં શાનદાર કામ કર્યું. તેમને સ્વિંગ અને સીમ મૂવમેન્ટ મળી, જેનાથી તેમને વિકેટ લેવામાં મદદ મળી. પરંતુ વચ્ચેની ઓવરોમાં, અમે અમારી યોજનાઓને યોગ્ય રીતે અમલમાં મૂકી શક્યા નહીં. અમે બેટ્સમેનોને મેદાનમાં શોટ મારવા દીધા, જોકે અમને ખબર હતી કે ત્યાં બાઉન્ડ્રી ખૂબ ટૂંકી છે. મને લાગ્યું કે અમે તેમને લગભગ 140 રન સુધીમાં રોકી શકીએ છીએ. આ સ્થિતિમાં લક્ષ્યનો પીછો કરવો ખૂબ સરળ હોત.
શ્રેયસ ઐયરે આને પોતાના માટે શીખવાનો અનુભવ પણ ગણાવ્યો. તેણે કહ્યું કે આ મેચથી આયર્લેન્ડની પરિસ્થિતિમાં અને પીચને સમજવામાં ખૂબ મદદ મળી. મને આ પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મળ્યો. મને પીચ સમજવાની તક મળી, અને આ મારા માટે કેપ્ટન તરીકે પણ શીખવાનો અનુભવ હતો.
હાર પછી, શ્રેયસ ઐયરે ટીમને કડક સંદેશ પણ આપ્યો. તેણે કહ્યું કે કોઈ પણ વિરોધીને હળવાશથી ન લઈ શકાય. તમે ફક્ત મેદાનમાં ઉતરીને જ મેચ જીતી શકતા નથી; તમારે દરેક ક્ષણે સખત મહેનત કરવી પડશે. જો તમારી પાસે વિરોધી ટીમને દબાણમાં લાવવાની તક હોય, તો તમારે તેને બંને હાથે ઝડપી લેવી જોઈએ. અમે કેટલીક તકો ગુમાવી અને તેની કિંમત ચૂકવવી પડી.
હાર છતાં, કેપ્ટને હર્ષિત રાણા અને શિવમ દુબેના પ્રદર્શનની ખૂબ પ્રશંસા કરી. શ્રેયસે કહ્યું,"ઈજામાંથી પાછા ફર્યા બાદ હર્ષિત રાણાએ જે રીતે બોલિંગ કરી તે શાનદાર હતું. આ સ્તરે આવું પ્રદર્શન કરવું સરળ નથી. હું ઘરેલુ ક્રિકેટમાં શિવમ દુબે સાથે રમ્યો છું અને તેની ક્ષમતાઓથી વાકેફ છું. તેણે પહેલા પણ મહત્ત્વપૂર્ણ પરિસ્થિતિઓમાં બોલિંગ કરી છે, તેથી મને તેના પર સંપૂર્ણ વિશ્વાસ છે.
ભારતીય કેપ્ટને સ્વીકાર્યું કે મેદાન પર પાછા ફરતા પહેલા લાંબા વિરામથી ટીમના પ્રદર્શન પર અસર પડી હતી, પરંતુ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય ટીમ આગામી મેચમાં સંપૂર્ણ તાકાત સાથે પાછી ફરશે. શ્રેયસે વધુમાં કહ્યું કે, જે થઇ ગયું તે થઇ ગયું, હવે તેને પાછળ છોડવું પડશે. અમે આ મેચમાંથી ઘણું શીખ્યા છીએ. અમારું લક્ષ્ય આગામી મેચમાં સંપૂર્ણ આક્રમકતા સાથે ઉતરવાનું અને સારું પ્રદર્શન કરવાનું છે.

