કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ... બધું એવું જ હતું જેમ દરેક લગ્નમાં હોય છે, ફરક એટલો હતો કે આ ઘરના આંગણે લગ્નની જાન આવી જ નહીં. મેરઠના શ્યામ નગરમાં, એક આવા જ લગ્ન અધૂરા રહી ગયા, જેનાથી આખો પરિવાર આઘાતમાં મુકાઈ ગયો.

શ્યામ નગરની એક છોકરી તેના લગ્ન માટેની સંપૂર્ણ તૈયારી કરીને બેઠી હતી. તેના હાથ વરરાજાના નામની મહેંદીથી શણગારેલા હતા, અને તેની આંખો નવા જીવનના સપનાઓથી ભરેલી હતી. ઘરે સગા સંબંધીઓ ભેગા થઇ ગયા હતા, મહેમાનો માટે વ્યવસ્થા કરવામાં આવી હતી, અને દરેક વ્યક્તિ લગ્નની જાન આવવાની રાહ જોઈ રહ્યા હતા. વરરાજા આરિફ તે રાત્રે લગ્નની જાન લઈને આવવાનો હતો, પરંતુ સમય પસાર થઇ ગયો, પરંતુ જાન હજુ પહોંચી નહીં. શરૂઆતમાં, લોકોને લાગ્યું કે રસ્તામાં મોડું થયું હશે, પરંતુ ધીમે ધીમે ચિંતા વધતી ગઈ. જ્યારે લાંબા સમય સુધી લગ્નની જાન ન પહોંચી, ત્યારે કન્યાના પરિવારે વરરાજાને ફોન કરવાનું શરૂ કર્યું, પરંતુ તેનો ફોન બંધ હતો. ઘરના લોકો એકબીજાને પ્રશ્નો પૂછી રહ્યા હતા, પરંતુ કોઈની પાસે જવાબ નહોતા. રાહ જોવાની દરેક મિનિટ વધુને વધુ મુશ્કેલ બની રહી હતી.

Meerut-Bride
aajtak.in

કન્યા પક્ષના કેટલાક લોકો સીધા વરરાજાના ઘરે ગયા. પરંતુ ત્યાંનું દ્રશ્ય વધુ આઘાતજનક હતું. ઘરને તાળું મારી દેવામાં આવ્યું હતું. આનાથી સ્પષ્ટ થયું કે કંઈક ખોટું થયું છે. વરરાજા અને તેનો પરિવાર કોઈ પણ સૂચના આપ્યા વિના ગાયબ થઈ ગયો હતો. કન્યાના પરિવારના જણાવ્યા મુજબ, 250થી 300 લોકો માટે લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખાવા-પીવાથી લઈને સજાવટ સુધીની દરેક બાબત પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું. પરંતુ અચાનક લગ્નની જાન ન આવવાથી બધી તૈયારીઓ ખોરવાઈ ગઈ. ઘરમાં આનંદનું વાતાવરણ અચાનક શોકમાં ફેરવાઈ ગયો. મહેમાનો પણ ચોંકી ગયા અને પરિવારના લોકો આઘાતમાં હતા.

આ ઘટનાથી કન્યાના પિતા સૌથી વધુ પ્રભાવિત થયા. એવું કહેવાય છે કે લગ્નની જાન ન આવવાની વાત સાંભળીને તેમની તબિયત બગડી ગઈ. પરિવારના સભ્યોએ તેમને સાંત્વના આપવાનો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થઈ રહ્યો ન હતો. લગ્નવાળા ઘરમાં જ્યાં થોડા કલાકો પહેલા જ શરણાઈઓનું સંગીત વાગતું હતું તે ઘરમાં હવે સન્નાટો છવાઈ ગયો. અહેવાલો અનુસાર, કન્યા અને વરરાજા, આરિફ, પહેલાથી જ સંબંધમાં હતા. તેમના પરિવારોએ તેમના સંબંધને મંજૂરી આપી હતી, અને મધ્યસ્થી કરાવ્યા પછી, લગ્નની તારીખ 2 એપ્રિલ, 2026 નક્કી કરવામાં આવી હતી. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, વરરાજાના કેટલાક પરિવાર લગ્નના પક્ષમાં ન હતા. તેમ છતાં, વાતચીત દ્વારા આ મામલો ઉકેલાઈ ગયો, અને લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી.

Meerut-Bride2
news18.com

બધું નક્કી થયા પછી પણ, લગ્નના દિવસે આટલો ખતરનાક વળાંક આવશે તેની કોઈએ કલ્પના પણ કરી ન હતી. જે ઘર થોડા સમય પહેલા ખુશીઓથી ભરેલું હતું, ત્યાં રાતોરાત અચાનક બધું બદલાઈ ગયું. વરરાજાના આ પગલાથી ન ફક્ત લગ્ન અધૂરા રહ્યા, પરંતુ ઘણા પ્રશ્નો પણ ઉભા થયા. ઘટના બન્યા પછી, કન્યાનો પરિવાર સીધો પોલીસ સ્ટેશન ગયો. તેમણે આરિફ અને તેના પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી, અને કાર્યવાહીની માંગ કરી. પરિવારનું કહેવું છે કે, તેમને કોઈપણ જાતની ખબર કર્યા વિના લગ્નની જાનને લાવવામાં ન આવી હતી, જેના કારણે તેમના સામાજિક અને માનસિક સ્વાસ્થ્ય પર અસર પડી છે. પોલીસનું કહેવું છે કે, તપાસ ચાલી રહી છે અને તમામ પાસાઓ પર વિચાર કર્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

સિમ ક્લોનિંગ છેતરપિંડીનું નેટવર્ક ઝડપથી ફેલાયું છે. આ કિસ્સામાં, પહેલા તમારા સિમના ક્લોન માટે OTP માંગવામાં આવે છે, ...
Business 
OTP વગર જ પૈસા ટ્રાન્સફર થશે; બેંકો લાવી રહી છે સાયલન્ટ ઓથેન્ટિકેશન સિસ્ટમ, સીમ બદલાય તો ટ્રાન્જેકશન પૂરું થશે નહીં

કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

મહેંદીથી સજાવેલો હાથ, દુલ્હનનો શણગાર, લાઈટોથી સજાવેલું ઘર અને લગ્નની જાનનું સ્વાગત કરવા માટે દરવાજા પર તમામ તૈયારીઓ......
National 
કન્યા મહેંદી લગાવીને વરરાજાની રાહ જોતી હતી, પ્રેમી વરરાજો જાન લઈને આવ્યો જ નહીં, પરિવાર ઘરે તાળું મારીને ભાગી ગયો

એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

વસ્તી ગણતરી-2026નો પ્રથમ તબક્કો 1 એપ્રિલ 2026થી શરૂ થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે આ માટે...
Gujarat 
એપ્રિલથી ઘર નોંધણીની શરૂઆત, 33 સવાલોના જવાબ તૈયાર રાખજો

શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?

સુરતની વરાછા કો.ઓ. બેંકમાં 31 વર્ષ પછી પહેલીવાર ચૂંટણી થઇ રહી છે. 6 ઉમેદવારોએ ફોર્મ ન ખેંચતા ચૂંટણી કરવાની ફરજ...
Gujarat 
શું વરાછા બેંકની ચૂંટણી ભાજપ vs AAP થઇ ગઇ છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.