'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા થયા તે નિમિત્તે આ કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં  કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પત્રકાર રજત શર્મા અને આધ્યાત્મિક પ્રચારક જયા કિશોરી પણ હાજર રહ્યા હતા.

 SRKના સ્થાપક અને રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયાએ મહત્ત્વની વાત કરી હતી. તેમણે કહ્યુ કે, 3 ટાઇમ જમવાનું ન મળે તો એક ટાઇમ ખાઇને પણ ચલાવી લે જો પરંતુ વ્યાજે પૈસા ક્યારેય લેતા નહીં. સુરતના મીડિયામાં જે સમાચારો આવી રહ્યા છે, તેમાંથી 50 ટકા સમાચાર એવા હોય છે જેમાં વ્યાજે પૈસા લઇને નહીં ચૂકવી શકવાને કારણે લોકોએ જીવન ટુંકાવી દીધા હોય.

પણ હવે વાત એ આવે કે શું ખરેખર ગોવિંદકાકાએ જે સલાહ આપી એનું પાલન કરવું સરળ છે, કારણ કે આજે જે પ્રકારે મોંઘવારી છે, બાળકોની શાળાની જે ફી છે, નોકરીની જે અછત છે, મંદીનો માહોલ છે, તે વચ્ચે પૈસા કમાવા મુશ્કેલ થઈ ગયા છે. હા આપણે એ કરી શકીએ કે દેખાદેખીમાં આવીને ખોટા ખર્ચા ન કરીએ. જેટલી ચાદર હોય એટલા જ પગ ફેલાવીએ.

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.