આંખો સામે રાખ થઈ ગયું અડધું ગામ; ગૌશાળાઓ પણ સળગી ગઈ

હિમાચલ પ્રદેશના કુલ્લુના બંજર સબડિવિઝનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તીર્થન ખીણમાં આવેલું ઝનિયાર ગામ આગની ઝપેટમાં આવી ગયું. લગભગ 10 થી 12 ઘરો, 2 મંદિરો, 6 ગૌશાળાઓ અને ઘાસના રાખવાની ખલીઓ બળીને રાખ થઈ ગયા. ગ્રામજનો અને નજીકના ગામોના લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. રસ્તા પરથી ઘણા કિલોમીટર દૂર સ્થિત આ ગામ સુધી ફાયર વિભાગની ટીમ પણ ન પહોંચી શકી.

kullu2
jagran.com

આગને કારણે આખા ગામમાં અફરાતફરી અને બૂમરાણ મચી ગઈ હતી. પર્વતીય પ્રદેશોમાં શિયાળામાં આગ લાગવાના ઘટના સામાન્ય છે. ઘણી વખત એવું થાય છે, જ્યારે આખું ગામ રાખ થઈ જાય છે. ઠંડી આવતા જ મોટા ભાગે પર્વતો પર આગની ઘટના વધી જાય છે કારણ કે હાથ સેકવા કે ગરમી મેળવવા માટે સળગાવવામાં આવતી આગથી ઘરો રાખ થઈ જાય છે.

આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે વિસ્તારમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે, જેનાથી નુકસાન અને રાહત પ્રયાસો બંનેને પડકારજનક બની શકે છે. સ્થાનિક લોકોને રાહત પ્રયાસોમાં એક થવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ આફતમાં બેઘર થયેલા ગ્રામજનો હવે કામચલાઉ તંબુઓમાં રહે છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રશાસને પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

kullu
amarujala.com

છેલ્લા 20 વર્ષોમાં પ્રાચીન ઘરોથી બનેલા 10 ગામો તબાહ થઇ ચૂક્યા છે. હવે આ ગામો નવી ઇમારત શૈલીઓ દ્વારા બદલવામાં આવ્યા છે. 2006માં ઐતિહાસિક મલાણા ગામમાં 100થી વધુ ઘરો બળી ગયા હતા. તે જ વર્ષે મણિકર્ણનું શિલ્હા ગામ પણ આગની ભેટ ચઢી ગયું હતું. 2007માં બંજારના મોહની ગામમાં 90 ઘરો અને ગૌશાળાઓ બળીને રાખ થઈ ગઇ હતી. 2008માં મનાલીનું સોલાંગ ગામ તબાહ થઈ ગયું હતું. 2009માં નિરમંડના જુઆગી ગામમાં 30 ઘરો બળીને રાખ થઈ ગયા હતા. 2015માં કોટલા ગામમાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. 2021માં મલાણા ગામમાં 16 ઘરો આગની ઝપેટમાં આવી ગયા હતા. 2021માં મઝાણ ગામમાં 12 ઘરો અને એક મંદિર તબાહ થઇ ગયા હતા. 14 ડિસેમ્બર 2023ના રોજ સૈંજના પટેલા ગામમાં 9 ઘરો બળીને રાખ થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક ઐતિહાસિક પલટો આવ્યો છે, જેની કલ્પના પણ તાજેતરમાં કોઈએ કરી ન હતી. 1998માં તૃણમૂલ...
National 
દીદીની ખુરસી છીનવી લેનારા અરૂપ રોય કોણ છે? TMC બળવાખોર જૂથના અધ્યક્ષ બન્યા છે

લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

ઓફિસ કલ્ચર અંગેની એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં લંચ બ્રેક અંગેના નિયમની બનાવવામાં આવ્યો...
Lifestyle 
લંચ બ્રેક એક મિનિટ વધારે લાગી તો મફતમાં વધારાનો કલાક કામ કરવું પડશે!

મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

થોડા દિવસો પહેલા જ NCERTને 'ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર' વિષય પરના પ્રકરણ અંગે ઘણા સવાલોનો સામનો કરવો પડ્યો હતો....
National 
મોહેંજો-દડોમાં મળેલી નગ્ન પ્રતિમાને NCERTએ કપડા પહેરાવ્યા! ઇતિહાસકારો નારાજ

આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...

90ના દાયકામાં જ્યારે સુપરસ્ટાર ચિરંજીવી એક ફિલ્મ માટે ₹1 કરોડની ફી લેનારા પ્રથમ ભારતીય અભિનેતા બન્યા, ત્યારથી જ...
Entertainment 
આ ભારતીય અભિનેતાએ એક ફિલ્મ માટે લીધા ₹300 કરોડ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.