આંખો સામે રાખ થઈ ગયું અડધું ગામ; ગૌશાળાઓ પણ સળગી ગઈ

હિમાચલ પ્રદેશના કુલ્લુના બંજર સબડિવિઝનમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તીર્થન ખીણમાં આવેલું ઝનિયાર ગામ આગની ઝપેટમાં આવી ગયું. લગભગ 10 થી 12 ઘરો, 2 મંદિરો, 6 ગૌશાળાઓ અને ઘાસના રાખવાની ખલીઓ બળીને રાખ થઈ ગયા. ગ્રામજનો અને નજીકના ગામોના લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. રસ્તા પરથી ઘણા કિલોમીટર દૂર સ્થિત આ ગામ સુધી ફાયર વિભાગની ટીમ પણ ન પહોંચી શકી.

kullu2
jagran.com

આગને કારણે આખા ગામમાં અફરાતફરી અને બૂમરાણ મચી ગઈ હતી. પર્વતીય પ્રદેશોમાં શિયાળામાં આગ લાગવાના ઘટના સામાન્ય છે. ઘણી વખત એવું થાય છે, જ્યારે આખું ગામ રાખ થઈ જાય છે. ઠંડી આવતા જ મોટા ભાગે પર્વતો પર આગની ઘટના વધી જાય છે કારણ કે હાથ સેકવા કે ગરમી મેળવવા માટે સળગાવવામાં આવતી આગથી ઘરો રાખ થઈ જાય છે.

આ ઘટના એવા સમયે થઈ છે, જ્યારે વિસ્તારમાં શિયાળાની શરૂઆત થઈ રહી છે, જેનાથી નુકસાન અને રાહત પ્રયાસો બંનેને પડકારજનક બની શકે છે. સ્થાનિક લોકોને રાહત પ્રયાસોમાં એક થવા અને સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે. આ આફતમાં બેઘર થયેલા ગ્રામજનો હવે કામચલાઉ તંબુઓમાં રહે છે અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. પ્રશાસને પ્રભાવિત લોકોને તાત્કાલિક રાહત આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

kullu
amarujala.com

છેલ્લા 20 વર્ષોમાં પ્રાચીન ઘરોથી બનેલા 10 ગામો તબાહ થઇ ચૂક્યા છે. હવે આ ગામો નવી ઇમારત શૈલીઓ દ્વારા બદલવામાં આવ્યા છે. 2006માં ઐતિહાસિક મલાણા ગામમાં 100થી વધુ ઘરો બળી ગયા હતા. તે જ વર્ષે મણિકર્ણનું શિલ્હા ગામ પણ આગની ભેટ ચઢી ગયું હતું. 2007માં બંજારના મોહની ગામમાં 90 ઘરો અને ગૌશાળાઓ બળીને રાખ થઈ ગઇ હતી. 2008માં મનાલીનું સોલાંગ ગામ તબાહ થઈ ગયું હતું. 2009માં નિરમંડના જુઆગી ગામમાં 30 ઘરો બળીને રાખ થઈ ગયા હતા. 2015માં કોટલા ગામમાં 40 ઘરો બળીને ખાખ થઈ ગયા હતા. 2021માં મલાણા ગામમાં 16 ઘરો આગની ઝપેટમાં આવી ગયા હતા. 2021માં મઝાણ ગામમાં 12 ઘરો અને એક મંદિર તબાહ થઇ ગયા હતા. 14 ડિસેમ્બર 2023ના રોજ સૈંજના પટેલા ગામમાં 9 ઘરો બળીને રાખ થઈ ગયા હતા.

About The Author

Related Posts

Top News

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ
Copyright (c) Khabarchhe All Rights Reserved.