પુલ નીચે ફસાઈ ગયું પ્લેન, કાઢવા માટે એવી ટ્રીક વાપરી કે બુદ્ધિને માની જશો

29 ડિસેમ્બરની સવારે બિહારના મોતિહારીમાં ઓવર બ્રિજ નીચે એક હવાઇ જહાજની બોડી ફસાઈ ગઈ હતી. જેથી ઘણા સમય સુધી ટ્રાફિક જામ રહ્યું. આસપાસના લોકોની ભીડ જોવા માટે ઉમટી પડી. કેટલાક લોકો હવાઇ જહાજ સાથે સેલ્ફી લેતા પણ નજરે પડ્યા. હવે તમે કહેશો કે ભાઈ હવાઇ જહાજ બ્રિજ નીચે કેવી રીતે પહોંચી ગયો? તો એવું કંઇ થયું નથી જેનાથી તમે ચોંકી જાવ.

ટ્રકથી એક હવાઇ જહાજની બોડી લઈ જવામાં આવી રહી હતી. મુંબઈથી આસામ સુધી, વાયા બિહાર. જેવો જ ટ્રક મોતિહારીમાં NH-28 સ્થિત ઓવરબ્રિજ નીચે પહોંચ્યો અને ફસાઈ ગયો. સ્થાનિક લોકોની મદદથી ખૂબ મહેનત બાદ હવાઇ જહાજના સ્ક્રેપને બહાર કાઢવામાં આવ્યો. આ સંબંધમાં પીપરાકોઠી પોલીસ સ્ટેશનના અધ્યક્ષ મનોજ કુમાર સિંહે જણાવ્યું કે, હવાઇ જહાજની બોડી ટ્રક પર લોડ કરવામાં આવી હતી. ટ્રક મુંબઈથી આસામ જઇ રહ્યો હતો.

પીપરાકોઠી ઓવર બ્રિજ નીચે ટ્રક ફસાઈ ગયો હતો. ટ્રકના બધા પૈંડાની હવા કાઢવામાં આવી, ત્યારબાદ ટ્રકને કાઢી શકાયો. ત્યારબાદ હાઇવે પર વાહનવ્યવહાર શરૂ થઈ શક્યો. ગયા વર્ષે હૈદરાબાદમાં પણ એવી જ એક ઘટના સામે આવી હતી. નવેમ્બર મહિનામાં હૈદરાબાદના પિસ્તા હાઉસના માલિક દ્વારા ખરીદવામાં આવેલો એક જૂનો હવાઇ જહાજ પણ એવી જ રીતે ફસાઈ ગયો હતો. આ હવાઇ જહાજને પણ એક ટ્રકના ટ્રેલર પર લાદીને કોચ્ચીથી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યો હતો.

બરાબર એવી જ એક ઘટના રાજધાની દિલ્હીમાં પણ થઈ હતી. એર ઇન્ડિયાનો એક હવાઇ જહાજ ગુરુગ્રામ દિલ્હી માર્ગ પર બ્રિજ નીચે ફસાઈ ગયો હતો. તેને પણ કાઢવામાં ખૂબ પરેશાની ઉઠાવવી પડી હતી. હવાઇ જહાજની બોડી ખૂબ જૂની થઈ ગઈ હતી. જેને એર ઈન્ડિયા દ્વારા વેચી દેવામાં આવ્યો હતો. તેને લઈ જતી વખત તે બ્રિજ નીચે ફસાઈ ગયો હતો. જેના કારણે ખૂબ જામ લાગી ગયો હતો.

About The Author

Related Posts

Top News

ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

હરિયાણાના નૂહ જિલ્લાનું સિરોલી ગામ. વસ્તીની દ્રષ્ટિએ, આ ગામ મુસ્લિમ બહુમતી ધરાવતું છે. 3,296 મતદારોમાંથી 250 હિન્દુ મતદારો છે....
National 
ભાઇચારાનું અદભુત ઉદાહરણ...3000 મુસ્લિમો, 250 હિન્દુઓ, તેમ છતા હિન્દુ મહિલા બન્યા સરપંચ

રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજીસાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગેને ગદ્દાર કહ્યા હતા અને કહ્યું હતું કે, ભારતમાં  બાબરને લાવનાર...
National 
રાજપૂત શૂરવીર રાણા સાંગા કોણ હતા?

પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

ગયા સોમવારે, ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક ગુરુ પોપ ફ્રાન્સિસના મૃત્યુના સમાચારથી વિશ્વભરના ખ્રિસ્તી સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ. એક તરફ...
Entertainment 
પોપ ફ્રાન્સિસના નિધન બાદ આ ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા

‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સીઝનમાં રાજસ્થાન રૉયલ્સ (RR)નું ખરાબ પ્રદર્શન યથાવત છે. 24 એપ્રિલ (ગુરુવાર)ના...
Sports 
‘… તો આગામી વર્ષે IPLમાં નહીં દેખાય 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી!’ સેહવાગે આવું કેમ કહ્યું?
Copyright (c) Khabarchhe All Rights Reserved.