નીતિન ગડકરી કેમ કહ્યું- મુસ્લિમોએ IAS-IPS બનવું જોઈએ, આપણે મસ્જિદમાં...

દેશમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમુદાયમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા જાતિના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે વધુને વધુ મુસ્લિમ લોકો IPS અને IAS બને. નાગપુરમાં સેન્ટ્રલ ઇન્ડિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે, સમાજમાં મુસ્લિમ સમુદાયને સૌથી વધુ શિક્ષણની જરૂર છે. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Nitin-Gadkari2
navbharatlive.com

હકીકતમાં, ગડકરીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયમાં ચાની દુકાન, પાનની દુકાન, કચરો વેચવા (કબાડ)નો વ્યવસાય, ટ્રક ડ્રાઇવિંગ અને સાફ સફાઈ જેવા થોડા જ વ્યવસાયોમાં પ્રબળ છે. તેમણે કહ્યું કે જો સમાજના લોકો એન્જિનિયર, ડોક્ટર, IAS અને IPS બને તો જ સાચી પ્રગતિ થશે. તેમણે આગ્રહ કર્યો કે, આપણે મસ્જિદમાં સો વાર નમાઝ અદા કરી શકીએ છીએ. પણ જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી નહીં લઈએ તો આપણું ભવિષ્ય શું હશે?

Nitin-Gadkari1
navbharatlive.com

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા ગડકરીએ કહ્યું કે, મહાનતા જાતિ, ધર્મ, ભાષા કે લિંગથી નહીં, પરંતુ ગુણોથી આવે છે. તેમણે કહ્યું કે ડૉ. કલામે વિજ્ઞાનમાં યોગદાન આપ્યું અને તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. તેથી શિક્ષણને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાતિગત રાજકારણ પર કટાક્ષ કરતા ગડકરીએ કહ્યું કે, તેઓ મત માટે જાતિગત નેતાઓને ખુશ કરવામાં માનતા નથી. એક જાહેર સભાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમણે 50,000 લોકોની સામે કહ્યું હતું કે, જો કોઈ જાતિ વિશે વાત કરશે તો તેઓ તેને જોરથી લાત મારશે. તે સમયે પણ જાતિવાદ પરનું તેમનું નિવેદન ખુબ વાયરલ થયું હતું.

Nitin-Gadkari3
navbharatlive.com

એટલું જ નહીં, ગડકરીએ કહ્યું કે, શિક્ષણ માત્ર એક વ્યક્તિ અને પરિવારનો વિકાસ જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનો પણ વિકાસ કરે છે. તેમણે લોકોને જ્ઞાનને પોતાની શક્તિ બનાવવા અને જાતિ અને ધર્મના રાજકારણથી ઉપર ઉઠીને આગળ વધવા વિનંતી કરી. તેમના આ નિવેદનથી એવા સમયે ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાજકીય રીતે આપણને દરરોજ મુસ્લિમો વિશે કંઈક ને કંઈક જોવા અને સાંભળવા મળે છે. ગડકરી જે સરકારમાં મંત્રી છે, તેના ઘણા પ્રતિનિધિઓ પણ મુસ્લિમો પ્રત્યે અસ્વસ્થતા અનુભવે છે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનમાં તેલનું ભયાનક સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે ઓફિસો

આર્થિક કંગાળીનો સામનો કરી રહેલા પાકિસ્તાન પર હવે 'તેલ સંકટ' (Oil Crisis) ના વાદળો ઘેરાયા છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા...
World 
પાકિસ્તાનમાં તેલનું ભયાનક સંકટ: હવે અઠવાડિયામાં માત્ર 4 દિવસ જ ખુલશે ઓફિસો

શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી અને આસપાસના વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મોટા અને આનંદના સમાચાર સામે આવ્યા છે. લાંબા...
Travel 
શામળાજી જનારા ભક્તો માટે ખુશીના સમાચાર: ઉદયપુર-અસારવા 'વંદે ભારત'ને મળ્યું સ્ટોપેજ

ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) પહેલા, ગુજરાત ટાઇટન્સે એક મોટો નિર્ણય લીધો છે. ટીમે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનર મેથ્યુ...
Sports 
ગુજરાત ટાઇટન્સે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજને બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યાં

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 11-03- 2026 વાર- બુધવાર મેષ - નવું કામ એકાએક આવવાથી આનંદ રહે, ઘરના વ્યક્તિઓની સલાહથી આગળ વધી શકો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.