નીતિન ગડકરી કેમ કહ્યું- મુસ્લિમોએ IAS-IPS બનવું જોઈએ, આપણે મસ્જિદમાં...

દેશમાં હિન્દુ-મુસ્લિમ મુદ્દાઓ પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મુસ્લિમ સમુદાયમાં શિક્ષણની જરૂરિયાત પર ભાર મૂકતા જાતિના રાજકારણ પર કટાક્ષ કર્યો છે. એટલું જ નહીં, તેમણે કહ્યું કે, તેઓ ઇચ્છે છે કે વધુને વધુ મુસ્લિમ લોકો IPS અને IAS બને. નાગપુરમાં સેન્ટ્રલ ઇન્ડિયા ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સના દીક્ષાંત સમારોહમાં તેમણે કહ્યું કે, સમાજમાં મુસ્લિમ સમુદાયને સૌથી વધુ શિક્ષણની જરૂર છે. તેમનું આ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે.

Nitin-Gadkari2
navbharatlive.com

હકીકતમાં, ગડકરીએ કહ્યું કે મુસ્લિમ સમુદાયમાં ચાની દુકાન, પાનની દુકાન, કચરો વેચવા (કબાડ)નો વ્યવસાય, ટ્રક ડ્રાઇવિંગ અને સાફ સફાઈ જેવા થોડા જ વ્યવસાયોમાં પ્રબળ છે. તેમણે કહ્યું કે જો સમાજના લોકો એન્જિનિયર, ડોક્ટર, IAS અને IPS બને તો જ સાચી પ્રગતિ થશે. તેમણે આગ્રહ કર્યો કે, આપણે મસ્જિદમાં સો વાર નમાઝ અદા કરી શકીએ છીએ. પણ જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી અપનાવી નહીં લઈએ તો આપણું ભવિષ્ય શું હશે?

Nitin-Gadkari1
navbharatlive.com

ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનું ઉદાહરણ આપતા ગડકરીએ કહ્યું કે, મહાનતા જાતિ, ધર્મ, ભાષા કે લિંગથી નહીં, પરંતુ ગુણોથી આવે છે. તેમણે કહ્યું કે ડૉ. કલામે વિજ્ઞાનમાં યોગદાન આપ્યું અને તેઓ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત થયા. તેથી શિક્ષણને પ્રાથમિકતા આપવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જાતિગત રાજકારણ પર કટાક્ષ કરતા ગડકરીએ કહ્યું કે, તેઓ મત માટે જાતિગત નેતાઓને ખુશ કરવામાં માનતા નથી. એક જાહેર સભાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, તેમણે 50,000 લોકોની સામે કહ્યું હતું કે, જો કોઈ જાતિ વિશે વાત કરશે તો તેઓ તેને જોરથી લાત મારશે. તે સમયે પણ જાતિવાદ પરનું તેમનું નિવેદન ખુબ વાયરલ થયું હતું.

Nitin-Gadkari3
navbharatlive.com

એટલું જ નહીં, ગડકરીએ કહ્યું કે, શિક્ષણ માત્ર એક વ્યક્તિ અને પરિવારનો વિકાસ જ નહીં પરંતુ સમગ્ર સમાજ અને દેશનો પણ વિકાસ કરે છે. તેમણે લોકોને જ્ઞાનને પોતાની શક્તિ બનાવવા અને જાતિ અને ધર્મના રાજકારણથી ઉપર ઉઠીને આગળ વધવા વિનંતી કરી. તેમના આ નિવેદનથી એવા સમયે ચર્ચા શરૂ થઈ છે, જ્યારે રાજકીય રીતે આપણને દરરોજ મુસ્લિમો વિશે કંઈક ને કંઈક જોવા અને સાંભળવા મળે છે. ગડકરી જે સરકારમાં મંત્રી છે, તેના ઘણા પ્રતિનિધિઓ પણ મુસ્લિમો પ્રત્યે અસ્વસ્થતા અનુભવે છે.

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.