મુંબઈમાં ગુજરાતી-જૈન પરિવારોએ મરાઠી પરિવારને નોનવેજ ખાવા પર અપમાનિત કરતા MNS તૂટી પડ્યું

મુંબઈમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી વિવાદ વકર્યો છે. તાજેતરનો કિસ્સો મુંબઈના ઉપનગર ઘાટકોપરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મરાઠી પરિવારને માંસાહારી ખાવા બદલ અપમાનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘાટકોપરની એક રહેણાંક સોસાયટીમાં બની હોવાનું કહેવાય છે. આ સોસાયટીમાં મોટાભાગે ગુજરાતી, જૈન અને મારવાડી પરિવારો રહે છે અને મરાઠાઓની સંખ્યા ઘણી ઓછી છે.

Marathi-Gujarati-Dispute1
english.jagran.com

એવો આરોપ છે કે, સોસાયટીમાં રહેતા શાહ નામના વ્યક્તિએ મરાઠી પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને તેમને કહ્યું કે, મરાઠી લોકો ગંદા છે અને માછલી અને મટન ખાય છે. આ કથિત અપમાનજનક ટિપ્પણી પછી મામલો ગરમાયો હતો. જ્યારે રાજ ઠાકરેની પાર્ટી મનસેને આ ઘટનાની જાણ થઈ, ત્યારે સ્થાનિક નેતાઓ ઘણા મનસે કાર્યકરો સાથે સોસાયટીમાં પહોંચી ગયા હતા.

મનસે કામગાર સેનાના ઉપપ્રમુખ રાજ પાર્ટે તેમના કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને આ ઘટના અંગે સોસાયટીના સભ્યો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી. મનસે નેતાએ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જેમાં તેઓ સોસાયટીમાં જઈને ત્યાંના રહેવાસીઓને સવાલો પૂછતા જોવા મળે છે. આ દરમિયાન, મનસે નેતાએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો અને ચેતવણી આપી કે, જો આવી ઘટના ફરી બનશે તો તેના પરિણામો ખરાબ આવશે.

Marathi-Gujarati-Dispute2
indiatvnews.com

આ દરમિયાન તેમણે કહ્યું કે, મરાઠી લોકોનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જો તમને મરાઠી લોકોથી સમસ્યા છે તો તમે મહારાષ્ટ્ર કેમ આવ્યા છો... જોકે, આરોપી વ્યક્તિ (શાહ) તેમની સમક્ષ હાજર થયો નહીં. પરંતુ સોસાયટીના અન્ય રહેવાસીઓએ સ્પષ્ટતા કરી, 'અમે મરાઠી અને બિન-મરાઠી વચ્ચે ભેદભાવ રાખતા જ નથી અને માંસાહાર પર કોઈ પ્રતિબંધ રાખ્યો જ નથી.'

Marathi-Gujarati-Dispute5

આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ મનસેએ રાજ્યમાં મરાઠી ભાષાને લઈને આંદોલન શરૂ કર્યું હતું. આ ચળવળ દરમિયાન, હિન્દી ભાષી લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને મરાઠી બોલી ન શકતા હોવાથી તેમને માર મારવામાં આવ્યો હતો. ઉત્તર ભારતીયોને મરાઠી ન આવડતી હોય તો રાજ્યમાંથી હાંકી કાઢવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની ચેતવણી પછી, મનસેએ થોડા દિવસોમાં આ આંદોલન બંધ કરી દીધું. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવા અને તેમની પાર્ટીની નોંધણી રદ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

indiatoday.in4
livehindustan.com

આ અરજી પર પ્રતિક્રિયા આપતા, મનસે પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ઉત્તર ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મુંબઈ એકમના પ્રમુખ દેશપાંડેએ કહ્યું હતું કે, 'શું કોઈ ભૈયા (ઉત્તર ભારતીય) નક્કી કરશે કે અમારી પાર્ટીની માન્યતા રહેવી જોઈએ કે નહીં? જો આ ભૈયાઓ અમારી પાર્ટીનો અંત લાવવા માંગતા હોય, તો અમારે પણ એ વિચારવું પડશે કે તેમને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં.'

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય ગરમાગરમી વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના મંત્રીઓના વિભાગોમાં ફેરબદલ કર્યો છે. તેમણે કાયદા વિભાગનો...
Politics 
મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

હોળી-ધૂળેટી બાદ હવે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને 'યલો...
Gujarat 
ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું...
Sports 
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર
Copyright (c) Khabarchhe All Rights Reserved.