મુંબઈમાં ગુજરાતી-જૈન પરિવારોએ મરાઠી પરિવારને નોનવેજ ખાવા પર અપમાનિત કરતા MNS તૂટી પડ્યું

મુંબઈમાં ફરી એકવાર મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી વિવાદ વકર્યો છે. તાજેતરનો કિસ્સો મુંબઈના ઉપનગર ઘાટકોપરમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મરાઠી પરિવારને માંસાહારી ખાવા બદલ અપમાનિત કરવામાં આવ્યો હતો. આ ઘટના ઘાટકોપરની એક રહેણાંક સોસાયટીમાં બની હોવાનું કહેવાય છે. આ સોસાયટીમાં મોટાભાગે ગુજરાતી, જૈન અને મારવાડી પરિવારો રહે છે અને મરાઠાઓની સંખ્યા ઘણી ઓછી છે.

Marathi-Gujarati-Dispute1
english.jagran.com

એવો આરોપ છે કે, સોસાયટીમાં રહેતા શાહ નામના વ્યક્તિએ મરાઠી પરિવાર સાથે ગેરવર્તન કર્યું અને તેમને કહ્યું કે, મરાઠી લોકો ગંદા છે અને માછલી અને મટન ખાય છે. આ કથિત અપમાનજનક ટિપ્પણી પછી મામલો ગરમાયો હતો. જ્યારે રાજ ઠાકરેની પાર્ટી મનસેને આ ઘટનાની જાણ થઈ, ત્યારે સ્થાનિક નેતાઓ ઘણા મનસે કાર્યકરો સાથે સોસાયટીમાં પહોંચી ગયા હતા.

મનસે કામગાર સેનાના ઉપપ્રમુખ રાજ પાર્ટે તેમના કાર્યકરો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને આ ઘટના અંગે સોસાયટીના સભ્યો પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી. મનસે નેતાએ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે, જેમાં તેઓ સોસાયટીમાં જઈને ત્યાંના રહેવાસીઓને સવાલો પૂછતા જોવા મળે છે. આ દરમિયાન, મનસે નેતાએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો અને ચેતવણી આપી કે, જો આવી ઘટના ફરી બનશે તો તેના પરિણામો ખરાબ આવશે.

Marathi-Gujarati-Dispute2
indiatvnews.com

આ દરમિયાન તેમણે કહ્યું કે, મરાઠી લોકોનું અપમાન કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. જો તમને મરાઠી લોકોથી સમસ્યા છે તો તમે મહારાષ્ટ્ર કેમ આવ્યા છો... જોકે, આરોપી વ્યક્તિ (શાહ) તેમની સમક્ષ હાજર થયો નહીં. પરંતુ સોસાયટીના અન્ય રહેવાસીઓએ સ્પષ્ટતા કરી, 'અમે મરાઠી અને બિન-મરાઠી વચ્ચે ભેદભાવ રાખતા જ નથી અને માંસાહાર પર કોઈ પ્રતિબંધ રાખ્યો જ નથી.'

Marathi-Gujarati-Dispute5

આ ઘટના એવા સમયે પ્રકાશમાં આવી છે જ્યારે થોડા દિવસો પહેલા જ મનસેએ રાજ્યમાં મરાઠી ભાષાને લઈને આંદોલન શરૂ કર્યું હતું. આ ચળવળ દરમિયાન, હિન્દી ભાષી લોકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને મરાઠી બોલી ન શકતા હોવાથી તેમને માર મારવામાં આવ્યો હતો. ઉત્તર ભારતીયોને મરાઠી ન આવડતી હોય તો રાજ્યમાંથી હાંકી કાઢવાની ધમકી પણ આપવામાં આવી હતી. પરંતુ રાજ્ય સરકારની ચેતવણી પછી, મનસેએ થોડા દિવસોમાં આ આંદોલન બંધ કરી દીધું. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટમાં રાજ ઠાકરે સામે કાર્યવાહી કરવા અને તેમની પાર્ટીની નોંધણી રદ કરવાની વિનંતી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.

indiatoday.in4
livehindustan.com

આ અરજી પર પ્રતિક્રિયા આપતા, મનસે પ્રવક્તા સંદીપ દેશપાંડેએ ઉત્તર ભારતીયો વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. મુંબઈ એકમના પ્રમુખ દેશપાંડેએ કહ્યું હતું કે, 'શું કોઈ ભૈયા (ઉત્તર ભારતીય) નક્કી કરશે કે અમારી પાર્ટીની માન્યતા રહેવી જોઈએ કે નહીં? જો આ ભૈયાઓ અમારી પાર્ટીનો અંત લાવવા માંગતા હોય, તો અમારે પણ એ વિચારવું પડશે કે તેમને મુંબઈ અને મહારાષ્ટ્રમાં રહેવાની મંજૂરી આપવી જોઈએ કે નહીં.'

Top News

શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

ભારતીય ટીમ 5 ટેસ્ટ, 3 વન-ડે અને 3 T20 મેચોની સીરિઝ માટે ઇંગ્લેન્ડના પ્રવાસે જવાની છે. વિરાટ કોહલી...
Sports 
શુભમન ગિલ અને ગૌતમ ગંભીરની પ્રેસ કોન્ફરન્સની 5 મોટી વાતો, કોહલી-રોહિત વિશે પણ કરી વાત

એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

એલોન મસ્કની સેટેલાઇટ-આધારિત ઇન્ટરનેટ સેવા સ્ટારલિંકને ભારતમાં જરૂરી લાઇસન્સ મળ્યું છે. મસ્કની કંપની છેલ્લા ઘણા વર્ષોથી ભારતમાં તેની સેવા શરૂ...
Tech and Auto 
એલોન મસ્કની સ્ટારલિંકનો ભારતમાં રસ્તો સાફ, સેટેલાઇટ ઇન્ટરનેટ માટે મહત્ત્વનું લાયસન્સ મળ્યું

વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
Gujarat 
વિસાવદરની પેટાચૂંટણીમાં પાટીદાર સામે પાટીદાર

એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું

સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
Gujarat 
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.