જયેશ રાદડીયાએ પાટીદાર સમાજના કયા નેતાને ટપોરી કીધા?

ભાજપના કદાવર નેતા અને જેતપુરના ધારાસભ્ય જયેશ રાદડીયાના એક નિવેદને રાજકારણમાં વિવાદનો મધપુડો છંછેડાઇ ગયો છે. રાદડીયાના નિવેદનને કારણે પાટીદાર સમાજ આમને સામને આવી ગયો છે.

26 જાન્યુઆરી 2025 ના દિવસે જામકંડોરણામાં 511 દિકરીઓના સમૂહલગ્નના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ પરથી જયેશ રાદડીયાએ કહ્યું હતું કે, આપણા સમાજની બે-પાંચ ટપોરીની ગેંગ સારા કામમાં હવનમાં હાડકાં નાખી રહી છે. રાદડીયા પરિવાર વિશે ખરાબ કોમેન્ટ કરી રહી છે. રાદડીયાએ કહ્યું કે, તાકાત હોય તો રાજકારણમાં આવો. સમાજમાં નહીંને રાજકારણ ન કરો.

TV-9 ગુજરાતીના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, જયેશ રાદડીયાએ આમ તો કોઇનું નામ લીધું નહોતું, પરંતુ આ નિશાન ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સામે હતું. સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો છે.

About The Author

Top News

મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના રાજકીય ગરમાગરમી વચ્ચે, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તેમના મંત્રીઓના વિભાગોમાં ફેરબદલ કર્યો છે. તેમણે કાયદા વિભાગનો...
Politics 
મમતા બેનર્જીએ બંગાળમાં અચાનક કાયદા મંત્રાલય કેમ સંભાળ્યું? જાણો 5 કારણો

ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

હોળી-ધૂળેટી બાદ હવે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીને લઈને 'યલો...
Gujarat 
ગુજરાત શેકાયું: અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરોમાં 'યલો એલર્ટ'

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું...
Sports 
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર

મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઇંધણ પુરવઠાને લઈને મચેલી અફરાતફરીની અસર ભારતીય રસોડા સુધી ન પહોંચે તે માટે...
National 
LPGના કાળાબજારને રોકવા માટે બુકિંગ નિયમોમાં ફેરફાર! જાણો હવે કેટલા દિવસમાં મળશે બીજો સિલિન્ડર
Copyright (c) Khabarchhe All Rights Reserved.