71 હોસ્પિટલ, 5000 ફાર્મસીના 92 વર્ષના માલિક રોજ ઓફિસ જાય છે; 26,560 કરોડની છે સંપત્તિ

92 વર્ષની ઉંમર અને દરરોજ કામ કરવું, આ સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં આવે. પણ આ વાસ્તવિકતા છે. તે ઉંમર જેમાં મોટાભાગના લોકો નિવૃત્ત થઈ જાય છે. પરંતુ એપોલો હોસ્પિટલના સ્થાપક ડૉ. પ્રતાપ C રેડ્ડી હજુ પણ દરરોજ ઓફિસ જાય છે.

દેશના સૌથી મોટા હોસ્પિટલ નેટવર્કના સ્થાપકની મહેનત અને વિઝનથી ભારતમાં આરોગ્ય સંભાળમાં પરિવર્તન આવ્યું છે. 92 વર્ષની ઉંમરે પણ, ડૉ. રેડ્ડી દરરોજ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી ઓફિસમાં કામ કરે છે. અઠવાડિયામાં છ દિવસ કામ કરતા ડૉ. રેડ્ડીની ઉંમર જાણીને બધાને નવાઈ લાગી.

Dr Prathap C Reddy
india.com

આજે પણ, ડૉ. રેડ્ડીનો જુસ્સો અને કામ પ્રત્યે તેમનું સમર્પણ કોઈ યુવાનો કરતા ઓછો નથી. તેઓ કહે છે કે આરોગ્ય સેવા તેમનો જુસ્સો છે અને તેઓ તેમાં સતત સુધારો કરવા માંગે છે. ડૉ. રેડ્ડીએ 1983માં દેશની પહેલી કોર્પોરેટ હોસ્પિટલ, એપોલો હોસ્પિટલ શરૂ કરી હતી. તે સમયે દેશમાં સારી આરોગ્ય સુવિધાઓનો અભાવ હતો અને લોકો સારવાર માટે વિદેશ જતા હતા.

Dr Prathap C Reddy
zeenews.india.com

ડૉ. રેડ્ડી દેશમાં જ વૈશ્વિક સ્તરની સારવાર સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ હતા. તેમના આ વિચારથી દેશની આરોગ્ય સેવા હંમેશા માટે બદલાઈ ગઈ. ચેન્નાઈમાં જન્મેલા ડૉ. રેડ્ડીએ સ્ટેનલી મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું. અમેરિકામાં કાર્ડિયોલોજિસ્ટ તરીકે તાલીમ લીધી. 1970ના દાયકામાં તેમના પિતાના એક પત્રે તેમને ભારત પાછા ફરવા માટે પ્રેરણા આપી.

1979માં, એક દર્દીનું સારી સુવિધાઓના અભાવે મૃત્યુ થયું; આ ઘટનાથી તે એટલા દુઃખી થયા કે તેમણે એપોલો હોસ્પિટલ શરૂ કરવાનું નક્કી કર્યું. આ સાથે તેમણે નક્કી કર્યું કે સારવારના અભાવે કોઈનું મૃત્યુ ન થવું જોઈએ.

Dr Prathap C Reddy
youtube.com

આજે એપોલો હોસ્પિટલ્સ માત્ર એક હોસ્પિટલ જ નથી પરંતુ એક મોટું આરોગ્યસંભાળ સામ્રાજ્ય છે. એપોલો દેશભરમાં 71 હોસ્પિટલો, 5,000થી વધુ ફાર્મસી આઉટલેટ્સ, 291 પ્રાથમિક સંભાળ ક્લિનિક્સ, ડાયગ્નોસ્ટિક નેટવર્ક અને ડિજિટલ હેલ્થ પ્લેટફોર્મ ધરાવે છે. આ જૂથ દેશના દરેક ખૂણામાં સારી ગુણવત્તાવાળી આરોગ્ય સેવાઓ પૂરી પાડી રહ્યું છે. જૂથ દ્વારા આ સુવિધાઓનો સતત વિસ્તાર કરવામાં આવી રહ્યો છે.

એપોલો હોસ્પિટલ્સનું માર્કેટ કેપ હાલમાં રૂ. 70,000 કરોડથી વધુ છે. રેડ્ડી પરિવારનો તેમાં 29.3 ટકા હિસ્સો છે. ફોર્બ્સ અનુસાર, ડૉ. રેડ્ડીની કુલ સંપત્તિ 26,560 કરોડ રૂપિયા છે. આટલી બધી સંપત્તિ હોવા છતાં, તેઓ ખૂબ જ સાદું જીવન જીવે છે.

Dr Prathap C Reddy
businesstoday.in

ડૉ. રેડ્ડી માને છે કે, સફળતા આપણને વીનમ્ર બનાવે છે અને દેશ માટે વધુ કામ કરવા પ્રેરણા આપે છે. મીડિયા સૂત્રને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું, 'આપણે આપણી સફળતાનો ઉપયોગ દેશને સુધારવા માટે કરવો જોઈએ.' 92 વર્ષની ઉંમરે પણ, ડૉ. રેડ્ડીનો ઉત્સાહ અને નેતૃત્વ પ્રશંસનીય છે. તેમની વાર્તામાંથી આપણને જે પાઠ શીખવા મળે છે તે એ છે કે, જો તમારામાં કંઈક કરવાનો જુસ્સો હોય, તો ઉંમર ક્યારેય તમારા સપના અને લક્ષ્યોના માર્ગમાં આવતી નથી.

Top News

'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

PM નરેન્દ્ર મોદીએ ચોથી સેમિકોન ઇન્ડિયા કોન્ફરન્સની શરૂઆત સાથે ભારતના પ્રથમ ઇન્ડિયા ચિપસેટનું અનાવરણ કર્યું છે. નવી દિલ્હીમાં આયોજિત આ...
Tech and Auto 
'વિક્રમ' નામની પહેલી મેડ ઇન ઇન્ડિયા ચિપ PM નરેન્દ્ર મોદીએ રજૂ કરી

શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

ચીનના તિયાનજિનમાં યોજાયેલી SCO સમિટથી ભારતને શું મળ્યું? SCOમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને...
World 
શું ભારત-રશિયા-ચીન પોતાના 'ડૉલર' બનાવશે? US અને પશ્ચિમી દેશો ગભરાઈ રહ્યા છે?

સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે, કારણ કે PCB અને SOGની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાંથી મોટી કાર્યવાહી કરીને નકલી...
Gujarat 
સુરતમાં 10 વર્ષથી ચાલતી નકલી વિઝા ફેક્ટરીનો પર્દાફાશ- મુખ્ય સુત્રધાર પ્રતીક શાહ પકડાયો

હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

પૂર્વ ભારતીય સ્પિનર હરભજન સિંહે IPL ના પૂર્વ કમિશ્નર લલિત મોદી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. થોડા દિવસો પહેલા લલિત...
Sports 
હરભજન સિંહનો લલિત મોદી પર આક્રમક પ્રહાર: “જૂનો વીડિયો જાહેર કરવો અયોગ્ય”

Opinion

PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે? PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે પછી ભલે તે કોંગ્રેસ હોય કે ભાજપ કે પછી હોય આમ આદમી પાર્ટી....
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
મિત્રોનો ડાયરો મળ્યો હોય ત્યારે હાજરી પુરાવાનું ક્યારેય ચૂકશો નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.