પૈસા તૈયાર રાખો, 20 વર્ષ પછી ટાટા ગ્રુપનો IPO ખુલી રહ્યો છે, પ્રાઇસ બેન્ડ જાહેર

દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રૂપ લગભગ 20 વર્ષ બાદ IPO માર્કેટમાં મજબૂત એન્ટ્રી કરવા જઈ રહ્યું છે. Tata Consultancy Services (TCS )પછી ટાટા ટેક્નોલોજી પહેલી કંપની હશે જેનો ઈશ્યુ લોન્ચ કરવામાં આવશે. કંપનીનો IPO 22 નવેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલશે. આ સાથે આ ઈશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવી છે.

ટાટા ગ્રુપની કંપની TCSનો છેલ્લો પબ્લિક ઇશ્યૂ આવ્યો હતો. એ પછી 20 વર્ષ પછી ટાટા ગ્રુપ ફરી એકવાર મૂડીબજારમાં પ્રવેશ કરી રહ્યું છે.

લગભગ બે દાયકા બાદ ટાટા ગ્રુપની એક કંપની રોકાણકારોને IPO દ્વારા કમાણી કરવાની તક આપવા જઈ રહી છે. તાજેતરમાં ટાટા ટેક IPOની લોન્ચિંગ તારીખની જાહેરાત કર્યા બાદ હવે તેની પ્રાઇસ બેન્ડ પણ જાહેર કરવામાં આવી છે. આ માટે કંપનીએ ઈક્વિટી શેર દીઠ 475-500 રૂપિયાની પ્રાઇસ બેન્ડ નક્કી કરી છે. આ પ્રાઇસબેન્ડ અનલિસ્ટેડ માર્કેટ કરતાં 47 ટકાથી વધુ સસ્તું છે, જ્યાં તે રૂ. 900થી વધુના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે.

જો તમે તાજેતરના ભૂતકાળમાં શરૂ થયેલા IPOમાં નાણાંનું રોકાણ કરવાનું ચૂકી ગયા છો, તો આ તમારા માટે રોકાણની એક શ્રેષ્ઠ તક હશે.

Tata Technologiesનો IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. કંપનીના પ્રમોટર્સ IPO મારફતે તેમનો હિસ્સો ઘટાડવા જઈ રહ્યા છે. આ IPO દ્વારા ટાટા ટેક્નોલોજીસના કુલ 6.08 કરોડ શેર વેચવામાં આવશે. અગાઉ ટાટા ટેક્નોલોજીએ IPO દ્વારા રૂ. 9.57 કરોડનું વેચાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ IPOમાં ટાટા મોટર્સ 4.62 કરોડ શેરનું વેચાણ કરશે, આલ્ફા TC 97.1 લાખ શેર અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ 48 લાખ શેર વેચશે.

હવે તમને એ જાણવામાં રસ હશે કે ઓછામાં ઓછું રોકાણ કેટલું કરવુ પડશે? તો કંપનીએ મીનિમમ 30 શેરોનો એક લોટ જાહેર કર્યો છે અને અપર પ્રાઇસ 500 રૂપિયાને ગણતરીમાં લઇએ તો તમારે ઓછામાં ઓછું 15,000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તમે વધારેમાં વધારે 13 લોટ માટે અરજી કરી શકો છો.

એક તરફ ટાટા ટેકનો પ્રાઇસ બેન્ડ જાહેર થયો અને બીજી તરફ ગ્રે માર્કેટમાં આ શેરે તોફાન મચાવ્યું છે. ગ્રે માર્કેટમાં ટાટા ટેકના શેરનું પ્રીમિયમ 285 રૂપિયા ચાલી રહ્યું છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે, શેરબજારમાં રોકાણ કરતી વખતે તમારા સલાહારની સલાહ મુજબ જ રોકાણ કરવું હિતાવહ છે

About The Author

Related Posts

Top News

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

જમ્મુ-કાશ્મીરના પહલગામની બેસરન ખીણમાં 22 એપ્રિલ, 2025ના રોજ થયેલા એક ભયાનક આતંકવાદી હુમલામાં ઓછામાં ઓછા 26 લોકોના મોતની આશંકા વ્યક્ત...
National 
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકવાદી હુમલો: 26થી વધુ પ્રવાસીઓના મોતની આશંકા

ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

દેશમાં પહેલીવાર ગુજરાતાં સોનાનો ભાવ 1 લાખને પાર કરી ગયો છે. આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ ઔંસ દીઠ 3430 ડોલર...
Business 
ગુજરાતમાં સોનાનો ભાવ 1 લાખ પાર, પણ ઝવેરીઓ દુખી

'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

તાજેતરમાં સુરતના ઇન્ડોર સ્ટેડીયમમાં SRK ડાયમંડ કંપની દ્રારા પરિવારોત્સવ 2025ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીના 61 વર્ષ પુરા...
Gujarat 
'વ્યાજે રૂપિયા ક્યારેય ન લેતા...' શું ગોવિંદકાકાની સલાહનું પાલન કરવું સરળ છે?

મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ

ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને તેમના સમયના મહાન બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનને હવે પસ્તાવો થાય છે કે, તેઓ ક્રિકેટ રમ્યા...
Sports 
મોહમ્મદ અઝહરુદ્દીનને હવે થઇ રહ્યો છે ક્રિકેટ રમવાનો અફસોસ, જાણો શું છે સ્ટેન્ડનો વિવાદ
Copyright (c) Khabarchhe All Rights Reserved.