ફિલ્મમાં બાણથી વાઘનો શિકાર કરતી કંગના રાવણને મારવા એક બાણ ન ચલાવી શકી, જુઓ Video

કંગના રનૌતે ઈતિહાસ રચ્યો, તે નવી દિલ્હીમાં લવ કુશ રામલીલામાં રાવણ દહન કરનાર પ્રથમ મહિલા બની, પરંતુ આ દરમિયાન તેણે એક મોટી ભૂલ કરી અને સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગી. દશેરાના અવસર પર કંગના તેની બહેન રંગોલી ચંદેલ સાથે દેશની રાજધાનીની પ્રખ્યાત રામલીલામાંથી એક 'લવ કુશ રામલીલા'ના મંચ પર પહોંચી હતી. આ દરમિયાન દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર (LG) VK સક્સેના પણ તેમની સાથે મંચ પર જોડાયા હતા.

 

કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ 'તેજસ'માં જોવા મળશે, આ દિવસોમાં તે ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહી છે. કંગના રાવણ દહન માટે લવ કુશ રામલીલામાં પહોંચી હતી. આ ઈતિહાસ બની ગયો, પરંતુ આ દરમિયાન કંઈક એવું થયું, જેને જોઈને લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા.

 

જ્યારે કંગના રનૌત રામલીલાના મંચ પર પહોંચી ત્યારે તેણે 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા. અત્યાર સુધી બધું બરાબર હતું, પરંતુ જેવું તેણે ધનુષ્ય અને તીર ઉપાડ્યું કે, તરત જ તે લોકોની મજાકને પાત્ર બની ગઈ. હકીકતમાં, તે ધનુષ અને તીર યોગ્ય રીતે ચલાવી શકી નહોતી. આ માટે ટ્રોલર્સે તેને નિશાન બનાવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

 

રામલીલામાં રાવણના દહન પાછી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કંગના હાથમાં ધનુષ્ય પકડીને રાવણના પૂતળા તરફ તીર ચલાવવામાં નિષ્ફળ જઈ રહી છે. તીર વારંવાર તેના હાથમાંથી નીચે પડી રહ્યું હતું, તેની આસપાસ ઉભેલા લોકોએ તેની મદદ કરી, પરંતુ ત્રણ વખત પ્રયાસ કરવા છતાં પણ તે તીર બરાબર ચલાવી શકી નહોતી. અંતે, લવ કુશ રામલીલા સમિતિના સભ્યોની મદદથી, કંગના તીર મારવામાં સફળ રહી.

આ વીડિયો વાયરલ થયા પાછી લોકો સોશિયલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'જો તમે સ્ટેજ પર આવતા પહેલા થોડી પ્રેક્ટિસ કરી હોત તો આવું ન થાત.' અન્ય એકે કહ્યું, 'બોલિવૂડની સ્ટંટ/એક્શન ક્વીન હોવાને કારણે આવું થવું શરમજનક છે'. જ્યારે, એકે લખ્યું, 'તે તો મણિકર્ણિકાની ઝાંસી કી રાની હતી ને...' બીજાએ કહ્યું, 'હું કલ્પના કરી શકતો નથી કે, તે સમયે કંગનાને કેવા પ્રકારની ચિંતા, અકળામણ અનુભવાઈ હશે.'

આ દરમિયાન KRKએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતનો એક વીડિયો શેર કરીને તેની મજાક ઉડાવી છે. વીડિયોમાં કંગનાનું તીર નિશાન તરફ જવાને બદલે ધનુષમાંથી પડી જતું જોવા મળી રહ્યું છે. KRKએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ગઈ કાલે દિલ્હીના લાલ કિલ્લાના મેદાનનો છે, જ્યાં કંગનાએ રાવણનું પૂતળું બાળ્યું હતું. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કંગનાએ રાવણને મારવા માટે ધનુષમાંથી તીર છોડ્યું પરંતુ તે ત્યાં જ પડી ગયું. એટલે કે કંગના ધનુષ અને તીરનો ઉપયોગ કરી શકતી ન હતી. આ વીડિયો શેર કરતી વખતે KRKએ કેપ્શનમાં લખ્યું કે, 'વાહ.. કંગના જીએ રાવણ પર શું જોરદાર નિશાન લગાવ્યું છે.'

Top News

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.