કોઈ તમને નફરત કરે, તમારી ખોટી નિંદા કરે... તો દુઃખી/વિચલિત ના થવું

(ઉત્કર્ષ પટેલ)

આપણા સૌના જીવનમાં ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિ આપણને નફરત કરે, આપણા વિશે ખોટું બોલે, નિંદા કરે ત્યારે દુઃખી કે વિચલિત થવું એ સ્વાભાવિક છે. પરંતુ આપણે આ નકારાત્મકતાઓને શાંતિથી અને સમજદારીથી ઉકેલવી જોઈએ. નફરત અને નિંદા ઘણીવાર સામે વાળી વ્યક્તિની અંગત નબળાઈઓ, ઈર્ષ્યા કે ગેરસમજનું પરિણામ હોય છે જેનો આપણી સાથે સીધો કોઈજ સંબંધ હોતો નથી. 

અહીં આપણે સમજવું જોઈએ કે દરેક વ્યક્તિનો પોતાનો વ્યક્તિગત દૃષ્ટિકોણ અને સમજ હોય છે. જો કોઈ આપણી નિંદા કરે છે તો તેનો અર્થ એ નથી કે આપણે ખરેખર ખરાબ છીએ. આપણે આપણી સારી બાબતો પર ધ્યાન આપવું જોઈએ અને આપણી જાણ્યે અજાણ્યે રહી જતી ખામીઓને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિંદાને રચનાત્મક ટીકા સ્વરૂપે સ્વીકારવી અને તેનો ઉપયોગ આપણી પ્રગતિ માટે કરવો એ સમજદારીનું લક્ષણ છે.

03

મારું વ્યક્તિગત માનવું છે કે નફરત કરનાર પ્રત્યે ગુસ્સો કે નફરત રાખવાને બદલે તેમના પ્રત્યે કરુણા દાખવવી જોઈએ. નફરત કરનાર વ્યક્તિ કદાચ પોતાની અંદરની ઈર્ષ્યાભાવ કે અશાંતિને કારણે આવું વર્તન કરી શકે છે. તેમની નકારાત્મકતા આપણા કાબૂમાં નથી પરંતુ આપણે આપણી લાગણીઓ વિચારો પર કાબુ કરી શકીએ છીએ. શાંત રહેવું અને નિંદાને અવગણવી એ આપણી માનસિક અને આંતરિક શાંતિ જાળવી રાખે છે. આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નફરતને ક્ષમા અને પ્રેમથી જવાબ આપવો એ આપણી આંતરિક શક્તિ અને સંસ્કાર દર્શાવે છે. 

મહાત્મા ગાંધીજીનું કથન “કોઈ તમારી નિંદા કરે તો દુઃખી ન થાઓ પરંતુ એ વિચારો કે તમે તેમનું ધ્યાન આકર્ષવા માટે પૂરતા મહત્વના છો” આ દ્રષ્ટાંત આપણને પ્રેરણા આપે છે. 

આખરેતો આપણે આપણા આત્મસન્માન અને ધ્યેયો પર ધ્યાન આપવું જોઈએ. નફરત અને નિંદા આપણને ડગમગાવે નહીં પરંતુ આપણને વધુ મજબૂત બનાવે એવી માનસિકતા આપણે કેળવવી રહી. આપણું સાચું મૂલ્ય આપણી નૈતિકતા છે બીજાના મંતવ્યોમાં નહીં. 

04

અગત્યનું: 

આપણે જો સાચા અને સંસ્કારી છીએ તો આપણા માટે કોઈના અભિપ્રાય/પ્રમાણપત્ર ની આપણે જરૂર નથી. 

અને હા આપણે કોઈની નફરત કરવી નહીં અને કોઈની સાચી/ખોટી નિંદા કરવી નહીં અને સાંભળવી પણ નહીં.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને સમાજસેવક છે.)

About The Author

Top News

સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

ગુજરાતના જામનગરની વતની અને સુરતમાં ઉછરેલી દીપુ કુંવર જ્યારે  LLBના બીજા વર્ષમાં હતી ત્યારે લગ્ન થઇ ગયા હતા. બાળપણથી...
Education 
સાસૂએ પુત્રવધુને કહ્યું બેટા ઘરનું કામ રહેવા દે, પહેલા પરીક્ષાની તૈયારી કર અને વહુ જજ બની ગયા

'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી...
National 
'હવે તો હદ થઇ ગઈ,' ટ્વિંકલ ટ્વિંકલ લિટલ... ભણવાનો ખર્ચ 2.24 લાખ રૂપિયા

AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

તા. 4થી મેના દિવસે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામો જાહેર થવાના છે. તે પહેલા ઘણી બધી પોલિંગ એજન્સીઓએ...
National 
AXIS-માય ઇન્ડિયાએ બંગાળનો એક્ઝિટ પોલ જાહેર ન કર્યો, શું એક્ઝિટ પોલ મોટું કૌભાંડ છે?

બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી

એન્જિનના અવાજથી લઈને પેટ્રોલ અને ડીઝલની ગંધ સુધી, બધું ધીમે ધીમે ઇતિહાસ બનવા તરફ જઈ રહ્યું છે. અને આ...
Tech and Auto 
બદલાઈ જવાની છે ફ્યૂઅલ સિસ્ટમ! હવે પેટ્રોલ-ડીઝલથી ગાડીઓ નહીં ચાલે, ગડકરીએ ઓટો કંપનીઓને આપી ચેતવણી
Copyright (c) Khabarchhe All Rights Reserved.