ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતના મતદારોમાં એમના પ્રત્યેની લાગણી અને વિશ્વાસમાં અનુક્રમે વધારો થતો રહ્યો અને આજે 2025માં પણ એ વિશ્વાસ બહુમત અડીખમ રહ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક 156 બેઠકો અને 52.5%થી વધુ મતો મળ્યા હતા જે આ વિશ્વાસનું સીધું પ્રમાણ છે.

modi
indiatoday.in

ગુજરાતના મતદારોનો PM મોદી પરનો વિશ્વાસ અને ભાજપની વિકાસલક્ષી નીતિઓનું અમલીકરણ સરકાર માટે અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર છે. ગીફ્ટ સિટી, સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જીમાં રોકાણ તથા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા પ્લેટફોર્મે રાજ્યને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યું છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારના કાર્યમાં રહી જતી ઉણપો વિશે જ્યારે જ્યારે કોઈ આંદોલનાત્મક કે ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરે છે ત્યારે સરકાર જો કોઈક ઉણપ રહી ગઈ હોય તો તુરંત સક્રિય થાય છે અને એનો પ્રજાના હિતમાં ઉકેલ લાવે છે. સજાગતા ગુજરાત સરકારનું એક હકારાત્મક પાસું છે. જોકે નાનામોટા આંદોલનોથી વિરોધપક્ષને ગુજરાતમાં ફાવતું જણાઈ રહ્યું નથી કારણ કે મતદાર વિકાસ અને સ્થિરતાને મહત્ત્વ આપે છે.

bhupendra-patel-modi

PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંકને વિરોધપક્ષનું કોઈ નેતૃત્વ તોડી શક્યું નથી એ વાત મહત્વની છે જે લોકસભા કે વિધાનસભાની બહુમત ચૂંટણીઓના પરિણામો પરથી સમજી શકાય છે.

ગુજરાત સરકાર માટે મતદારોની PM મોદી સાથે જોડાયેલી લાગણીઓની કાળજી રાખવી અતિ આવશ્યક બાબત છે અને ગુજરાતને અવિરત વિકાસના પંથે આગળ વધારવું એ પણ જરૂરી છે. જો આ બંનેનું સંતુલન જળવાઈ રહ્યું તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતના મતદારો ભાજપને જ બહુમત આપશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Related Posts

Top News

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
Opinion 
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

Opinion

ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે? ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા ગુજરાતના રાજકારણમાં તેમની આક્રમક, તાર્કિક અને ક્યારેક વધુપડતી તીખી ભાષા માટે જાણીતા...
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.