ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે

(ઉત્કર્ષ પટેલ)

ગુજરાતમાં વર્ષોથી ભાજપ સરકારનું શાસન ચાલી રહ્યું છે. PM મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારથી ગુજરાતના મતદારોમાં એમના પ્રત્યેની લાગણી અને વિશ્વાસમાં અનુક્રમે વધારો થતો રહ્યો અને આજે 2025માં પણ એ વિશ્વાસ બહુમત અડીખમ રહ્યો છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને રેકોર્ડબ્રેક 156 બેઠકો અને 52.5%થી વધુ મતો મળ્યા હતા જે આ વિશ્વાસનું સીધું પ્રમાણ છે.

modi
indiatoday.in

ગુજરાતના મતદારોનો PM મોદી પરનો વિશ્વાસ અને ભાજપની વિકાસલક્ષી નીતિઓનું અમલીકરણ સરકાર માટે અગત્યની ભૂમિકા ભજવી રહ્યા છે. ગુજરાત આજે દેશમાં ઔદ્યોગિક વિકાસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અગ્રેસર છે. ગીફ્ટ સિટી, સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જીમાં રોકાણ તથા વાઇબ્રન્ટ ગુજરાત સમિટ જેવા પ્લેટફોર્મે રાજ્યને વૈશ્વિક સ્તરે સ્થાપિત કર્યું છે.

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરકારના કાર્યમાં રહી જતી ઉણપો વિશે જ્યારે જ્યારે કોઈ આંદોલનાત્મક કે ઉગ્રતાપૂર્વક રજૂઆતો કરે છે ત્યારે સરકાર જો કોઈક ઉણપ રહી ગઈ હોય તો તુરંત સક્રિય થાય છે અને એનો પ્રજાના હિતમાં ઉકેલ લાવે છે. સજાગતા ગુજરાત સરકારનું એક હકારાત્મક પાસું છે. જોકે નાનામોટા આંદોલનોથી વિરોધપક્ષને ગુજરાતમાં ફાવતું જણાઈ રહ્યું નથી કારણ કે મતદાર વિકાસ અને સ્થિરતાને મહત્ત્વ આપે છે.

bhupendra-patel-modi

PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંકને વિરોધપક્ષનું કોઈ નેતૃત્વ તોડી શક્યું નથી એ વાત મહત્વની છે જે લોકસભા કે વિધાનસભાની બહુમત ચૂંટણીઓના પરિણામો પરથી સમજી શકાય છે.

ગુજરાત સરકાર માટે મતદારોની PM મોદી સાથે જોડાયેલી લાગણીઓની કાળજી રાખવી અતિ આવશ્યક બાબત છે અને ગુજરાતને અવિરત વિકાસના પંથે આગળ વધારવું એ પણ જરૂરી છે. જો આ બંનેનું સંતુલન જળવાઈ રહ્યું તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ ગુજરાતના મતદારો ભાજપને જ બહુમત આપશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી.

(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.